ગુજરાત સ્થાપના દિવસે આયોજીત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ગેરહાજર રહેલા આચાર્યો અને શિક્ષકો પાસેથી માગ્યો ખુલાસો! પત્ર થયો વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-05-11 15:44:22

પહેલી મેના રોજ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યકક્ષા સ્તરની ઉજવણી જામનગર ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હાજર રહેવા શિક્ષકોને તેેમજ આચાર્યોને સૂચના આપવામાં આવી હતી. પરંતુ અનેક શિક્ષકો અને આચાર્યો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ન હતા. ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આ ઉજવણી દરમિયાન હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો હતો પરંતુ અનેક શિક્ષકો તેમજ આચાર્યો ગેરહાજર હતા. ત્યારે આ મામલે ખુલાસો માગવામાં આવ્યો છે. કયા કારણોસર શિક્ષકો તેમજ આચાર્યો ગેરહાજર રહ્યા હતા તેનો જવાબ માગ્યો છે. 

Jamnagar: Explanation sought from 62 principals and teachers for not organizing 'Mann Ki Baat'  program Jamnagar:‘મન કી બાત’ સાંભળવાનો કાર્યક્રમ ન કરતા 62 આચાર્ય અને શિક્ષકો પાસે મંગાયો ખુલાસો

કયા કારણોસર કાર્યક્રમમાં ગેરહાજર હતા તે અંગે માગ્યો જવાબ!

જામનગર ખાતે ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય સ્તરની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા શિક્ષકો તેમજ આચાર્યોને આદેશ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મીટિંગમાં સૂચના આપવામાં આવી હતી. તે સિવાય અધિકારીઓને પત્ર લખીને પણ જાણ કરવામાં આવી હતી. પરંતુ એવા અનેક શિક્ષકો તેમજ આચાર્યો હતા જે ગેરહાજર રહ્યા હતા. શાળાઓ દૂર હોવાથી બસની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પરંતુ અનેક એવા શિક્ષકો હતા જે જણાવ્યા વગર ગેરહાજર હતા. પત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે ગુજરાત સરકારનો સરકારી કાર્યક્રમ હતો જેમાં હાજરી આપવી અનિવાર્ય હતું પરંતુ જાણ કર્યા વગર આ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. ત્યારે કયા કારણોસર કાર્યક્રમમાં ગેરહાજર હતા તે જણાવવા કહેવામાં આવ્યું છે.        



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?