Expense on Advertisement : Gopal Italiyaની ટ્વિટને લઈ પ્રશ્ન થયો કે શું માત્ર BJP જ વિજ્ઞાપનો પાછળ ખર્ચે છે? બાકીની પાર્ટી દૂધથી ધોવાયેલી છે?


  • Published By :
  • Published Date : 2024-01-12 15:44:44

વિવિધ માધ્યમોથી રાજકીય પાર્ટી પોતાનો પ્રચાર કરતી હોય છે. કોઈ વખત હોર્ડિંગ લગાવવામાં આવતા હોય છે, કોઈ વખત ટીવીમાં એડ આપવામાં આવતી હોય છે અને કોઈ વખત સમાચાર પત્રોમાં મોટી મોટી જાહેરાતો આપવામાં આવતી હોય છે. અનેક વખત પ્રચાર કરવાની બધી જ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ વાત અમે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની એક ટ્વિટ પર કરી રહ્યા છે. ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કર્યું તેને જોઈને અમને તરત જ એક કહેવત યાદ આવી કે ૧૦૦ ચૂહે ખાકર બિલ્લી હજ કો નીકલી


વિધાનસભામાં ધારાસભ્યએ પ્રશ્ન પૂછ્યો અને...

આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્યએ જવાબ માંગ્યો કે ભાજપે સરકારી જાહેરાતો અને મીડિયામાં આપેલી જાહેરાતો પાછળ કેટલો ખર્ચ કર્યો. તો આ અંગે વિધાનસભામાં મુખ્યમંત્રીએ જવાબ રજૂ કર્યો અને તેનો ફોટો મૂકી ગોપાલ ઇટલીયાએ ટ્વિટ કર્યું અને લખ્યું કે ઘણા વ્યક્તિઓ એવું પુછતા હોય છે કે, ટીવીમાં કે છાપામાં કેમ ફક્ત ભાજપની વાહવાહી જ કરવામાં આવે છે?  જનતા પૂછે છે કે, માત્ર ભાજપના પ્રવક્તા અને ભાજપના નેતાઓ અને ભાજપની વાહવાહી કરતા સમાચાર જ ટીવી-છાપામાં કેમ આવે છે? 

દિલ્હી-પંજાબની જાહેરાતો પણ ગુજરાતના છાપામાં છપાય છે.... 

ભારતીય જનતા પાર્ટીએ સરકારી જાહેરાતો અને મીડિયાને આપેલી જાહેરાતો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. ચૂંટણી વખતે તો આ ખર્ચમાં વધારો પણ દેખાઈ રહ્યો છે. આ બધો જાહેરાતોના ખર્ચ આપણાં બધાના ટેક્ષના રૂપિયામાંથી કરવામાં આવતો હોય છે. ગોપાલ ઇટલીયાએ આ ટ્વિટ કર્યું પણ એમને એ વિચાર નહીં આવ્યો હોય કે શું માત્ર ભાજપ જ આ એડવર્ટાઈજ પાછળ ખર્ચાઓ કરે છે. તમે ક્યારે પંજાબ સરકારની કે દિલ્હી સરકારની આમ આદમી પાર્ટીની જાહેરાતો જોઈ જ નથી? એ લોકો તો ત્યાંની જાહેરાતો પણ ગુજરાતનાં પેપરોમાં પણ આપે છે. રાજસ્થાનમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ રાજસ્થાનની જાહેરાતો ગુજરાતમાં જોવા મળતી જ હતી તો પછી એવું તો કહી શકાયને કે બધે કાગડા કાળા જ છે.


કરોડોના ખર્ચે પોતાને સારું દેખાડવાનો કરાય છે પ્રયાસ!

જેના પોતાના ઘર કાંચના હોય એને બીજાના ઘરે પથ્થર મારવા ના જવાય. આ રાજનીતિક પાર્ટીઓ પોતાની સારી ઇમેજ ઊભી કરવા અને દેખાડો કરવા આપણાં રૂપિયે તાગડધિન્ના કરતી હોય છે. આ લોકોને કઈ કહેવા જેવુ નથી કારણ કે આ બધા એક જેવા જ છે. જો તેમની સરકાર હોય તો તે પણ કરોડોનો ખર્ચ પોતાને સારું દેખાડવા કરવાના જ છે.


ભાજપે જાહેરાતો પાછળ કેટલો ખર્ચ કર્યો? 

હવે નજર કરીએ કે કેટલા કરોડ રૂપિયા ભાજપે જાહેરાતો પાછળ વાપર્યા છે. જો સરકારી જાહેરતોની વાત કરવામાં આવે તો વર્ષ 2020-21માં વીસ કરોડ 9 લાખ, 21-22માં 19 કરોડ 28 લાખ, અને 22-23માં 30 કરોડ 45 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. સાથે સાથે ટીવી અને પ્રિન્ટ મીડિયામાં આપેલી જાહેરતોની વાત કરીએ તો તે પણ કરોડોમાં છે ચુંટણી વખતે આ જાહેરતોની રકમના આંકડાઓ વધતાં પણ દેખાઈ રહ્યા છે કે ચુંટણી વખતે ભાજપે વધુ કરોડોની જાહેરાતો આપી હતી.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.