Exit Poll 2023 : મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સસ્પેન્સ! છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં કોણ જીતશે? જુઓ


  • Published By :
  • Published Date : 2023-11-30 20:17:25

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ એમ પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી બાદ હવે એક્ઝિટ પોલના આંકડા પણ સામે આવી ગયા છે. તેલંગાણામાં મતદાન સમાપ્ત થતાની સાથે જ એક્ઝિટ પોલના આંકડા આવી ગયા છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ સત્તામાં છે જ્યારે મધ્ય પ્રદેશમાં ભાજપનું શાસન છે. MNFના ઝોરામથાંગા મિઝોરમના મુખ્યમંત્રી છે અને BRSના અગ્રણી નેતા કે. ચંદ્રશેખર રાવ તેલંગાણામાં સત્તા પર છે. તમામ ગ્રાઉન્ડ રિપોર્ટમાં બંને રાજ્યોમાં જોરદાર મુકાબલાની વાત કરવામાં આવી રહી છે. વિપક્ષના I.N.D.I.A. પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો મહાગઠબંધન માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાના છે. પ્રાદેશિક પક્ષો ચૂંટણી પૂરી થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ગુરુવારે એક્ઝિટ પોલ ચૂંટણી પરિણામો 2024 સામાન્ય ચૂંટણીઓ પર તેની નિર્ણાયક અસર સૂચવે તેવી શક્યતા છે. પાંચ રાજ્યો - મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી 3 ડિસેમ્બરે થવાની છે. તમામ એજન્સીઓના એક્ઝિટ પોલ અને રાજકીય અપડેટ્સ અહીં રજુ કરવામાં આવી છે. 




3 ડિસેમ્બરે આવશે પરિણામ


મિઝોરમની તમામ 40 બેઠકો માટે 7 નવેમ્બરે મતદાન થયું હતું. છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં 7 નવેમ્બરે 20 બેઠકો પર મતદાન થયું હતું જ્યારે બીજા તબક્કામાં 70 બેઠકો પર 17 નવેમ્બરે મતદાન થયું હતું. મધ્યપ્રદેશની તમામ 230 બેઠકો માટે 17 નવેમ્બરે મતદાન થયું હતું. રાજસ્થાનની 200 સીટો પર 25મી નવેમ્બરે મતદાન થયું છે. તે જ સમયે, ગુરુવારે તેલંગાણામાં 119 બેઠકો પર મતદાન થશે. પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે આવવાના છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.