Lok sabha ચૂંટણી માટે આવી ગયો એક્ઝિટ પોલ, જાણો શું કહે છે ABP C Voterનો Exit Poll?કોને કેટલી મળી રહી છે સીટ?


  • Published By :
  • Published Date : 2024-06-01 20:34:56

સૌ કોઈની નજર એક્ઝિટ પોલ પર હતી. લોકસભા ચૂંટણીનું પરિણામ આવે તે પહેલા એક્ઝિટ પોલના આંકડા પરથી અંદાજો આવી જતો હોય છે કે કોને કેટલી સીટો મળવાની છે. એ.બી.પી સી વોટર એક્ઝિટ પોલ, Aaj Tak-Axis My India,News 18  તેમજ ચાણક્યના એક્ઝિટ પોલ મહદ અંશે સાચા સાબિત થતા હોય છે.. એ.બી.પી સી વોટર દ્વારા આપવામાં આવેલા આંકડાની વાત કરીએ તો 


કોને કેટલી સીટો મળવાાની સંભાવના?

20 બેઠકોની કેરળામાં એનડીએને 01થી 03 સીટ મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 17-19 સીટો મળી શકે છે. તે સિવાય આંધ્ર પ્રદેશની 25 સીટોમાંથી એનડીએને 21-25 સીટો મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 0 સીટ મળી શકે છે.. 17 સીટો ધરાવતી તેલંગાણાની વાત કરીએ તો એનડીએને 07-09 સીટ મળી શકે છે... જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 7-9 બેઠકો મળી શકે છે... તે સિવાય અન્યને એક બેઠક મળી શકે છે..



તમિલનાડુની 40 સીટો માટે આપવામાં આવેલા એક્ઝિટ પોલ અનુસાર ઈન્ડિયાને 37-39 બેઠકો મળવાની છે જ્યારે એનડીએને 01 સીટ જ્યારે અન્યને 01 બેઠક મળી રહી છે.. 48 સીટ ધરાવતા મહારાષ્ટ્ર રાજ્યમાં એનડીએને 22-26 સીટ જ્યારે ઈન્ડિયાને 23-25 સીટ મળી રહી છે. તે સિવાય કર્ણાટકની 28 બેઠકોની વાત કરીએ તો એનડીએને 23-25 સીટ મળી શકે છે જ્યારે 03-05 સીટ ઈન્ડિયા ગઠબંધનને મળી શકે છે.. 25 બેઠકો ધરાવતા રાજસ્થાન રાજ્યમાં એનડીએને 21-23 સીટ મળવાની છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 2-4 સીટ મળવાની છે..




ગુજરાતની 26 બેઠકોમાંથી એનડીએને 24-25 સીટો મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 01 સીટ મળી શકે છે.. 29 બેઠકો ધરાવતા મધ્યપ્રદેશ રાજ્ય માટે એનડીએને 26-28 બેઠકો મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 1-3 સીટો મળી શકે છે.. ગોવામાં એનડીએને 00-01 સીટ મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 1 સીટ મળી શકે છે. અનેક રાજ્યો માટે એક્ઝિટ પોલ આવવાના બાકી છે....            

  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .