દરેકે મંદિરમાં ચઢાવાતા શ્રીફળથી આટલી વસ્તુ શીખવી જોઈએ


  • Published By :
  • Published Date : 2022-12-03 17:40:01

આપણે જ્યારે મંદિરે જઈએ છીએ ત્યારે પ્રસાદના ભાગરૂપે શ્રીફળ આપણે અવશ્ય લઈને જતા હોઈએ છીએ. શ્રીફળને વૈભવનું પ્રતિક માનવામાં આવે છે. વૈભવ એટલે શ્રી. શ્રીનો અર્થ થાય છે લક્ષ્મી. મંદિરમાં દેવ સમક્ષ નારિયેળ વધેરવામાં આવે છે. આપણે ત્યાં જ્યારે પણ કોઈ ધાર્મિક પસંગ થાય અથવા તો પૂજા હોય તે દરમિયાન બલિદાન આપવાની પરંપરા હોય છે. પશુઓની બલી ન આપવી પડે તે માટે વિશ્વામિત્ર ઋષિએ નારીયેળની બલીદાન આપવાનું સૂચન કર્યું. નાળિયેલનું પણ માથું હોય છે, મોઢું, ચોટલી, નાક હોય છે. જેને કારણે યજ્ઞમાં શ્રીફળ હોમાવાનું શરૂ થયું. 

coconut is considered auspicious in religious event - શુભ કાર્યમાં શ્રીફળ  ફોડવું માનવામાં આવે છે પવિત્ર – News18 Gujarati

coconut Second World War Japan History Health care બીજા વિશ્વયુદ્ધમાં કોણે  ફેંક્યા હતા નારિયેળ બોમ્બ? કઈ રીતે નામ પડ્યું શ્રીફળ? જાણો નારિયેળ વિશે  મજાની વાત

નારિયેળ એટલે કે શ્રીફળમાંથી આપણે સંદેશો લેવો જોઈએ. શ્રીફળ દરિયાકીનારે ઉગે છે. ખારા પાણીથી તેનું પોષણ થાય છે. પરંતુ સમુદ્રના પાણીની ખારાશ તેમાં આવતી નથી. શ્રીફળ આપણને તો ઠંડુ, મધુર પાણી, આપે છે. આપણે પણ શ્રીફળમાંથી એ ગુણ શીખવા જેવો છે. તમારી સાથે ગમે તેટલો કડવો અનુભવ થયો હોય પરંતુ સામે વાળી વ્યક્તિને હમેશાં મીઠા પાણીની જેમ મધુરતા આપો. ઉપરાંત શ્રીફળમાંથી બીજી શીખવા જેવી વસ્તુએ છે બહારથી ગમે તેટલા પણ કઠોર હોવ પરંતુ અંદરથી મુલાયામ રહેવું જોઈએ. સજ્જન લોકો બહારથી કઠોર હોય છે પરંતુ તેમનું દિલ અંદરથી કોમળ હોય છે. 

કોઇપણ શુભ કાર્ય કરતા પહેલા નાળિયેર શા માટે વધેરવામાં આવે છે જાણો તેની પાછળ  નું કારણ. - Gujarat Page

શ્રીફળની મહત્તા સમજાવવા એક આખી પૂર્ણિમા તેને સમર્પિત કરી દેવામાં આવી છે. શ્રાવણ મહિનાની પૂનમને નારિયેળી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસથી માછીમારો અને દરિયાખેડૂઓ પોતાના રોજગારની શરૂઆત કરે છે. ખુશાલી માટે દરિયાદેવને શ્રીફળ અર્પણ કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે ઘરમાં શ્રીફળ રાખવાથી સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. નારીયેળ દ્વીપમાંથી આવતો હોવાથી તેને નાળીયેળ કહેવામાં આવે છે. . 




પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.