સોનિયા ગાંધી સાથેની મુલાકાત બાદ પણ અશોક ગેહલોત પોતાની વાત પર મક્કમ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 15:25:44

કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થોડા સમયમાં યોજાવાની છે. ચૂંટણી પ્રક્રિયા શરૂ થતાની સાથે જ અનેક વિવાદો શરૂ થઈ ગયા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું નામ રાષ્ટ્રીય અધ્યક્ષ માટે ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ રાજસ્થાન સરકારમાં વિવાદ થવાને કારણે તેમણે પોતાનું નામ પાછું લઈ લીધું છે. કોંગ્રેસ હાઈકમાન્ડ સચિન પાયલટને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવા ઈચ્છે છે પરંતુ ગેહલોતના સમર્થકવાળા ધારાસભ્યોએ પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. આ બધા વચ્ચે અશોક ગેહલોત સોનિયા ગાંધીને મળવા દિલ્હી પહોંચ્યા છે. દિલ્હી એરપોર્ટ પર અશોક ગેહલતે કહ્યું કે રાજસ્થાનમાં ચાલી રહેલી ઊથલ-પાથલ ઘરનો મામલો છે, ઈન્ટર્નલ પોલિટક્સમાં આવું બધું ચાલતું રહે. અશોક ગેહલોતની રણનીતિ જોતા એવું લાગી રહ્યું છે કે હાઈ કમાન્ડ પર પ્રેશર બનાવવાનો પ્રયત્ન તેઓ કરી રહ્યા છે. સચિન પાયલને મુખ્યમંત્રી નહીં બનાવવા તેમજ રાજસ્થાનમાં તેમના સમર્થકોની સરકાર બને તેવું ઈચ્છી રહ્યા છે.


લોકો સામે એવો મેસેજ જાય છે કે હું મુખ્યમંત્રી પદ પર રહું

 સોનિયા ગાંધીની મુલાકાત માટે ગયેલા અશોક ગેહલોતે તેમને એવું કહ્યું કે, "જો હુઆ બહુત દુખદ હૈ, મૈં ભી બહુત આહત હું." સોનિયા ગાંધી સાથેની બેઠક બાદ અશોક ગેહલોતે કહ્યું હતું કે, સતત 50 વર્ષથી મને કોંગ્રેસે અનેક જવાબદારીઓ સોંપી છે તેમાં ઈંદિરા ગાંધી, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો પણ સમાવેશ થઈ જાય છે. કોંગ્રેસે મારા પર વિશ્વાસ રાખી મને મોટી જવાબદારીઓ સોંપી હતી જેને મેં બખૂબી નિભાવી છે. 



અધ્યક્ષ બનવા નહીં ભરે ગેહલોત પોતાનું ફોર્મ


ગાંધી પરિવારના વિશ્વાસુ મનાતા અશોક ગેહલોતે સોનિયા ગાંધી સાથે થયેલી મુલાકાત બાદ પોતાનું ફોર્મ અધ્યક્ષ પદની ચૂંટણી માટે નહીં ભરે તેવી જાહેરાત કરી છે.

 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.