ચૂંટણીના પરિણામ પહેલા Exit Pollના આંકડા પર સૌ કોઈની નજર, શું ભાજપ 400નો આંકડો પાર કરી શકશે?


  • Published By :
  • Published Date : 2024-06-01 17:59:06

દેશમાં આજે અંતિમ તબક્કા માટેનું મતદાન થઈ રહ્યું છે. 6 વાગે મતદાન પૂર્ણ થશે અને તે બાદ એક્ઝિટ પોલ આવવાની શરૂઆત થઈ જશે.. દરેકની નજર આ એક્ઝિટ પોલ પર છે કારણ કે આના આંકડા પરથી અંદાજો આવી જતો હોય છે કે ચૂંટણીનું પરિણામ શું આવવાનું છે.. ચોથી જૂને ચૂંટણીનું પરિણામ આવવાનું છે. સી વોટર એક્ઝિટ પોલ, માઈ એક્સિસ તેમજ ચાણક્યના એક્ઝિટ પોલ મહદ અંશે સાચા સાબિત થતા હોય છે.. ભાજપને ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન અને વિપક્ષના ઈન્ડિયા ગઠબંધન વચ્ચે મુખ્ય મુકાબલો છે. ગુજરાતની 25 બેઠકો પર સૌ કોઈની નજર છે.. 


કોનો આશાવાદ સાચો સાબિત થશે? 

28 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિ પ્રદેશોની 543 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. સાત તબક્કા અંતર્ગત મતદાન થયું હતું કે ટૂંક સમયમાં એક્ઝિટ પોલ આવી જશે. આ વખતે ભાજપ 400 પાર જશે તેવી આશા ભાજપના નેતાઓ દ્વારા લગાવવામાં આવી રહી છે તો બીજી તરફ ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તેવો આશાવાદ ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. 


કોંગ્રેસે બદલ્યો પોતાનો નિર્ણય

એક્ઝિટ પોલ શરૂ થાય તે પહેલા કોંગ્રેસ દ્વારા નિર્ણય બદલવામાં આવ્યો છે. પહેલા ડિબેટમાં કોંગ્રેસના પ્રવક્તા બેસવાના ના હતા પરંતુ હવે તે બેસવાના છે.. મલ્લિકાર્જુન ખડગેએ નિવેદન આપ્યું કે ઈન્ડિયા ગઠબંધનને 295 સીટો મળશે.. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.