છોકરીઓને સમજાવો, ગુનેગારોને સજા મળશે તમે ભૂલની સજા પોતાને કેમ આપો છો?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 19:44:06


છોકરીઓને સમજાવો, ગુનેગારોને સજા મળશે તમે ભૂલની સજા પોતાને કેમ આપો છો?

કેટલાય સમયથી રોજ એક એવી ઘટના સામે આવે છે જેમાં કોઈ છોકરીએ આપઘાત કર્યો હોય કારણો દર વખતે બદલાય છે પણ પરિસ્થતિ નથી બદલાતી ક્યારેક પ્રેમમાં મળેલા દગામાં પોતાનો જીવ ગુમાવે તો ક્યારેક કોઈ છોકરો બ્લેકમેઇલ કરે અને છોકરી પોતાનો જીવ ટુકાવે. જોઈએ તો રોજ આપઘાતના કેસ વધતાં જાય છે પણ તેમાં મહિલા આપઘાતના કેસ વધુ છે . હમણાં એક ઘટના સામે  આવી જેમાં 21 વર્ષિય યુવતી જે ખેડા જિલ્લાના વસો પીજ રોડ પર આવેલ કૃષી યુનિવર્સિટીમા અભ્યાસ કરતી હતી. તેને ચાર માસ અગાઉ આપઘાત કર્યો હાલ સામે આવ્યું કે વિરેન્દ્ર ચૌધરી તે યુવતીને બ્લેકમેલ કરી રૂપિયા માંગતો, જો નહી આપે તો ફોટા વિડિઓ વાયરલ કરવાની ધમકી આપતો. છોકરીના અંગત પળોના ફોટો વિડિયો વાયરલ કરવાની ધમકી સાથે બ્લેકમેલીંગનુ કારણ બન્યું છોકરીના મોતનું કારણ. 11મેં ના રોજ યુવતીએ હોસ્ટેલના રૂમમાં બારીના ઉપરની સાઈડે દુપટ્ટો ભરવી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. 


કેમ છોકરીઓ પોતાનો જીવ ટૂંકાવે છે કોઈ વાંક વગર ? 

આ એક ઘટના છે જેમાં યુવતીએ પોતાના વાંક વગર પોતાનો અમૂલ્ય જીવ ગુમાવ્યો. આવો તો અનેક કિસ્સા છે જેમાં નાની નાની વાતોમાં કોઈ વાંક વગર પોતાનો જીવ ગુમાવે છે. કેમ કોઈ દીકરી પોતાને દોશી માની પોતાની જાતને સજા આપે છે. આપડે એક એવા સિસ્ટમમાં છીએ જ્યાં , ગુનેગારોને સજા મળતા મોડું થઈ જાય છે અને ત્યાં સુધીમાં કોઈ દીકરી પોતાને ગુનેગાર માની જીવ ટૂંકાવી દેય છે 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.