હાર્દિક પટેલ સિવાય તેના મિત્રો ભાજપમાંથી નિકળી જશે કે શું?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 17:11:57

ભાજપના નેતા ચિરાગ પટેલ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. પાટીદાર અનામત આંદોલનમાં તેમની મહત્વની ભૂમિકા રહી હતી. તેઓ પોતાના જ પક્ષ ભારતીય જનતા પાર્ટી માટે વિવાદિત નિવેદનો આપવા માટે જાણિતા છે ત્યારે તેમણે વધુ એક વિવાદિત ટ્વીટ કરી છે. 


ચિરાગ પટેલે ટ્વીટમાં શું લખ્યું?

ભાજપ નેતા ચિરાગ પટેલે ટ્વિટર પર ટ્વીટ કરતા લખ્યું હતું કે જે ઈમારતને આપણે બનાવી હોય. પરંતુ તે જ્યારે કોઈના માટે જીવનું જોખમ બની જાય ત્યારે, જનહિતને ધ્યાનમાં લઈને તેનો નાશ કરવો જ પડે છે. પાર્થને કહો ચડાવે બાણ, હવે તો "યુદ્ધ એજ કલ્યાણ."


હાર્દિક એકલા રહી જશે શું?

ગુજરાતમાં આનંદબેન પટેલના સમયમાં પાટીદાર આંદોલને ગુજરાત ગજાવ્યું હતું. આંદોલનનો પણ ઈતિહાસ રહ્યો છે કે આંદોલનો થયા બાદ નેતા ઉભરતા હોય છે. પાટીદાર અનામત આંદોલનમાં પણ ઉત્તર ગુજરાતના પાટીદાર નેતા તરીકે ચિરાગ પટેલનો ઉદ્ભવ થયો હતો. ચિરાગ પટેલ હાલ હાલ ભાજપમાં છે અને હાર્દિક પટેલના મિત્ર પણ છે. 


પાટીદારો કઈ બાજુ જઈ રહ્યા છે? 

ચિરાગ પટેલ ઉત્તર ગુજરાતના પાટીદારોના અગ્રણી છે. તેઓ ભાજપ સાથે સંકળાયેલા છે અને તેમની જેમ અનેક પાટીદાર નેતાઓ ના મરજી હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. પાટીદારો 80ના દાયકાથી ભાજપના પક્ષમાં જ મતદાન કરતા આવ્યા છે. પાટીદારોનું ગુજરાતની ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકામાં રહેતા હોય છે. 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર આંદોલનના કારણે ભાજપને ભારે નુકસાન થયું હતું. ત્યારે અત્યારે ભાજપની અંદરના જ પાટીદાર નેતાઓ ભાજપથી નારાજ છે. ત્યારે લટકતી તલવાર ગળે હોવાના કારણે હાર્દિક પટેલ તો ભાજપમાંથી નહીં નિકળી શકે પણ અન્ય પાટીદાર નેતાઓ પક્ષમાંથી નિકળે તેવી શંકાઓ સેવાઈ રહી છે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .