Jammu-Kashmirમાં પણ શાળાઓને વાગી રહ્યા છે તાળા, આ કારણોસર વાલીઓ નથી મોકલતા પોતાના સંતાનને અભ્યાસ કરવા! જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2023-08-02 09:20:19

ગુજરાતમાં વણસી રહેલી શિક્ષણ વ્યવસ્થાની વાતો અનેક વખત કરતા હોઈએ છીએ. ગુજરાતમાં આવેલી સરકારી શાળાની હાલત એવી છે કે શાળામાં મોકલતા પહેલા માતા પિતા પણ દસ વખત વિચારતા હોય છે. અનેક સરકારી શાળાની બિલ્ડિંગ જર્જરિત હાલતમાં જોવા મળતી હોય છે. કોઈ શાળા સારી હોય તો એમાં ભણવા માટે વિદ્યાર્થીઓ ન હોય. કોઈ શાળામાં વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હોય તો ત્યાં શિક્ષક ન હોય. ત્યારે આજે વાત ગુજરાતની શાળાઓની નહીં પરંતુ જમ્મુ કાશ્મીરની શાળાઓની કરવી છે. 

શાળાની જર્જરિત હાલતને જોતા વાલીઓએ માર્યું શાળાને તાળું 

જમ્મુ કાશ્મીરથી એક શાળાની તસ્વીર સામે આવી છે જેમાં શાળાની બિલ્ડીંગ એકદમ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. આ શાળા ઉધામપુરમાં આવેલી છે અને શાળામાં 128 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાની બિલ્ડીંગ જર્જરિત હાલતમાં છે જેને કારણે સુરક્ષિત સ્થાન શોધવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, સુરક્ષિત જગ્યા શોધ્યા બાદ અભ્યાસ ફરીથી શરૂ કરવામાં આવશે. શાળાની જર્જરિત હાલતને જોતા અને બાળકની સુરક્ષાને ધ્યાનમાં રાખી શાળામાં તાળા વિદ્યાર્થીના માતા પિતાએ માર્યા હતા. જ્યારે આ મામલે સત્તાધીશોને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ મામલે તેઓ આગળ રજૂઆત કરશે,

 

જગ્યા ભલે અલગ હોય પરંતુ શિક્ષણની કથળતી પરિસ્થિતિ સરખી જ છે! 

મહત્વનું છે કે શિક્ષણ એક એવું જ્ઞાન છે જેની પર દરેક વિદ્યાર્થીનો હક છે. આપણે સર્વ શિક્ષણ અભિયાનની વાતો કરીએ છીએ, નારા લગાવીએ છીએ ત્યારે આવી શાળાઓ દાખલો બેસાડે છે રાજ્ય ભલે અલગ અલગ હોય પરંતુ શિક્ષણની પરિસ્થિતિ લગભગ દરેક રાજ્યોમાં તેમજ Union Territoryમાં સરખી હોય છે. શિક્ષણ માટે બાળકોએ પહેલા પણ સંઘર્ષ કરવો પડતો હતો આજે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.