દરેકે મંદિરમાં ચઢાવાતા શ્રીફળથી આટલી વસ્તુ શીખવી જોઈએ


  • Published By :
  • Published Date : 2022-12-03 17:40:01

આપણે જ્યારે મંદિરે જઈએ છીએ ત્યારે પ્રસાદના ભાગરૂપે શ્રીફળ આપણે અવશ્ય લઈને જતા હોઈએ છીએ. શ્રીફળને વૈભવનું પ્રતિક માનવામાં આવે છે. વૈભવ એટલે શ્રી. શ્રીનો અર્થ થાય છે લક્ષ્મી. મંદિરમાં દેવ સમક્ષ નારિયેળ વધેરવામાં આવે છે. આપણે ત્યાં જ્યારે પણ કોઈ ધાર્મિક પસંગ થાય અથવા તો પૂજા હોય તે દરમિયાન બલિદાન આપવાની પરંપરા હોય છે. પશુઓની બલી ન આપવી પડે તે માટે વિશ્વામિત્ર ઋષિએ નારીયેળની બલીદાન આપવાનું સૂચન કર્યું. નાળિયેલનું પણ માથું હોય છે, મોઢું, ચોટલી, નાક હોય છે. જેને કારણે યજ્ઞમાં શ્રીફળ હોમાવાનું શરૂ થયું. 

coconut is considered auspicious in religious event - શુભ કાર્યમાં શ્રીફળ  ફોડવું માનવામાં આવે છે પવિત્ર – News18 Gujarati

coconut Second World War Japan History Health care બીજા વિશ્વયુદ્ધમાં કોણે  ફેંક્યા હતા નારિયેળ બોમ્બ? કઈ રીતે નામ પડ્યું શ્રીફળ? જાણો નારિયેળ વિશે  મજાની વાત

નારિયેળ એટલે કે શ્રીફળમાંથી આપણે સંદેશો લેવો જોઈએ. શ્રીફળ દરિયાકીનારે ઉગે છે. ખારા પાણીથી તેનું પોષણ થાય છે. પરંતુ સમુદ્રના પાણીની ખારાશ તેમાં આવતી નથી. શ્રીફળ આપણને તો ઠંડુ, મધુર પાણી, આપે છે. આપણે પણ શ્રીફળમાંથી એ ગુણ શીખવા જેવો છે. તમારી સાથે ગમે તેટલો કડવો અનુભવ થયો હોય પરંતુ સામે વાળી વ્યક્તિને હમેશાં મીઠા પાણીની જેમ મધુરતા આપો. ઉપરાંત શ્રીફળમાંથી બીજી શીખવા જેવી વસ્તુએ છે બહારથી ગમે તેટલા પણ કઠોર હોવ પરંતુ અંદરથી મુલાયામ રહેવું જોઈએ. સજ્જન લોકો બહારથી કઠોર હોય છે પરંતુ તેમનું દિલ અંદરથી કોમળ હોય છે. 

કોઇપણ શુભ કાર્ય કરતા પહેલા નાળિયેર શા માટે વધેરવામાં આવે છે જાણો તેની પાછળ  નું કારણ. - Gujarat Page

શ્રીફળની મહત્તા સમજાવવા એક આખી પૂર્ણિમા તેને સમર્પિત કરી દેવામાં આવી છે. શ્રાવણ મહિનાની પૂનમને નારિયેળી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસથી માછીમારો અને દરિયાખેડૂઓ પોતાના રોજગારની શરૂઆત કરે છે. ખુશાલી માટે દરિયાદેવને શ્રીફળ અર્પણ કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે ઘરમાં શ્રીફળ રાખવાથી સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. નારીયેળ દ્વીપમાંથી આવતો હોવાથી તેને નાળીયેળ કહેવામાં આવે છે. . 




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી