બ્રેકિંગ ન્યુઝ: પૂર્વ IPS અધિકારી રાકેશ અસ્થાનાની રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં નિમણૂક, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-01 20:27:42

ગુજરાતના પૂર્વ IPS અધિકારી રાકેશ અસ્થાનાને મોટી જવાબદારી મળી છે, વર્ષ 1984 બેંચના ભારતીય પોલીસ સેવા (IPS)ના અધિકારી રાકેશ અસ્થાનાને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં જવાબદારી મળી છે. કેન્દ્ર સરકારે બનાવેલી 7 સભ્યોની મોનિટર ટીમમાં રાકેશ અસ્થાનાની પણ નિમણૂક કરવામાં આવી છે. રાકેશ અસ્થાનાને માનવ અધિકાર પંચના સ્પેશિયલ મોનિટર બનાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે બનાવેલી 7 સભ્યોની મોનિટર ટીમ આતંકવાદ સહિતની 3-4 બાબતો પર ખાસ ધ્યાન આપશે. રાકેશ અસ્થાનાની IPS અધિકારી તરીકેની લાંબી કારકિર્દી અને આતંક વિરોધી કાર્યવાહીઓ મામલે તેમના અનુભવને જોતા ટીમમાં તેમની નિમણૂક કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

કોણ છે રાકેશ અસ્થાના?


રાકેશ અસ્થાના 1984 બેંચના પૂર્વ  IPS અધિકારી છે. સુરત કમિશનર તરીકે કાર્યભાર સંભાળતા જ તેમણે આસારામ સંત કેસમાં મહત્ત્વની તપાસ પોતાની દેખરેખ હેઠળ શરૂ કરી હતી, જેમાં આસારામ અને તેના દીકરાની ધરપકડ કરવામાં આવી હતી. જેઓ અત્યારે BSFના DG અને NCBના વડા તરીકે પણ  તેમણે સેવા આપી હતી. રાકેશ અસ્થાનાએ અધિકારી છે, જેમની દેખરેખમાં સુશાંત સિંહ રિયા ચક્રવર્તી ડ્રગ્સ કનેક્શન કેસમાં બે FIR દાખલ થઈ હતી. આ અગાઉ રાકેશ અસ્થાના CBIમાં સ્પેશિયલ ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે. એ સમયે CBI વડા આલોક વર્મા અને અસ્થાના વચ્ચે વિવાદે વ્યાપક ચર્ચા જગાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાકેશ અસ્થાના નિવૃતિના થોડા દિવસ પહેલા જ દિલ્હી પોલીસના નવા કમિશનર તરીકે નિમણૂક પામ્યા હતા. અસ્થાનાને PM નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહના ખૂબ નજીકના માનવામાં આવે છે.

                                                                                                                        



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી