ગુજરાત સ્થાપના દિવસે આયોજીત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ગેરહાજર રહેલા આચાર્યો અને શિક્ષકો પાસેથી માગ્યો ખુલાસો! પત્ર થયો વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-05-11 15:44:22

પહેલી મેના રોજ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યકક્ષા સ્તરની ઉજવણી જામનગર ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હાજર રહેવા શિક્ષકોને તેેમજ આચાર્યોને સૂચના આપવામાં આવી હતી. પરંતુ અનેક શિક્ષકો અને આચાર્યો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ન હતા. ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આ ઉજવણી દરમિયાન હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો હતો પરંતુ અનેક શિક્ષકો તેમજ આચાર્યો ગેરહાજર હતા. ત્યારે આ મામલે ખુલાસો માગવામાં આવ્યો છે. કયા કારણોસર શિક્ષકો તેમજ આચાર્યો ગેરહાજર રહ્યા હતા તેનો જવાબ માગ્યો છે. 

Jamnagar: Explanation sought from 62 principals and teachers for not organizing 'Mann Ki Baat'  program Jamnagar:‘મન કી બાત’ સાંભળવાનો કાર્યક્રમ ન કરતા 62 આચાર્ય અને શિક્ષકો પાસે મંગાયો ખુલાસો

કયા કારણોસર કાર્યક્રમમાં ગેરહાજર હતા તે અંગે માગ્યો જવાબ!

જામનગર ખાતે ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય સ્તરની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા શિક્ષકો તેમજ આચાર્યોને આદેશ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મીટિંગમાં સૂચના આપવામાં આવી હતી. તે સિવાય અધિકારીઓને પત્ર લખીને પણ જાણ કરવામાં આવી હતી. પરંતુ એવા અનેક શિક્ષકો તેમજ આચાર્યો હતા જે ગેરહાજર રહ્યા હતા. શાળાઓ દૂર હોવાથી બસની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પરંતુ અનેક એવા શિક્ષકો હતા જે જણાવ્યા વગર ગેરહાજર હતા. પત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે ગુજરાત સરકારનો સરકારી કાર્યક્રમ હતો જેમાં હાજરી આપવી અનિવાર્ય હતું પરંતુ જાણ કર્યા વગર આ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. ત્યારે કયા કારણોસર કાર્યક્રમમાં ગેરહાજર હતા તે જણાવવા કહેવામાં આવ્યું છે.        



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.