Jammu-Kashmirમાં પણ શાળાઓને વાગી રહ્યા છે તાળા, આ કારણોસર વાલીઓ નથી મોકલતા પોતાના સંતાનને અભ્યાસ કરવા! જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2023-08-02 09:20:19

ગુજરાતમાં વણસી રહેલી શિક્ષણ વ્યવસ્થાની વાતો અનેક વખત કરતા હોઈએ છીએ. ગુજરાતમાં આવેલી સરકારી શાળાની હાલત એવી છે કે શાળામાં મોકલતા પહેલા માતા પિતા પણ દસ વખત વિચારતા હોય છે. અનેક સરકારી શાળાની બિલ્ડિંગ જર્જરિત હાલતમાં જોવા મળતી હોય છે. કોઈ શાળા સારી હોય તો એમાં ભણવા માટે વિદ્યાર્થીઓ ન હોય. કોઈ શાળામાં વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હોય તો ત્યાં શિક્ષક ન હોય. ત્યારે આજે વાત ગુજરાતની શાળાઓની નહીં પરંતુ જમ્મુ કાશ્મીરની શાળાઓની કરવી છે. 

શાળાની જર્જરિત હાલતને જોતા વાલીઓએ માર્યું શાળાને તાળું 

જમ્મુ કાશ્મીરથી એક શાળાની તસ્વીર સામે આવી છે જેમાં શાળાની બિલ્ડીંગ એકદમ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. આ શાળા ઉધામપુરમાં આવેલી છે અને શાળામાં 128 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાની બિલ્ડીંગ જર્જરિત હાલતમાં છે જેને કારણે સુરક્ષિત સ્થાન શોધવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, સુરક્ષિત જગ્યા શોધ્યા બાદ અભ્યાસ ફરીથી શરૂ કરવામાં આવશે. શાળાની જર્જરિત હાલતને જોતા અને બાળકની સુરક્ષાને ધ્યાનમાં રાખી શાળામાં તાળા વિદ્યાર્થીના માતા પિતાએ માર્યા હતા. જ્યારે આ મામલે સત્તાધીશોને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ મામલે તેઓ આગળ રજૂઆત કરશે,

 

જગ્યા ભલે અલગ હોય પરંતુ શિક્ષણની કથળતી પરિસ્થિતિ સરખી જ છે! 

મહત્વનું છે કે શિક્ષણ એક એવું જ્ઞાન છે જેની પર દરેક વિદ્યાર્થીનો હક છે. આપણે સર્વ શિક્ષણ અભિયાનની વાતો કરીએ છીએ, નારા લગાવીએ છીએ ત્યારે આવી શાળાઓ દાખલો બેસાડે છે રાજ્ય ભલે અલગ અલગ હોય પરંતુ શિક્ષણની પરિસ્થિતિ લગભગ દરેક રાજ્યોમાં તેમજ Union Territoryમાં સરખી હોય છે. શિક્ષણ માટે બાળકોએ પહેલા પણ સંઘર્ષ કરવો પડતો હતો આજે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.