આખરે RLDના નેતા જયંત ચૌધરી પણ NDAમાં જોડાયા, I.N.D.I.A.ગઠબંધનને મોટો ઝટકો


  • Published By :
  • Published Date : 2024-02-12 18:58:54

રાષ્ટ્રીય લોકદળ (RLD)ના વડા જયંત ચૌધરી આખરે NDAમાં જોડાઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી તેમના ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની જાહેરાત બાદ, જયંત ચૌધરી ભારત ગઠબંધન છોડીને ભાજપની આગેવાની હેઠળના NDA સાથે જશે તે નિશ્ચિત માનવામાં આવતું હતું. હવે આ સમાચારને સમર્થન મળ્યું છે. જયંત ચૌધરી આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ સાથે ઉભા જોવા મળશે. આ અંગે જયંત ચૌધરીએ કહ્યું કે મેં મારા તમામ ધારાસભ્યો સાથે વાત કરી છે. અમારે થોડા સમયમાં જ આ નિર્ણય લેવો પડ્યો કારણ કે સંજોગો એવા હતા. તેમણે કહ્યું કે અમારા તમામ ધારાસભ્યો અને કાર્યકર્તાઓ આ નિર્ણયમાં અમારી સાથે છે.


PM મોદીની કરી પ્રસંશા


જયંત ચૌધરીને ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે હાથ મિલાવવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, 'શું હવે કાંઈ બાકી રહ્યું છે? આજે હું તમારા સવાલોનો ઇન્કાર કયા મોંઢો કરી શકું? મોદીના વખાણ કરતા ચૌધરીએ કહ્યું કે વડાપ્રધાનની દૂરંદેશી અને સમર્પણના કારણે એવો નિર્ણય લેવામાં આવ્યો જે અગાઉની કોઈપણ સરકાર લઈ શકી ન હતી. દેશ માટે આ એક મોટો દિવસ છે. આ મારા માટે ભાવનાત્મક અને યાદગાર ક્ષણ છે. હું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ભારત સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું કે જેમણે દૂરંદેશી બતાવી અને આ નિર્ણય લીધો અને (ચૌધરી ચરણ સિંહ)ને ભારત રત્નથી સન્માનિત કર્યા.


ચરણ સિંહને ભારત રત્ન અને BJP સાથે ગઠબંધન વચ્ચે કોઈ સંબંધ નથી


જયંત ચૌધરીને જ્યારે ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન અપાયો તેના કારણે ભાજપ સાથે આગામી લોકસભાની ચૂંટણી લડવા સાથે જોડવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “આપણે ચૂંટણી જીતીએ કે હારીએ, હું ગઠબંધનમાં જાઉં કે નહીં, તે પ્રશ્ન નથી, આજનો નિર્ણય પેઢીઓ માટે યાદગાર રહેશે. જો આ કોંગ્રેસ પાર્ટીનું નિવેદન છે તો હું તેની ટીકા કરું છું.”



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.