ચેકિંગના બહાને લોકો પાસેથી પડાવ્યા પૈસા! નકલી સીબીઆઈ અધિકારી બની પોલીસ સ્ટેશન નજીક જ લોકોને બનાવ્યા શિકાર! જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-06-15 12:28:55

સરકારી અધિકારી બનીને છેતરપિંડી કરવાનો સિલસિલો યથાવત હોય તેવું લાગી રહ્યું છે. થોડા સમય પહેલા જ કિરણ પટેલે નકલી પીએમઓ અધિકારી બનીને લોકો સાથે છેતરપિંડી આચરી હતી. ત્યારે હવે વધુ એક ઠગ અધિકારીને ઝડપી પાડ્યો છે. છેતરપીંડી કરનાર આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો છે. નિવૃત્ત સીબીઆઈ ઓફિસરનું નામ લઈ પોલીસના ડ્રેસવાળું આઈડી કાર્ડ બનાવીને સીબીઆઈ ઓફિસર બનીને ચેકિંગના બહાને બેગમાં રહેલા પૈસા, દાગીનાને પડાવી લેતો હતો. મહત્વનું છે કે જે જગ્યાએ આ ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું તે જગ્યાથી પોલીસ સ્ટેશન માત્ર 500-1000 મીટર જ દૂર હતું.


 

નકલી CBI અધિકારીની ઓળખ આપી લોકોને ઠગયા!

તાજેતરમાં જ મહાઠગ કિરણ પટેલનો કિસ્સો આપણી સામે આવ્યો હતો. નકલી પીએમઓ અધિકારી બની લોકોને ઠગતો હતો. જમ્મુ કાશ્મીર જઈ અનેક બેઠકો પણ કરી હતી. આ પર્દાફાશ ઘણા સમય બાદ થયો હતો પરંતુ હાલ તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લોકો સાથે છેતરપિંડી કરતા ઠગને પકડી પાડ્યો છે. સીબીઆઈ ઓફિસરની ઓળખાણ આપી લોકો પાસેથી પૈસા, દાગીના સહિતની કિંમતી વસ્તુ પડાવી લેતો હતો. ચેકિંગના બહાને વૃદ્ધો, મહિલાઓને તેમજ ધનિક લોકોને છેતરતો હતો. મહત્વનું છે કે જે જગ્યા પર ઉભા રહી તે લોકોને લૂંટતો હતો તે જગ્યાએથી થોડા મીટર દૂર જ પોલીસ સ્ટેશન આવેલું છે. પોલીસ ડ્રેસ પહેરી ડીસીપી હોવાની ઓળખાણ આપતા સુલતાનખાનને પકડી પાડ્યો છે. 


અનેક રાજ્યોના લોકોને આરોપીએ ઠગ્યા છે!

જે ઠગને પકડવામાં આવ્યો છે તે ઈરાની ગેંગનો લીડર છે. અને આ ગેંગે ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશના વિવિધ રાજ્યોના લોકોને ઠગ્યા છે. દેશના અનેક રાજ્યોના લોકોને પોતાનો શિકાર બનાવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પકડમાં આવ્યા બાદ ગેંગના લીડરે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે અને અત્યાર સુધીમાં કેટલા અને ક્યાં ગુન્હાઓ આચર્યા છે તેની માહિતી આપી છે. ત્યારે મળતી માહિતી અનુસાર પંજાબમાં 9, ઉત્તરપ્રદેશમાં 3, મધ્યપ્રદેશમાં 4, ઓરિસામાં બે, હરિયાણામાં 8, દિલ્હીમાં 2 ગુન્હાઓ આચર્યા હતા. મહત્વનું છે પોલીસ આ મામલે ગેંગના સભ્યોની ધરપકડ કરી રહી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.