ગાંધીનગરઃ ચિલોડા ખાતે ધરણામાં ઘર્ષણ થતાં માજી સૈનિકનું નિધન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 18:46:48

આજ સવારે સાડા પાંચ વાગ્યાથી માજી સૈનિકોએ પાટનગર ગાંધીનગરમાં ઘેરો ઘાલી વિરોધ નોંધાવી રહ્યા છે. વિરોધ દરમિયાન બપોરે ચિલોડામાં ઘર્ષણ થતાં કાનજી મોથલિયા નામના 72 વર્ષના માજી સૈનિક શહીદ થયાના સમાચાર મળી રહ્યા છે. 


કેવી રીતે બની સમગ્ર ઘટના?

માજી સૈનિકો પાછલા 6 વર્ષથી પોતાની જૂની માગો સાથે વિરોધ નોંધાવી રહ્યા છે. 72 વર્ષના માજી સૈનિક કાનજી મોથલિયા પણ વિરોધ નોંધાવવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા. આર્મી અધિકારીઓને વિરોધ નોંધાવવા માટે જગ્યા ન મળતા તેઓ ચિલોડા ખાતે વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા. તે દરમિયાન બપોરે ઘર્ષણ થતાં માજી સૈનિક કાનજી મોથલિયા શહીદ થયા હતા. માજી સૈનિકોનો આક્ષેપ છે કે સરકારના આદેશથી પોલીસ પહોંચી આવી હતી અને ત્યાર બાદ પોલીસ અને માજી સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું જે દરમિયાન કાનજી મોથલિયા શહીદ થયા હતા. 


કેમ માજી સૈનિકોએ ગાંધીનગર ઘેર્યું?

માજી સૈનિકો પાછલા 6 વર્ષથી પોતાની જૂની માગણીઓ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે. 14 માગણીઓને લઈને જવાનો આપી રહ્યા છે. નોકરી દરમિયાન શહીદ જવાનના પરિવારને એક કરોડ જેટલી આર્થિક સહાય મળે, ગુજરાતના તમામ જિલ્લામાં શહીદોના સ્મારક બને, માજી સૈનિકોને મળતા 10 ટકા અનામતનું ચુસ્તપણે પાલન થાય, માજી સૈનિકોના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે અનામત સીટ મળે, હથિયાર રિન્યૂ કરવા માટે તમામ જિલ્લામાં સુવ્યવસ્થા કરવી, 5 વર્ષની ફિક્સ પગારવાળી નીતિને નાબૂદ કરવા જેવી 14 માગણીઓ સાથે સેનાના પૂર્વ જવાનો વિરોધ નોંધાવી રહ્યા છે.  


ચૂંટણી પહેલાનો સમય હોવાથી અને સરકાર મોટા ભાગના લોકોની માગણી સ્વીકારતી હોવાના કારણે એક્સ આર્મી ઓફિસર્સે ગાંધીનગરમાં ઘેરો ઘાલ્યો છે. ગુજરાત પોલીસે અનેક જવાનોની અટકાયત કરી હતી. જ્યારે જવાનો પોલીસથી બચવા માટે અન્ય સ્થળો પર જઈ વિરોધ નોંધાવી સરકારના કાને પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહેના નામે સરકાર પોલીસ જવાનોની મદદથી સેનાના જવાનોની અટકાયત કરી હતી. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.