પૂર્વ IPS સંજીવ ભટ્ટે આજીવન જેલમાં વિતાવવું પડશે, HCએ અપીલ ફગાવી, નીચલી કોર્ટનો ફેંસલો યથાવત રાખ્યો


  • Published By :
  • Published Date : 2024-01-09 21:29:42

પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને ગુજરાત હાઈકોર્ટે મંગળવારે મોટો ઝટકો આપ્યો છે. તેમણે 1990 માં કથિત કસ્ટડીમાં યાતના અને મૃત્યુના કેસમાં જામનગરની કોર્ટ દ્વારા આપવામાં આવેલી આજીવન કેદની સજાને હાઈકોર્ટમાં પડકારી હતી. કસ્ટોડીયલ ડેથના કેસમાં જામનગર સેશન્સ કોર્ટે આપેલી આજીવન કેદની સજા પણ હાઈકોર્ટે યથાવત રાખી છે. તેમની અરજીને ફગાવી દેતા જસ્ટિસ આશુતોષ શાસ્ત્રી અને જસ્ટિસ સંદીપ ભટ્ટની ડિવિઝન બેન્ચે જણાવ્યું કે, “ટ્રાયલ કોર્ટે અપીલકર્તાઓને યોગ્ય રીતે દોષિત ઠેરવ્યા છે. "અમે આ નિર્ણયને સમર્થન આપીએ છીએ અને અપીલ ફગાવી દેવામાં આવે છે." ઉલ્લેખનિય છે કે 1990ના કેસમાં સેશન્સ કોર્ટે ભટ્ટને સજા સંભળાવી હતી.


સમગ્ર મામલો શું છે?


30 ઓક્ટોબર, 1990ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. તત્કાલિન ભાજપ પ્રમુખ લાલકૃષ્ણ અડવાણીની ધરપકડના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન જામનગરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા બાદ ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટે આતંકવાદી અને વિઘટનકારી પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (TADA) હેઠળ લગભગ 133 લોકોની અટકાયત કરી હતી. દરમિયાન, અટકાયત કરાયેલ વ્યક્તિઓમાંથી એક, પ્રભુદાસ વૈશ્નાનું, કસ્ટડીમાંથી મુક્ત થયા પછી મૃત્યુ થયું હતું. તેમના પરિવારનો આરોપ છે કે ભટ્ટ અને અન્ય પોલીસકર્મીઓએ તેમને કસ્ટડીમાં ટોર્ચર કર્યા હતા.   પરિવારનો આરોપ છે કે પ્રભુદાસ વૈશ્નાને પાણી પણ પીવા દેવામાં આવ્યું ન હતું, જેના કારણે પ્રભુદાસ વૈશ્નાની કિડની બગડી ગઈ હતી. પ્રભુદાસ વૈશ્ના નવ દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રહ્યા બાદ જામીન પર છૂટ્યા હતા જો કે તેમની કિડની ફેલ થવાથી મૃત્યુ થયું હતું. ત્યારબાદ કસ્ટોડિયલ ડેથ માટે સંજીવ ભટ્ટ અને અન્ય અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને 1995માં મેજિસ્ટ્રેટ દ્વારા સંજ્ઞાન લેવામાં આવ્યું હતું.



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."