હાર્દિક પટેલ સિવાય તેના મિત્રો ભાજપમાંથી નિકળી જશે કે શું?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 17:11:57

ભાજપના નેતા ચિરાગ પટેલ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. પાટીદાર અનામત આંદોલનમાં તેમની મહત્વની ભૂમિકા રહી હતી. તેઓ પોતાના જ પક્ષ ભારતીય જનતા પાર્ટી માટે વિવાદિત નિવેદનો આપવા માટે જાણિતા છે ત્યારે તેમણે વધુ એક વિવાદિત ટ્વીટ કરી છે. 


ચિરાગ પટેલે ટ્વીટમાં શું લખ્યું?

ભાજપ નેતા ચિરાગ પટેલે ટ્વિટર પર ટ્વીટ કરતા લખ્યું હતું કે જે ઈમારતને આપણે બનાવી હોય. પરંતુ તે જ્યારે કોઈના માટે જીવનું જોખમ બની જાય ત્યારે, જનહિતને ધ્યાનમાં લઈને તેનો નાશ કરવો જ પડે છે. પાર્થને કહો ચડાવે બાણ, હવે તો "યુદ્ધ એજ કલ્યાણ."


હાર્દિક એકલા રહી જશે શું?

ગુજરાતમાં આનંદબેન પટેલના સમયમાં પાટીદાર આંદોલને ગુજરાત ગજાવ્યું હતું. આંદોલનનો પણ ઈતિહાસ રહ્યો છે કે આંદોલનો થયા બાદ નેતા ઉભરતા હોય છે. પાટીદાર અનામત આંદોલનમાં પણ ઉત્તર ગુજરાતના પાટીદાર નેતા તરીકે ચિરાગ પટેલનો ઉદ્ભવ થયો હતો. ચિરાગ પટેલ હાલ હાલ ભાજપમાં છે અને હાર્દિક પટેલના મિત્ર પણ છે. 


પાટીદારો કઈ બાજુ જઈ રહ્યા છે? 

ચિરાગ પટેલ ઉત્તર ગુજરાતના પાટીદારોના અગ્રણી છે. તેઓ ભાજપ સાથે સંકળાયેલા છે અને તેમની જેમ અનેક પાટીદાર નેતાઓ ના મરજી હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. પાટીદારો 80ના દાયકાથી ભાજપના પક્ષમાં જ મતદાન કરતા આવ્યા છે. પાટીદારોનું ગુજરાતની ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકામાં રહેતા હોય છે. 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર આંદોલનના કારણે ભાજપને ભારે નુકસાન થયું હતું. ત્યારે અત્યારે ભાજપની અંદરના જ પાટીદાર નેતાઓ ભાજપથી નારાજ છે. ત્યારે લટકતી તલવાર ગળે હોવાના કારણે હાર્દિક પટેલ તો ભાજપમાંથી નહીં નિકળી શકે પણ અન્ય પાટીદાર નેતાઓ પક્ષમાંથી નિકળે તેવી શંકાઓ સેવાઈ રહી છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.