છોકરીઓને સમજાવો, ગુનેગારોને સજા મળશે તમે ભૂલની સજા પોતાને કેમ આપો છો?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 19:44:06


છોકરીઓને સમજાવો, ગુનેગારોને સજા મળશે તમે ભૂલની સજા પોતાને કેમ આપો છો?

કેટલાય સમયથી રોજ એક એવી ઘટના સામે આવે છે જેમાં કોઈ છોકરીએ આપઘાત કર્યો હોય કારણો દર વખતે બદલાય છે પણ પરિસ્થતિ નથી બદલાતી ક્યારેક પ્રેમમાં મળેલા દગામાં પોતાનો જીવ ગુમાવે તો ક્યારેક કોઈ છોકરો બ્લેકમેઇલ કરે અને છોકરી પોતાનો જીવ ટુકાવે. જોઈએ તો રોજ આપઘાતના કેસ વધતાં જાય છે પણ તેમાં મહિલા આપઘાતના કેસ વધુ છે . હમણાં એક ઘટના સામે  આવી જેમાં 21 વર્ષિય યુવતી જે ખેડા જિલ્લાના વસો પીજ રોડ પર આવેલ કૃષી યુનિવર્સિટીમા અભ્યાસ કરતી હતી. તેને ચાર માસ અગાઉ આપઘાત કર્યો હાલ સામે આવ્યું કે વિરેન્દ્ર ચૌધરી તે યુવતીને બ્લેકમેલ કરી રૂપિયા માંગતો, જો નહી આપે તો ફોટા વિડિઓ વાયરલ કરવાની ધમકી આપતો. છોકરીના અંગત પળોના ફોટો વિડિયો વાયરલ કરવાની ધમકી સાથે બ્લેકમેલીંગનુ કારણ બન્યું છોકરીના મોતનું કારણ. 11મેં ના રોજ યુવતીએ હોસ્ટેલના રૂમમાં બારીના ઉપરની સાઈડે દુપટ્ટો ભરવી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. 


કેમ છોકરીઓ પોતાનો જીવ ટૂંકાવે છે કોઈ વાંક વગર ? 

આ એક ઘટના છે જેમાં યુવતીએ પોતાના વાંક વગર પોતાનો અમૂલ્ય જીવ ગુમાવ્યો. આવો તો અનેક કિસ્સા છે જેમાં નાની નાની વાતોમાં કોઈ વાંક વગર પોતાનો જીવ ગુમાવે છે. કેમ કોઈ દીકરી પોતાને દોશી માની પોતાની જાતને સજા આપે છે. આપડે એક એવા સિસ્ટમમાં છીએ જ્યાં , ગુનેગારોને સજા મળતા મોડું થઈ જાય છે અને ત્યાં સુધીમાં કોઈ દીકરી પોતાને ગુનેગાર માની જીવ ટૂંકાવી દેય છે 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.