ગાંધીનગરઃ ચિલોડા ખાતે ધરણામાં ઘર્ષણ થતાં માજી સૈનિકનું નિધન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 18:46:48

આજ સવારે સાડા પાંચ વાગ્યાથી માજી સૈનિકોએ પાટનગર ગાંધીનગરમાં ઘેરો ઘાલી વિરોધ નોંધાવી રહ્યા છે. વિરોધ દરમિયાન બપોરે ચિલોડામાં ઘર્ષણ થતાં કાનજી મોથલિયા નામના 72 વર્ષના માજી સૈનિક શહીદ થયાના સમાચાર મળી રહ્યા છે. 


કેવી રીતે બની સમગ્ર ઘટના?

માજી સૈનિકો પાછલા 6 વર્ષથી પોતાની જૂની માગો સાથે વિરોધ નોંધાવી રહ્યા છે. 72 વર્ષના માજી સૈનિક કાનજી મોથલિયા પણ વિરોધ નોંધાવવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા. આર્મી અધિકારીઓને વિરોધ નોંધાવવા માટે જગ્યા ન મળતા તેઓ ચિલોડા ખાતે વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા. તે દરમિયાન બપોરે ઘર્ષણ થતાં માજી સૈનિક કાનજી મોથલિયા શહીદ થયા હતા. માજી સૈનિકોનો આક્ષેપ છે કે સરકારના આદેશથી પોલીસ પહોંચી આવી હતી અને ત્યાર બાદ પોલીસ અને માજી સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું જે દરમિયાન કાનજી મોથલિયા શહીદ થયા હતા. 


કેમ માજી સૈનિકોએ ગાંધીનગર ઘેર્યું?

માજી સૈનિકો પાછલા 6 વર્ષથી પોતાની જૂની માગણીઓ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે. 14 માગણીઓને લઈને જવાનો આપી રહ્યા છે. નોકરી દરમિયાન શહીદ જવાનના પરિવારને એક કરોડ જેટલી આર્થિક સહાય મળે, ગુજરાતના તમામ જિલ્લામાં શહીદોના સ્મારક બને, માજી સૈનિકોને મળતા 10 ટકા અનામતનું ચુસ્તપણે પાલન થાય, માજી સૈનિકોના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે અનામત સીટ મળે, હથિયાર રિન્યૂ કરવા માટે તમામ જિલ્લામાં સુવ્યવસ્થા કરવી, 5 વર્ષની ફિક્સ પગારવાળી નીતિને નાબૂદ કરવા જેવી 14 માગણીઓ સાથે સેનાના પૂર્વ જવાનો વિરોધ નોંધાવી રહ્યા છે.  


ચૂંટણી પહેલાનો સમય હોવાથી અને સરકાર મોટા ભાગના લોકોની માગણી સ્વીકારતી હોવાના કારણે એક્સ આર્મી ઓફિસર્સે ગાંધીનગરમાં ઘેરો ઘાલ્યો છે. ગુજરાત પોલીસે અનેક જવાનોની અટકાયત કરી હતી. જ્યારે જવાનો પોલીસથી બચવા માટે અન્ય સ્થળો પર જઈ વિરોધ નોંધાવી સરકારના કાને પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહેના નામે સરકાર પોલીસ જવાનોની મદદથી સેનાના જવાનોની અટકાયત કરી હતી. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .