ભરૂચના ભાજપના મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ સામે નોંધાઈ FIR, મહિલા નેતા પર કાર્યકરનું શારીરિક શોષણનો આરોપ, અફેરએ શહેરમાં ચર્ચા જગાવી


  • Published By :
  • Published Date : 2023-06-19 22:54:29

રાજકારણના દુશ્મનીના કિસ્સાઓ તો તમે ખૂબ સાંભળ્યા હશે પણ ભરૂચમાં મહિલા નેતાજીના પોતાના કાર્યકર સાથેના જ ચક્કરની ચર્ચાએ રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. બધા લોકો આ વિષય પર જ વાતો કરી રહ્યા છે. કારણ કે આ કિસ્સામાં થયું એવું છે કે ભરૂચ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ  પોતાના જ કાર્યકર સાથે ધરાર શારીરિક સંબંધો બંધાવતા, ધમકી પણ મારતા હતા કે જો તું આ વાત કોઈને કરીશ તો તને તારા ગામ અને સમાજમાં બદનામ કરી નાખીશ. વિગતવાર વાત કરીએ મહિલા નેતાએ કાર્યકર સાથે શરીર સુખની માગણીઓ કરીને શારીરિક અને માનસિક રીતે રીતે હેરાન કર્યો હતો. 


મહિલા નેતા યુવકથી 10 વર્ષ મોટા


ભરૂચના રાજકારણમાં આ શું થઈ રહ્યું છે એ જ નથી સમજાઈ રહ્યું. ભરૂચ જિલ્લાના ભાજપના મહિલા મોરચાના પ્રમુખ પોતાના જ કાર્યકરના પ્રેમમાં પડી ગયા છે. યુવકના કહ્યા મુજબ ન માત્ર પ્રેમમાં પડ્યા પણ અનેકવાર કાર્યકર સાથે શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. સેક્સ બાદ ધમકીઓ પણ આપી કે જો આ વાત બહાર આવશે તો યુવાનને તે બદનામ કરી દેશે. કામાતુર મહિલા નેતાથી તેમના કાર્યકર 10 વર્ષ મોટા છે. આ મહિલાની રાજકીય પાર્ટીની વાત કરીએ તો સામે આવે છે કે પહેલા તે કોંગ્રેસમાં હતા પણ ત્યાર બાદ ભાજપમાં જોડાઈ ગયા હતા. પણ જેવી આ મહિલા નેતાના સેક્સ કાંડની વાત સામે આવી તો તેણે પક્ષ પણ છોડી દીધો છે. 


અનેક વખત શારીરિક સંબંધો બાંધ્યા


મળતી વિગત મુજબ ત્રણ વર્ષ પહેલા બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ધીમે ધીમે મળવાનું શરુ થયું અને આ મુલાકાત પ્રેમમાં ફેરવાઈ અને પ્રેમ પછી શરૂ થયા શરીર સંબંધો. પોતાની સાથે સંબંધમાં રહેવા માટે પુરુષને ભરૂચમાં મકાન લઈ આપવાની વગેરે પણ લાલચ આપી હતી. મહિલાના પતિ જ્યારે હાજર ન હોય ત્યારે મહિલા નેતા તેના કાર્યકર મિત્રને ઘરે બોલાવતા હતા અને સંબંધો બાંધતા હતા. એવું પણ થતું હતું કે અનેકવાર મેસેજ કરીને અને ફોન કરીને પણ બોલાવતા હતા અને પછી શું થતું હશે તમે જાતે જ સમજી જાવ. મહિલા નેતા કાર્યકરને ગાંધીનગર ખાતે પોતાના મકાનમાં પણ અવાર નવાર લઈ જતા હતા અને ત્યાં પણ સંબંધો બંધાવતા હતા. એકવાર તો એસયુવી કારની અંદર પણ સંબંધ બાંધ્યો હતો.


અંતે કંટાળીને યુવકે ફરિયાદ નોંધાવી


જો કે મહિલા નેતા સાથે અનેક વખતના શારીરિક સંબંધોથી તે કાર્યકર યુવાન પણ ગળે આવી ગયો હતો. તે મહિલા નેતાને સંબંધો બાંધવા માટે અને સાથે રહેવા માટે મનાઈ કરવા લાગ્યો તો તેણે ધમકી આપી કે જો ના પાડીશ તો તે તને હેરાન કરી નાખશે. પોલીસ ફરિયાદ મુજબ કાર્યકરે પોલીસને ભરૂચ સાઈબર ક્રાઈમમાં પણ ફરિયાદ નોંધાવી હતી પણ કંઈ થયું નહીં. આ બંને વચ્ચેના સંબંધો મહિલા નેતાના ડ્રાઈવરથી લઈ કામવાળી બાઈ પણ જાણતા હતા. ફરિયાદ વાંચીએ તો ખબર પડે કે કાર્યકરને પોલીસ સુધી પહોંચવાનો વારો એટલા માટે આવ્યો કારણ કે ધમકીઓ કંઈક વધારે જ વધી ગઈ હતી.પોલીસે હાલ તો ફરિયાદ લીધી છે હવે આગળ શું થશે એ જોવાનું રહેશે પણ જ્યારે રાજકારણમાં આ પ્રકારની વાતો સામે આવે છે ત્યારે વાતો વાયુ વેગે ફેલાય છે. આ કેસમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે આમાં મહિલા નેતાએ પુરુષ કાર્યકરને શારીરિક રીતે હેરાન કર્યો છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.