આજે BJPની કારોબારી બેઠક! બેઠકમાં ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષ અંગે થઈ શકે છે ચર્ચા, CR પાટીલની જગ્યા કોને મળશે?


  • Published By :
  • Published Date : 2024-07-04 12:54:08

લોકસભાની ચૂંટણી પછી સૌથી પહેલો સવાલ હતો કે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે? આ સવાલનો જવાબ આજે અથવા તો કાલે મળી જશે કારણ કે 4-5મી જુલાઈએ એટલે આજે અને આવતી કાલે ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક સાળંગપુરમાં મળવાની છે. આ બેઠકમાં નવા અધ્યક્ષના નામ પર મોહર લાગી શકે છે..  

કારોબારી બેઠક બાદ સસ્પેન્સ ખુલી શકે છે..!

ચોથી અને પાંચમી જુલાઈએ બોટાદના સાળંગપુર ખાતે ભાજપ પ્રદેશની બે દિવસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાવવા જઈ રહી છે. પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલ હવે દિલ્હી જશે, તેમની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે એટલે હવે નવા અધ્યક્ષ કોણ હશે તેની ચર્ચા થશે. ચૂંટણી પૂર્ણ થઈ તે બાદ આ જ સવાલ સૌના મનમાં હતો કે નવા અધ્યક્ષ કોણ હશે? હવે પાટીલના અનુગામી કોણ? તે અંગે રાજકીય અટકળો શરૂ થઈ છે. દરમિયાન, એવું જાણવા મળ્યુ છે કે, કારોબારીની બેઠકમાં પ્રદેશ પ્રમુખને લઈને સસ્પેન્સ પૂર્ણ થશે કેમ કે, ગુજરાત ભાજપના કાર્યકરી પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થાય તેવી શક્યતા છે. 


આગામી ચૂંટણીને લઈ રણનીતિ બનાવામાં આવશે!

બોટાદ સ્થિત પુરુષોતમ મંદિરમાં ભાજપની બે દિવસીય વિસ્તૃત કારોબારી બેઠક યોજાનાર છે. આ કારોબારીની બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ઉપસ્થિત રહેવાના છે. આ કારોબારી બેઠકમાં આગળ કઈ રણનીતિથી વધવું તે અંગેની ચર્ચા કરવામાં આવશે.. આગામી પંચાયત-પાલિકાની ચૂંટણીને લઈને પણ રણનીતિ ઘડવામાં આવશે. 


રાહુલ ગાંધીએ કહ્યું હતું કે... 

નવા અધ્યક્ષ માટે ભાજપે ઘણું મનોમંથન કરવું પડશે. નવા અધ્યક્ષ સામે અનેક પડકારો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપનું હેટ્રીક સપનું તૂટી ગયું. બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોર જીત્યા જે બાદ રાહુલ ગાંધીએ પણ સંસદમાં કહ્યું કે ઈન્ડિયા ગઠબંધન ગુજરાત જીતી રહ્યું છે એટલે વધારે મનોમંથન સાથે અધ્યક્ષ બનાવવામાં આવશે! 


ગુજરાત મંત્રી મંડળમાં મોટા ફેરફાર થવાની શક્યતા 

લોકસભાની ચૂંટણી બાદ હવે પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી પણ માથે છે. જે ભાજપ માટે પડકાર સમાન બની શકે છે. રથયાત્રા બાદ મંત્રીમંડળમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે તેવી માહિતી સામે આવી છે.. ત્યારે કોને ભાજપ પ્રદેશ પ્રમુખનો તાજ પહેરાવે છે તે મોટો પ્રશ્ન છે.. જોકે, વિસ્તૃત કારોબારીમાં પ્રદેશ પ્રમુખને લઈને આખુય ચિત્ર સ્પષ્ટ થઈ જશે.તો હવે કોણ ભાજપ અધ્યક્ષનો તાજ પહેરે છે તે જોવાનું રહ્યું.. 



ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .