સોનિયા ગાંધી સાથેની મુલાકાત બાદ પણ અશોક ગેહલોત પોતાની વાત પર મક્કમ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 15:25:44

કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થોડા સમયમાં યોજાવાની છે. ચૂંટણી પ્રક્રિયા શરૂ થતાની સાથે જ અનેક વિવાદો શરૂ થઈ ગયા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું નામ રાષ્ટ્રીય અધ્યક્ષ માટે ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ રાજસ્થાન સરકારમાં વિવાદ થવાને કારણે તેમણે પોતાનું નામ પાછું લઈ લીધું છે. કોંગ્રેસ હાઈકમાન્ડ સચિન પાયલટને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવા ઈચ્છે છે પરંતુ ગેહલોતના સમર્થકવાળા ધારાસભ્યોએ પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. આ બધા વચ્ચે અશોક ગેહલોત સોનિયા ગાંધીને મળવા દિલ્હી પહોંચ્યા છે. દિલ્હી એરપોર્ટ પર અશોક ગેહલતે કહ્યું કે રાજસ્થાનમાં ચાલી રહેલી ઊથલ-પાથલ ઘરનો મામલો છે, ઈન્ટર્નલ પોલિટક્સમાં આવું બધું ચાલતું રહે. અશોક ગેહલોતની રણનીતિ જોતા એવું લાગી રહ્યું છે કે હાઈ કમાન્ડ પર પ્રેશર બનાવવાનો પ્રયત્ન તેઓ કરી રહ્યા છે. સચિન પાયલને મુખ્યમંત્રી નહીં બનાવવા તેમજ રાજસ્થાનમાં તેમના સમર્થકોની સરકાર બને તેવું ઈચ્છી રહ્યા છે.


લોકો સામે એવો મેસેજ જાય છે કે હું મુખ્યમંત્રી પદ પર રહું

 સોનિયા ગાંધીની મુલાકાત માટે ગયેલા અશોક ગેહલોતે તેમને એવું કહ્યું કે, "જો હુઆ બહુત દુખદ હૈ, મૈં ભી બહુત આહત હું." સોનિયા ગાંધી સાથેની બેઠક બાદ અશોક ગેહલોતે કહ્યું હતું કે, સતત 50 વર્ષથી મને કોંગ્રેસે અનેક જવાબદારીઓ સોંપી છે તેમાં ઈંદિરા ગાંધી, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો પણ સમાવેશ થઈ જાય છે. કોંગ્રેસે મારા પર વિશ્વાસ રાખી મને મોટી જવાબદારીઓ સોંપી હતી જેને મેં બખૂબી નિભાવી છે. 



અધ્યક્ષ બનવા નહીં ભરે ગેહલોત પોતાનું ફોર્મ


ગાંધી પરિવારના વિશ્વાસુ મનાતા અશોક ગેહલોતે સોનિયા ગાંધી સાથે થયેલી મુલાકાત બાદ પોતાનું ફોર્મ અધ્યક્ષ પદની ચૂંટણી માટે નહીં ભરે તેવી જાહેરાત કરી છે.

 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.