ઓનલાઈન વીડિયો વાયરલ કર્યા બાદ માજી સૈનિકે જમાવટની મદદ માગી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-02 09:59:39

સ્ટોરી- સમીર પરમાર.


ટૂંક સમયમાં જ્યારે આપણે દિવાળી ઉજવીશું ત્યારે સરહદ પર સૈનિકો પોતાની ફરજ બજાવી રહ્યા હશે. રાત-દિવસ, ઠંડી-ગરમીની ચિંતા નહીં કરી દેશ માટે સરહદ પર સેવા આપતા હોય છે.  ગુજરાત સરકારથી નારાજ માજી સૈનિકનો વીડિયો હમણા સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ભૂપેન્દ્ર પટેલ સરકારે માજી સૈનિકની માગણી નહીં સ્વીકારતા માજી સૈનિક જમાવટ મીડિયા પાસે મદદ માગી હતી. જમાવટ મીડિયાએ માજી સૈનિકની વ્યથા ધ્યાનથી સાંભળી મુદ્દો ઉઠાવવાની બાહેંધરી આપી હતી.  


શું છે માજી સૈનિકોની ગુજરાત સરકાર પાસે માગ?

ગત ઘણા સમયથી ગુજરાત માજી સૈનિક એસોસિયેશન ગુજરાત સરકાર સામે પોતાની માગ સાથે લડતા રહેતા હોય છે. ભારતીય બંધારણમાં માજી સૈનિકોને સરકારી ભરતીમાં 10 ટકા અનામતની જોગવાઈ કર્યા બાદ પણ ગુજરાત સરકાર માજી સૈનિકોને અનામત નહીં આપતા માજી સૈનિકે જમાવટ મીડિયાનો સંપર્ક કર્યો હતો. તેમણે પોતાની માગ જમાવટ સામે જણાવતા કહ્યું હતું કે, "ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને એક આઈપીએસ અધિકારીને પણ રજૂઆત કર્યા બાદ પણ અનામતનો લાભ અપાયો ન હતો. અંતે અમે હાઈકોર્ટમાં અરજી કરી પોતાની વ્યથા હાઈકોર્ટને કહી ત્યારે હાઈકોર્ટે માજી સૈનિક એસોસિયેશનના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ પણ અનામત ન મળતા ગુજરાત સરકારનો સંપર્ક કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુદ્દો ધ્યાનપૂર્વ સાંભળી સાંત્વના આપી હતી. પરંતુ ગુજરાત સરકારે માજી સૈનિકોના હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કૉર્ટમાં પડકાર્યો છે. હવે અમે શું કરીએ?" 


ગુજરાત સરકારથી કંટાળી માજી સૈનિકે વ્યથા ઠાલવતા જમાવટ મીડિયાને જણાવ્યું હતું કે, "આ સરકાર ગુજરાતના માજી સૈનિકોનું નથી ગાંઠતી તો સામાન્ય લોકોની શું હાલત હશે વિચારો જરા." ગુજરાત સરકાર માજી સૈનિકના મુદ્દા સમયાંતરે સાંભળતી સમાધાન લાવતી હોય છે પરંતુ આ સમયે માજી સૈનિક એસોસિયેશન લડી લેવાના મૂડમાં હોય તેવું જણાઈ રહ્યું છે



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.