Jammu-Kashmirમાં પણ શાળાઓને વાગી રહ્યા છે તાળા, આ કારણોસર વાલીઓ નથી મોકલતા પોતાના સંતાનને અભ્યાસ કરવા! જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2023-08-02 09:20:19

ગુજરાતમાં વણસી રહેલી શિક્ષણ વ્યવસ્થાની વાતો અનેક વખત કરતા હોઈએ છીએ. ગુજરાતમાં આવેલી સરકારી શાળાની હાલત એવી છે કે શાળામાં મોકલતા પહેલા માતા પિતા પણ દસ વખત વિચારતા હોય છે. અનેક સરકારી શાળાની બિલ્ડિંગ જર્જરિત હાલતમાં જોવા મળતી હોય છે. કોઈ શાળા સારી હોય તો એમાં ભણવા માટે વિદ્યાર્થીઓ ન હોય. કોઈ શાળામાં વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હોય તો ત્યાં શિક્ષક ન હોય. ત્યારે આજે વાત ગુજરાતની શાળાઓની નહીં પરંતુ જમ્મુ કાશ્મીરની શાળાઓની કરવી છે. 

શાળાની જર્જરિત હાલતને જોતા વાલીઓએ માર્યું શાળાને તાળું 

જમ્મુ કાશ્મીરથી એક શાળાની તસ્વીર સામે આવી છે જેમાં શાળાની બિલ્ડીંગ એકદમ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. આ શાળા ઉધામપુરમાં આવેલી છે અને શાળામાં 128 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાની બિલ્ડીંગ જર્જરિત હાલતમાં છે જેને કારણે સુરક્ષિત સ્થાન શોધવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, સુરક્ષિત જગ્યા શોધ્યા બાદ અભ્યાસ ફરીથી શરૂ કરવામાં આવશે. શાળાની જર્જરિત હાલતને જોતા અને બાળકની સુરક્ષાને ધ્યાનમાં રાખી શાળામાં તાળા વિદ્યાર્થીના માતા પિતાએ માર્યા હતા. જ્યારે આ મામલે સત્તાધીશોને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ મામલે તેઓ આગળ રજૂઆત કરશે,

 

જગ્યા ભલે અલગ હોય પરંતુ શિક્ષણની કથળતી પરિસ્થિતિ સરખી જ છે! 

મહત્વનું છે કે શિક્ષણ એક એવું જ્ઞાન છે જેની પર દરેક વિદ્યાર્થીનો હક છે. આપણે સર્વ શિક્ષણ અભિયાનની વાતો કરીએ છીએ, નારા લગાવીએ છીએ ત્યારે આવી શાળાઓ દાખલો બેસાડે છે રાજ્ય ભલે અલગ અલગ હોય પરંતુ શિક્ષણની પરિસ્થિતિ લગભગ દરેક રાજ્યોમાં તેમજ Union Territoryમાં સરખી હોય છે. શિક્ષણ માટે બાળકોએ પહેલા પણ સંઘર્ષ કરવો પડતો હતો આજે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .