છોકરીઓને સમજાવો, ગુનેગારોને સજા મળશે તમે ભૂલની સજા પોતાને કેમ આપો છો?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 19:44:06


છોકરીઓને સમજાવો, ગુનેગારોને સજા મળશે તમે ભૂલની સજા પોતાને કેમ આપો છો?

કેટલાય સમયથી રોજ એક એવી ઘટના સામે આવે છે જેમાં કોઈ છોકરીએ આપઘાત કર્યો હોય કારણો દર વખતે બદલાય છે પણ પરિસ્થતિ નથી બદલાતી ક્યારેક પ્રેમમાં મળેલા દગામાં પોતાનો જીવ ગુમાવે તો ક્યારેક કોઈ છોકરો બ્લેકમેઇલ કરે અને છોકરી પોતાનો જીવ ટુકાવે. જોઈએ તો રોજ આપઘાતના કેસ વધતાં જાય છે પણ તેમાં મહિલા આપઘાતના કેસ વધુ છે . હમણાં એક ઘટના સામે  આવી જેમાં 21 વર્ષિય યુવતી જે ખેડા જિલ્લાના વસો પીજ રોડ પર આવેલ કૃષી યુનિવર્સિટીમા અભ્યાસ કરતી હતી. તેને ચાર માસ અગાઉ આપઘાત કર્યો હાલ સામે આવ્યું કે વિરેન્દ્ર ચૌધરી તે યુવતીને બ્લેકમેલ કરી રૂપિયા માંગતો, જો નહી આપે તો ફોટા વિડિઓ વાયરલ કરવાની ધમકી આપતો. છોકરીના અંગત પળોના ફોટો વિડિયો વાયરલ કરવાની ધમકી સાથે બ્લેકમેલીંગનુ કારણ બન્યું છોકરીના મોતનું કારણ. 11મેં ના રોજ યુવતીએ હોસ્ટેલના રૂમમાં બારીના ઉપરની સાઈડે દુપટ્ટો ભરવી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. 


કેમ છોકરીઓ પોતાનો જીવ ટૂંકાવે છે કોઈ વાંક વગર ? 

આ એક ઘટના છે જેમાં યુવતીએ પોતાના વાંક વગર પોતાનો અમૂલ્ય જીવ ગુમાવ્યો. આવો તો અનેક કિસ્સા છે જેમાં નાની નાની વાતોમાં કોઈ વાંક વગર પોતાનો જીવ ગુમાવે છે. કેમ કોઈ દીકરી પોતાને દોશી માની પોતાની જાતને સજા આપે છે. આપડે એક એવા સિસ્ટમમાં છીએ જ્યાં , ગુનેગારોને સજા મળતા મોડું થઈ જાય છે અને ત્યાં સુધીમાં કોઈ દીકરી પોતાને ગુનેગાર માની જીવ ટૂંકાવી દેય છે 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.