ચેકિંગના બહાને લોકો પાસેથી પડાવ્યા પૈસા! નકલી સીબીઆઈ અધિકારી બની પોલીસ સ્ટેશન નજીક જ લોકોને બનાવ્યા શિકાર! જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-06-15 12:28:55

સરકારી અધિકારી બનીને છેતરપિંડી કરવાનો સિલસિલો યથાવત હોય તેવું લાગી રહ્યું છે. થોડા સમય પહેલા જ કિરણ પટેલે નકલી પીએમઓ અધિકારી બનીને લોકો સાથે છેતરપિંડી આચરી હતી. ત્યારે હવે વધુ એક ઠગ અધિકારીને ઝડપી પાડ્યો છે. છેતરપીંડી કરનાર આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો છે. નિવૃત્ત સીબીઆઈ ઓફિસરનું નામ લઈ પોલીસના ડ્રેસવાળું આઈડી કાર્ડ બનાવીને સીબીઆઈ ઓફિસર બનીને ચેકિંગના બહાને બેગમાં રહેલા પૈસા, દાગીનાને પડાવી લેતો હતો. મહત્વનું છે કે જે જગ્યાએ આ ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું તે જગ્યાથી પોલીસ સ્ટેશન માત્ર 500-1000 મીટર જ દૂર હતું.


 

નકલી CBI અધિકારીની ઓળખ આપી લોકોને ઠગયા!

તાજેતરમાં જ મહાઠગ કિરણ પટેલનો કિસ્સો આપણી સામે આવ્યો હતો. નકલી પીએમઓ અધિકારી બની લોકોને ઠગતો હતો. જમ્મુ કાશ્મીર જઈ અનેક બેઠકો પણ કરી હતી. આ પર્દાફાશ ઘણા સમય બાદ થયો હતો પરંતુ હાલ તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લોકો સાથે છેતરપિંડી કરતા ઠગને પકડી પાડ્યો છે. સીબીઆઈ ઓફિસરની ઓળખાણ આપી લોકો પાસેથી પૈસા, દાગીના સહિતની કિંમતી વસ્તુ પડાવી લેતો હતો. ચેકિંગના બહાને વૃદ્ધો, મહિલાઓને તેમજ ધનિક લોકોને છેતરતો હતો. મહત્વનું છે કે જે જગ્યા પર ઉભા રહી તે લોકોને લૂંટતો હતો તે જગ્યાએથી થોડા મીટર દૂર જ પોલીસ સ્ટેશન આવેલું છે. પોલીસ ડ્રેસ પહેરી ડીસીપી હોવાની ઓળખાણ આપતા સુલતાનખાનને પકડી પાડ્યો છે. 


અનેક રાજ્યોના લોકોને આરોપીએ ઠગ્યા છે!

જે ઠગને પકડવામાં આવ્યો છે તે ઈરાની ગેંગનો લીડર છે. અને આ ગેંગે ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશના વિવિધ રાજ્યોના લોકોને ઠગ્યા છે. દેશના અનેક રાજ્યોના લોકોને પોતાનો શિકાર બનાવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પકડમાં આવ્યા બાદ ગેંગના લીડરે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે અને અત્યાર સુધીમાં કેટલા અને ક્યાં ગુન્હાઓ આચર્યા છે તેની માહિતી આપી છે. ત્યારે મળતી માહિતી અનુસાર પંજાબમાં 9, ઉત્તરપ્રદેશમાં 3, મધ્યપ્રદેશમાં 4, ઓરિસામાં બે, હરિયાણામાં 8, દિલ્હીમાં 2 ગુન્હાઓ આચર્યા હતા. મહત્વનું છે પોલીસ આ મામલે ગેંગના સભ્યોની ધરપકડ કરી રહી છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.