હાર્દિક પટેલ સિવાય તેના મિત્રો ભાજપમાંથી નિકળી જશે કે શું?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 17:11:57

ભાજપના નેતા ચિરાગ પટેલ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. પાટીદાર અનામત આંદોલનમાં તેમની મહત્વની ભૂમિકા રહી હતી. તેઓ પોતાના જ પક્ષ ભારતીય જનતા પાર્ટી માટે વિવાદિત નિવેદનો આપવા માટે જાણિતા છે ત્યારે તેમણે વધુ એક વિવાદિત ટ્વીટ કરી છે. 


ચિરાગ પટેલે ટ્વીટમાં શું લખ્યું?

ભાજપ નેતા ચિરાગ પટેલે ટ્વિટર પર ટ્વીટ કરતા લખ્યું હતું કે જે ઈમારતને આપણે બનાવી હોય. પરંતુ તે જ્યારે કોઈના માટે જીવનું જોખમ બની જાય ત્યારે, જનહિતને ધ્યાનમાં લઈને તેનો નાશ કરવો જ પડે છે. પાર્થને કહો ચડાવે બાણ, હવે તો "યુદ્ધ એજ કલ્યાણ."


હાર્દિક એકલા રહી જશે શું?

ગુજરાતમાં આનંદબેન પટેલના સમયમાં પાટીદાર આંદોલને ગુજરાત ગજાવ્યું હતું. આંદોલનનો પણ ઈતિહાસ રહ્યો છે કે આંદોલનો થયા બાદ નેતા ઉભરતા હોય છે. પાટીદાર અનામત આંદોલનમાં પણ ઉત્તર ગુજરાતના પાટીદાર નેતા તરીકે ચિરાગ પટેલનો ઉદ્ભવ થયો હતો. ચિરાગ પટેલ હાલ હાલ ભાજપમાં છે અને હાર્દિક પટેલના મિત્ર પણ છે. 


પાટીદારો કઈ બાજુ જઈ રહ્યા છે? 

ચિરાગ પટેલ ઉત્તર ગુજરાતના પાટીદારોના અગ્રણી છે. તેઓ ભાજપ સાથે સંકળાયેલા છે અને તેમની જેમ અનેક પાટીદાર નેતાઓ ના મરજી હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. પાટીદારો 80ના દાયકાથી ભાજપના પક્ષમાં જ મતદાન કરતા આવ્યા છે. પાટીદારોનું ગુજરાતની ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકામાં રહેતા હોય છે. 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર આંદોલનના કારણે ભાજપને ભારે નુકસાન થયું હતું. ત્યારે અત્યારે ભાજપની અંદરના જ પાટીદાર નેતાઓ ભાજપથી નારાજ છે. ત્યારે લટકતી તલવાર ગળે હોવાના કારણે હાર્દિક પટેલ તો ભાજપમાંથી નહીં નિકળી શકે પણ અન્ય પાટીદાર નેતાઓ પક્ષમાંથી નિકળે તેવી શંકાઓ સેવાઈ રહી છે. 



સુરત લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણી અનેક દિવસોથી ગાયબ હતા. કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે આજે તેમણે વીડિયો બનાવી પોતાની પ્રતિકિયા આપી છે.

આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી છે.. પ્રતિક્રિયા આપતા તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કમાવવાની પાછળ આપણે એટલા બધા લાગી ગયા છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી જીંદગી પૂરી થઈ રહી છે... જવાનમાં આપણે ક્યારે ઘરડા થઈ જઈશું તેની ખબર નહીં પડે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે વાતને બહુ સારી રીતે સમજાવે છે...

જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...