સોનિયા ગાંધી સાથેની મુલાકાત બાદ પણ અશોક ગેહલોત પોતાની વાત પર મક્કમ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 15:25:44

કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થોડા સમયમાં યોજાવાની છે. ચૂંટણી પ્રક્રિયા શરૂ થતાની સાથે જ અનેક વિવાદો શરૂ થઈ ગયા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું નામ રાષ્ટ્રીય અધ્યક્ષ માટે ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ રાજસ્થાન સરકારમાં વિવાદ થવાને કારણે તેમણે પોતાનું નામ પાછું લઈ લીધું છે. કોંગ્રેસ હાઈકમાન્ડ સચિન પાયલટને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવા ઈચ્છે છે પરંતુ ગેહલોતના સમર્થકવાળા ધારાસભ્યોએ પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. આ બધા વચ્ચે અશોક ગેહલોત સોનિયા ગાંધીને મળવા દિલ્હી પહોંચ્યા છે. દિલ્હી એરપોર્ટ પર અશોક ગેહલતે કહ્યું કે રાજસ્થાનમાં ચાલી રહેલી ઊથલ-પાથલ ઘરનો મામલો છે, ઈન્ટર્નલ પોલિટક્સમાં આવું બધું ચાલતું રહે. અશોક ગેહલોતની રણનીતિ જોતા એવું લાગી રહ્યું છે કે હાઈ કમાન્ડ પર પ્રેશર બનાવવાનો પ્રયત્ન તેઓ કરી રહ્યા છે. સચિન પાયલને મુખ્યમંત્રી નહીં બનાવવા તેમજ રાજસ્થાનમાં તેમના સમર્થકોની સરકાર બને તેવું ઈચ્છી રહ્યા છે.


લોકો સામે એવો મેસેજ જાય છે કે હું મુખ્યમંત્રી પદ પર રહું

 સોનિયા ગાંધીની મુલાકાત માટે ગયેલા અશોક ગેહલોતે તેમને એવું કહ્યું કે, "જો હુઆ બહુત દુખદ હૈ, મૈં ભી બહુત આહત હું." સોનિયા ગાંધી સાથેની બેઠક બાદ અશોક ગેહલોતે કહ્યું હતું કે, સતત 50 વર્ષથી મને કોંગ્રેસે અનેક જવાબદારીઓ સોંપી છે તેમાં ઈંદિરા ગાંધી, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો પણ સમાવેશ થઈ જાય છે. કોંગ્રેસે મારા પર વિશ્વાસ રાખી મને મોટી જવાબદારીઓ સોંપી હતી જેને મેં બખૂબી નિભાવી છે. 



અધ્યક્ષ બનવા નહીં ભરે ગેહલોત પોતાનું ફોર્મ


ગાંધી પરિવારના વિશ્વાસુ મનાતા અશોક ગેહલોતે સોનિયા ગાંધી સાથે થયેલી મુલાકાત બાદ પોતાનું ફોર્મ અધ્યક્ષ પદની ચૂંટણી માટે નહીં ભરે તેવી જાહેરાત કરી છે.

 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.