બ્રેકિંગ ન્યુઝ: પૂર્વ IPS અધિકારી રાકેશ અસ્થાનાની રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં નિમણૂક, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-01 20:27:42

ગુજરાતના પૂર્વ IPS અધિકારી રાકેશ અસ્થાનાને મોટી જવાબદારી મળી છે, વર્ષ 1984 બેંચના ભારતીય પોલીસ સેવા (IPS)ના અધિકારી રાકેશ અસ્થાનાને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં જવાબદારી મળી છે. કેન્દ્ર સરકારે બનાવેલી 7 સભ્યોની મોનિટર ટીમમાં રાકેશ અસ્થાનાની પણ નિમણૂક કરવામાં આવી છે. રાકેશ અસ્થાનાને માનવ અધિકાર પંચના સ્પેશિયલ મોનિટર બનાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે બનાવેલી 7 સભ્યોની મોનિટર ટીમ આતંકવાદ સહિતની 3-4 બાબતો પર ખાસ ધ્યાન આપશે. રાકેશ અસ્થાનાની IPS અધિકારી તરીકેની લાંબી કારકિર્દી અને આતંક વિરોધી કાર્યવાહીઓ મામલે તેમના અનુભવને જોતા ટીમમાં તેમની નિમણૂક કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

કોણ છે રાકેશ અસ્થાના?


રાકેશ અસ્થાના 1984 બેંચના પૂર્વ  IPS અધિકારી છે. સુરત કમિશનર તરીકે કાર્યભાર સંભાળતા જ તેમણે આસારામ સંત કેસમાં મહત્ત્વની તપાસ પોતાની દેખરેખ હેઠળ શરૂ કરી હતી, જેમાં આસારામ અને તેના દીકરાની ધરપકડ કરવામાં આવી હતી. જેઓ અત્યારે BSFના DG અને NCBના વડા તરીકે પણ  તેમણે સેવા આપી હતી. રાકેશ અસ્થાનાએ અધિકારી છે, જેમની દેખરેખમાં સુશાંત સિંહ રિયા ચક્રવર્તી ડ્રગ્સ કનેક્શન કેસમાં બે FIR દાખલ થઈ હતી. આ અગાઉ રાકેશ અસ્થાના CBIમાં સ્પેશિયલ ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે. એ સમયે CBI વડા આલોક વર્મા અને અસ્થાના વચ્ચે વિવાદે વ્યાપક ચર્ચા જગાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાકેશ અસ્થાના નિવૃતિના થોડા દિવસ પહેલા જ દિલ્હી પોલીસના નવા કમિશનર તરીકે નિમણૂક પામ્યા હતા. અસ્થાનાને PM નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહના ખૂબ નજીકના માનવામાં આવે છે.

                                                                                                                        



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.