આજે BJPની કારોબારી બેઠક! બેઠકમાં ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષ અંગે થઈ શકે છે ચર્ચા, CR પાટીલની જગ્યા કોને મળશે?


  • Published By :
  • Published Date : 2024-07-04 12:54:08

લોકસભાની ચૂંટણી પછી સૌથી પહેલો સવાલ હતો કે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે? આ સવાલનો જવાબ આજે અથવા તો કાલે મળી જશે કારણ કે 4-5મી જુલાઈએ એટલે આજે અને આવતી કાલે ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક સાળંગપુરમાં મળવાની છે. આ બેઠકમાં નવા અધ્યક્ષના નામ પર મોહર લાગી શકે છે..  

કારોબારી બેઠક બાદ સસ્પેન્સ ખુલી શકે છે..!

ચોથી અને પાંચમી જુલાઈએ બોટાદના સાળંગપુર ખાતે ભાજપ પ્રદેશની બે દિવસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાવવા જઈ રહી છે. પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલ હવે દિલ્હી જશે, તેમની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે એટલે હવે નવા અધ્યક્ષ કોણ હશે તેની ચર્ચા થશે. ચૂંટણી પૂર્ણ થઈ તે બાદ આ જ સવાલ સૌના મનમાં હતો કે નવા અધ્યક્ષ કોણ હશે? હવે પાટીલના અનુગામી કોણ? તે અંગે રાજકીય અટકળો શરૂ થઈ છે. દરમિયાન, એવું જાણવા મળ્યુ છે કે, કારોબારીની બેઠકમાં પ્રદેશ પ્રમુખને લઈને સસ્પેન્સ પૂર્ણ થશે કેમ કે, ગુજરાત ભાજપના કાર્યકરી પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થાય તેવી શક્યતા છે. 


આગામી ચૂંટણીને લઈ રણનીતિ બનાવામાં આવશે!

બોટાદ સ્થિત પુરુષોતમ મંદિરમાં ભાજપની બે દિવસીય વિસ્તૃત કારોબારી બેઠક યોજાનાર છે. આ કારોબારીની બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ઉપસ્થિત રહેવાના છે. આ કારોબારી બેઠકમાં આગળ કઈ રણનીતિથી વધવું તે અંગેની ચર્ચા કરવામાં આવશે.. આગામી પંચાયત-પાલિકાની ચૂંટણીને લઈને પણ રણનીતિ ઘડવામાં આવશે. 


રાહુલ ગાંધીએ કહ્યું હતું કે... 

નવા અધ્યક્ષ માટે ભાજપે ઘણું મનોમંથન કરવું પડશે. નવા અધ્યક્ષ સામે અનેક પડકારો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપનું હેટ્રીક સપનું તૂટી ગયું. બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોર જીત્યા જે બાદ રાહુલ ગાંધીએ પણ સંસદમાં કહ્યું કે ઈન્ડિયા ગઠબંધન ગુજરાત જીતી રહ્યું છે એટલે વધારે મનોમંથન સાથે અધ્યક્ષ બનાવવામાં આવશે! 


ગુજરાત મંત્રી મંડળમાં મોટા ફેરફાર થવાની શક્યતા 

લોકસભાની ચૂંટણી બાદ હવે પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી પણ માથે છે. જે ભાજપ માટે પડકાર સમાન બની શકે છે. રથયાત્રા બાદ મંત્રીમંડળમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે તેવી માહિતી સામે આવી છે.. ત્યારે કોને ભાજપ પ્રદેશ પ્રમુખનો તાજ પહેરાવે છે તે મોટો પ્રશ્ન છે.. જોકે, વિસ્તૃત કારોબારીમાં પ્રદેશ પ્રમુખને લઈને આખુય ચિત્ર સ્પષ્ટ થઈ જશે.તો હવે કોણ ભાજપ અધ્યક્ષનો તાજ પહેરે છે તે જોવાનું રહ્યું.. 



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.