ચેકિંગના બહાને લોકો પાસેથી પડાવ્યા પૈસા! નકલી સીબીઆઈ અધિકારી બની પોલીસ સ્ટેશન નજીક જ લોકોને બનાવ્યા શિકાર! જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-06-15 12:28:55

સરકારી અધિકારી બનીને છેતરપિંડી કરવાનો સિલસિલો યથાવત હોય તેવું લાગી રહ્યું છે. થોડા સમય પહેલા જ કિરણ પટેલે નકલી પીએમઓ અધિકારી બનીને લોકો સાથે છેતરપિંડી આચરી હતી. ત્યારે હવે વધુ એક ઠગ અધિકારીને ઝડપી પાડ્યો છે. છેતરપીંડી કરનાર આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો છે. નિવૃત્ત સીબીઆઈ ઓફિસરનું નામ લઈ પોલીસના ડ્રેસવાળું આઈડી કાર્ડ બનાવીને સીબીઆઈ ઓફિસર બનીને ચેકિંગના બહાને બેગમાં રહેલા પૈસા, દાગીનાને પડાવી લેતો હતો. મહત્વનું છે કે જે જગ્યાએ આ ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું તે જગ્યાથી પોલીસ સ્ટેશન માત્ર 500-1000 મીટર જ દૂર હતું.


 

નકલી CBI અધિકારીની ઓળખ આપી લોકોને ઠગયા!

તાજેતરમાં જ મહાઠગ કિરણ પટેલનો કિસ્સો આપણી સામે આવ્યો હતો. નકલી પીએમઓ અધિકારી બની લોકોને ઠગતો હતો. જમ્મુ કાશ્મીર જઈ અનેક બેઠકો પણ કરી હતી. આ પર્દાફાશ ઘણા સમય બાદ થયો હતો પરંતુ હાલ તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લોકો સાથે છેતરપિંડી કરતા ઠગને પકડી પાડ્યો છે. સીબીઆઈ ઓફિસરની ઓળખાણ આપી લોકો પાસેથી પૈસા, દાગીના સહિતની કિંમતી વસ્તુ પડાવી લેતો હતો. ચેકિંગના બહાને વૃદ્ધો, મહિલાઓને તેમજ ધનિક લોકોને છેતરતો હતો. મહત્વનું છે કે જે જગ્યા પર ઉભા રહી તે લોકોને લૂંટતો હતો તે જગ્યાએથી થોડા મીટર દૂર જ પોલીસ સ્ટેશન આવેલું છે. પોલીસ ડ્રેસ પહેરી ડીસીપી હોવાની ઓળખાણ આપતા સુલતાનખાનને પકડી પાડ્યો છે. 


અનેક રાજ્યોના લોકોને આરોપીએ ઠગ્યા છે!

જે ઠગને પકડવામાં આવ્યો છે તે ઈરાની ગેંગનો લીડર છે. અને આ ગેંગે ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશના વિવિધ રાજ્યોના લોકોને ઠગ્યા છે. દેશના અનેક રાજ્યોના લોકોને પોતાનો શિકાર બનાવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પકડમાં આવ્યા બાદ ગેંગના લીડરે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે અને અત્યાર સુધીમાં કેટલા અને ક્યાં ગુન્હાઓ આચર્યા છે તેની માહિતી આપી છે. ત્યારે મળતી માહિતી અનુસાર પંજાબમાં 9, ઉત્તરપ્રદેશમાં 3, મધ્યપ્રદેશમાં 4, ઓરિસામાં બે, હરિયાણામાં 8, દિલ્હીમાં 2 ગુન્હાઓ આચર્યા હતા. મહત્વનું છે પોલીસ આ મામલે ગેંગના સભ્યોની ધરપકડ કરી રહી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.