ઓનલાઈન વીડિયો વાયરલ કર્યા બાદ માજી સૈનિકે જમાવટની મદદ માગી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-02 09:59:39

સ્ટોરી- સમીર પરમાર.


ટૂંક સમયમાં જ્યારે આપણે દિવાળી ઉજવીશું ત્યારે સરહદ પર સૈનિકો પોતાની ફરજ બજાવી રહ્યા હશે. રાત-દિવસ, ઠંડી-ગરમીની ચિંતા નહીં કરી દેશ માટે સરહદ પર સેવા આપતા હોય છે.  ગુજરાત સરકારથી નારાજ માજી સૈનિકનો વીડિયો હમણા સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ભૂપેન્દ્ર પટેલ સરકારે માજી સૈનિકની માગણી નહીં સ્વીકારતા માજી સૈનિક જમાવટ મીડિયા પાસે મદદ માગી હતી. જમાવટ મીડિયાએ માજી સૈનિકની વ્યથા ધ્યાનથી સાંભળી મુદ્દો ઉઠાવવાની બાહેંધરી આપી હતી.  


શું છે માજી સૈનિકોની ગુજરાત સરકાર પાસે માગ?

ગત ઘણા સમયથી ગુજરાત માજી સૈનિક એસોસિયેશન ગુજરાત સરકાર સામે પોતાની માગ સાથે લડતા રહેતા હોય છે. ભારતીય બંધારણમાં માજી સૈનિકોને સરકારી ભરતીમાં 10 ટકા અનામતની જોગવાઈ કર્યા બાદ પણ ગુજરાત સરકાર માજી સૈનિકોને અનામત નહીં આપતા માજી સૈનિકે જમાવટ મીડિયાનો સંપર્ક કર્યો હતો. તેમણે પોતાની માગ જમાવટ સામે જણાવતા કહ્યું હતું કે, "ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને એક આઈપીએસ અધિકારીને પણ રજૂઆત કર્યા બાદ પણ અનામતનો લાભ અપાયો ન હતો. અંતે અમે હાઈકોર્ટમાં અરજી કરી પોતાની વ્યથા હાઈકોર્ટને કહી ત્યારે હાઈકોર્ટે માજી સૈનિક એસોસિયેશનના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ પણ અનામત ન મળતા ગુજરાત સરકારનો સંપર્ક કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુદ્દો ધ્યાનપૂર્વ સાંભળી સાંત્વના આપી હતી. પરંતુ ગુજરાત સરકારે માજી સૈનિકોના હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કૉર્ટમાં પડકાર્યો છે. હવે અમે શું કરીએ?" 


ગુજરાત સરકારથી કંટાળી માજી સૈનિકે વ્યથા ઠાલવતા જમાવટ મીડિયાને જણાવ્યું હતું કે, "આ સરકાર ગુજરાતના માજી સૈનિકોનું નથી ગાંઠતી તો સામાન્ય લોકોની શું હાલત હશે વિચારો જરા." ગુજરાત સરકાર માજી સૈનિકના મુદ્દા સમયાંતરે સાંભળતી સમાધાન લાવતી હોય છે પરંતુ આ સમયે માજી સૈનિક એસોસિયેશન લડી લેવાના મૂડમાં હોય તેવું જણાઈ રહ્યું છે



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.