છોકરીઓને સમજાવો, ગુનેગારોને સજા મળશે તમે ભૂલની સજા પોતાને કેમ આપો છો?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 19:44:06


છોકરીઓને સમજાવો, ગુનેગારોને સજા મળશે તમે ભૂલની સજા પોતાને કેમ આપો છો?

કેટલાય સમયથી રોજ એક એવી ઘટના સામે આવે છે જેમાં કોઈ છોકરીએ આપઘાત કર્યો હોય કારણો દર વખતે બદલાય છે પણ પરિસ્થતિ નથી બદલાતી ક્યારેક પ્રેમમાં મળેલા દગામાં પોતાનો જીવ ગુમાવે તો ક્યારેક કોઈ છોકરો બ્લેકમેઇલ કરે અને છોકરી પોતાનો જીવ ટુકાવે. જોઈએ તો રોજ આપઘાતના કેસ વધતાં જાય છે પણ તેમાં મહિલા આપઘાતના કેસ વધુ છે . હમણાં એક ઘટના સામે  આવી જેમાં 21 વર્ષિય યુવતી જે ખેડા જિલ્લાના વસો પીજ રોડ પર આવેલ કૃષી યુનિવર્સિટીમા અભ્યાસ કરતી હતી. તેને ચાર માસ અગાઉ આપઘાત કર્યો હાલ સામે આવ્યું કે વિરેન્દ્ર ચૌધરી તે યુવતીને બ્લેકમેલ કરી રૂપિયા માંગતો, જો નહી આપે તો ફોટા વિડિઓ વાયરલ કરવાની ધમકી આપતો. છોકરીના અંગત પળોના ફોટો વિડિયો વાયરલ કરવાની ધમકી સાથે બ્લેકમેલીંગનુ કારણ બન્યું છોકરીના મોતનું કારણ. 11મેં ના રોજ યુવતીએ હોસ્ટેલના રૂમમાં બારીના ઉપરની સાઈડે દુપટ્ટો ભરવી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. 


કેમ છોકરીઓ પોતાનો જીવ ટૂંકાવે છે કોઈ વાંક વગર ? 

આ એક ઘટના છે જેમાં યુવતીએ પોતાના વાંક વગર પોતાનો અમૂલ્ય જીવ ગુમાવ્યો. આવો તો અનેક કિસ્સા છે જેમાં નાની નાની વાતોમાં કોઈ વાંક વગર પોતાનો જીવ ગુમાવે છે. કેમ કોઈ દીકરી પોતાને દોશી માની પોતાની જાતને સજા આપે છે. આપડે એક એવા સિસ્ટમમાં છીએ જ્યાં , ગુનેગારોને સજા મળતા મોડું થઈ જાય છે અને ત્યાં સુધીમાં કોઈ દીકરી પોતાને ગુનેગાર માની જીવ ટૂંકાવી દેય છે 



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.