Lok sabha ચૂંટણી માટે આવી ગયો એક્ઝિટ પોલ, જાણો શું કહે છે ABP C Voterનો Exit Poll?કોને કેટલી મળી રહી છે સીટ?


  • Published By :
  • Published Date : 2024-06-01 20:34:56

સૌ કોઈની નજર એક્ઝિટ પોલ પર હતી. લોકસભા ચૂંટણીનું પરિણામ આવે તે પહેલા એક્ઝિટ પોલના આંકડા પરથી અંદાજો આવી જતો હોય છે કે કોને કેટલી સીટો મળવાની છે. એ.બી.પી સી વોટર એક્ઝિટ પોલ, Aaj Tak-Axis My India,News 18  તેમજ ચાણક્યના એક્ઝિટ પોલ મહદ અંશે સાચા સાબિત થતા હોય છે.. એ.બી.પી સી વોટર દ્વારા આપવામાં આવેલા આંકડાની વાત કરીએ તો 


કોને કેટલી સીટો મળવાાની સંભાવના?

20 બેઠકોની કેરળામાં એનડીએને 01થી 03 સીટ મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 17-19 સીટો મળી શકે છે. તે સિવાય આંધ્ર પ્રદેશની 25 સીટોમાંથી એનડીએને 21-25 સીટો મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 0 સીટ મળી શકે છે.. 17 સીટો ધરાવતી તેલંગાણાની વાત કરીએ તો એનડીએને 07-09 સીટ મળી શકે છે... જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 7-9 બેઠકો મળી શકે છે... તે સિવાય અન્યને એક બેઠક મળી શકે છે..



તમિલનાડુની 40 સીટો માટે આપવામાં આવેલા એક્ઝિટ પોલ અનુસાર ઈન્ડિયાને 37-39 બેઠકો મળવાની છે જ્યારે એનડીએને 01 સીટ જ્યારે અન્યને 01 બેઠક મળી રહી છે.. 48 સીટ ધરાવતા મહારાષ્ટ્ર રાજ્યમાં એનડીએને 22-26 સીટ જ્યારે ઈન્ડિયાને 23-25 સીટ મળી રહી છે. તે સિવાય કર્ણાટકની 28 બેઠકોની વાત કરીએ તો એનડીએને 23-25 સીટ મળી શકે છે જ્યારે 03-05 સીટ ઈન્ડિયા ગઠબંધનને મળી શકે છે.. 25 બેઠકો ધરાવતા રાજસ્થાન રાજ્યમાં એનડીએને 21-23 સીટ મળવાની છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 2-4 સીટ મળવાની છે..




ગુજરાતની 26 બેઠકોમાંથી એનડીએને 24-25 સીટો મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 01 સીટ મળી શકે છે.. 29 બેઠકો ધરાવતા મધ્યપ્રદેશ રાજ્ય માટે એનડીએને 26-28 બેઠકો મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 1-3 સીટો મળી શકે છે.. ગોવામાં એનડીએને 00-01 સીટ મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 1 સીટ મળી શકે છે. અનેક રાજ્યો માટે એક્ઝિટ પોલ આવવાના બાકી છે....            

  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.