આખરે RLDના નેતા જયંત ચૌધરી પણ NDAમાં જોડાયા, I.N.D.I.A.ગઠબંધનને મોટો ઝટકો


  • Published By :
  • Published Date : 2024-02-12 18:58:54

રાષ્ટ્રીય લોકદળ (RLD)ના વડા જયંત ચૌધરી આખરે NDAમાં જોડાઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી તેમના ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની જાહેરાત બાદ, જયંત ચૌધરી ભારત ગઠબંધન છોડીને ભાજપની આગેવાની હેઠળના NDA સાથે જશે તે નિશ્ચિત માનવામાં આવતું હતું. હવે આ સમાચારને સમર્થન મળ્યું છે. જયંત ચૌધરી આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ સાથે ઉભા જોવા મળશે. આ અંગે જયંત ચૌધરીએ કહ્યું કે મેં મારા તમામ ધારાસભ્યો સાથે વાત કરી છે. અમારે થોડા સમયમાં જ આ નિર્ણય લેવો પડ્યો કારણ કે સંજોગો એવા હતા. તેમણે કહ્યું કે અમારા તમામ ધારાસભ્યો અને કાર્યકર્તાઓ આ નિર્ણયમાં અમારી સાથે છે.


PM મોદીની કરી પ્રસંશા


જયંત ચૌધરીને ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે હાથ મિલાવવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, 'શું હવે કાંઈ બાકી રહ્યું છે? આજે હું તમારા સવાલોનો ઇન્કાર કયા મોંઢો કરી શકું? મોદીના વખાણ કરતા ચૌધરીએ કહ્યું કે વડાપ્રધાનની દૂરંદેશી અને સમર્પણના કારણે એવો નિર્ણય લેવામાં આવ્યો જે અગાઉની કોઈપણ સરકાર લઈ શકી ન હતી. દેશ માટે આ એક મોટો દિવસ છે. આ મારા માટે ભાવનાત્મક અને યાદગાર ક્ષણ છે. હું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ભારત સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું કે જેમણે દૂરંદેશી બતાવી અને આ નિર્ણય લીધો અને (ચૌધરી ચરણ સિંહ)ને ભારત રત્નથી સન્માનિત કર્યા.


ચરણ સિંહને ભારત રત્ન અને BJP સાથે ગઠબંધન વચ્ચે કોઈ સંબંધ નથી


જયંત ચૌધરીને જ્યારે ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન અપાયો તેના કારણે ભાજપ સાથે આગામી લોકસભાની ચૂંટણી લડવા સાથે જોડવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “આપણે ચૂંટણી જીતીએ કે હારીએ, હું ગઠબંધનમાં જાઉં કે નહીં, તે પ્રશ્ન નથી, આજનો નિર્ણય પેઢીઓ માટે યાદગાર રહેશે. જો આ કોંગ્રેસ પાર્ટીનું નિવેદન છે તો હું તેની ટીકા કરું છું.”



લીંબડી સર્કલ પર આવેલા ઓવરબ્રિજ પર આઠથી દસ ફૂટનું ગાબડું પડતા એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે તંત્રએ મરામતની કામગીરી હાથ ધરી છે. મહત્વનું છે કે જે બ્રિજ પર ગાબડા પડવાની ઘટના સામે આવી છે તે બ્રિજને બને એક વર્ષ પણ નથી થયું , ત્યાં આ રીતે ગાબડું પડતા બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે.

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.