Zeeમાં 2000 કરોડની ઉચાપત! સેબીએ સુભાષ ચંદ્ર-પુનિત ગોએન્કા પાસેથી માંગ્યો જવાબ, શેરમાં મોટો કડાકો


  • Published By :
  • Published Date : 2024-02-21 21:49:47

ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. કંપની હજુ સોની સાથે મર્જર ડીલ તોડવાના આઘાતમાંથી બહાર આવી નથી ત્યા તો માર્કેટ રેગ્યુલેટર સેબીએ તેની ચિંતા વધારી દીધી છે. મીડિયા રિપોર્ટ મુજબ, સેબીને ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ લિમિટેડના ખાતામાંથી 240 મિલિયન ડોલર એટલે કે રૂ. 19,89,28,44,000 ગુમ થયા હોવાનું જાણવા મળ્યું છે. સેબીની તપાસમાં સામે આવ્યું છે કે કંપનીમાંથી લગભગ 241 મિલિયન ડોલર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. સેબીના તપાસકર્તાઓએ શરૂઆતમાં જે અંદાજ લગાવ્યો હતો તેના કરતાં આ રકમ લગભગ દસ ગણી છે. સેબીએ આ મામલે કંપનીના સિનિયર અધિકારીઓ પાસેથી સ્પષ્ટતા માંગી છે. જેમાં કંપનીના સ્થાપક સુભાષ ચંદ્રા અને તેમના પુત્ર પુનિત ગોયન્કાનો સમાવેશ થાય છે. આ મામલે બોર્ડના કેટલાક સભ્યો પાસેથી સ્પષ્ટતા પણ માંગવામાં આવી છે. દરમિયાન, ઝીએ રિપોર્ટને નકારી કાઢ્યો છે કે તેના ખાતામાંથી 2000 કરોડ રૂપિયા ગાયબ છે. કંપનીએ કહ્યું કે આ રિપોર્ટમાં કોઈ સત્ય નથી.


ઝીના શેરમાં જોરદાર કડાકો


આ દરમિયાન કંપનીના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે કંપનીના શેરમાં આઠ ટકાનો ઉછાળો હતો પરંતુ બુધવારે તેમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. સવારે 10.30 વાગ્યે કંપનીનો શેર 10.52 ટકાના ઘટાડા સાથે રૂ. 172.70 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ગઈકાલે તે રૂ. 193 પર બંધ હતો અને આજે રૂ. 173.70 પર ખુલ્યો છે. ટ્રેડિંગ દરમિયાન તે ઘટીને રૂ. 165.55 થયો હતો. તેની 52-સપ્તાહની ઊંચી સપાટી રૂ. 299.50 અને નીચી રૂ. 152.50 છે. સોની સાથેનો સોદો તૂટી ગયા પછી, 23 જાન્યુઆરીએ કંપનીના શેરમાં 33% ઘટાડો થયો, જે તેના ઇતિહાસમાં એક દિવસનો સૌથી મોટો ઘટાડો હતો. તે દિવસે તે ઘટીને રૂ. 152.5 પર આવી ગયો હતો.


કંપનીએ શું કહ્યું?


ઝીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની સેબીને તમામ માહિતી પ્રદાન કરવાની પ્રક્રિયામાં છે. સુભાષ ચંદ્રા અને પુનિત ગોએન્કા સામે સેબીની તપાસને કારણે સોની અને ઝી વચ્ચેનો સોદો આગળ વધી શક્યો ન હતો. બંને કંપનીઓ વચ્ચે 2021માં સોદો થયો હતો. આ મુજબ, ગોએન્કાને વિલીનીકરણ પછી રચાયેલી કંપનીના સીઈઓ બનાવવાના હતા પરંતુ સેબીની તપાસને કારણે સોની તેના માટે અનુકૂળ ન હતી. આખરે તેણે જાન્યુઆરીમાં ડીલ તોડી નાખી હતી. આ દરમિયાન, મંગળવારે સમાચાર આવ્યા કે ઝી ફરી એકવાર સોની સાથે સોદાની શક્યતા શોધી રહી છે. જેના કારણે ગઈકાલે કંપનીના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.


સેબીએ લગાવ્યો હતો પ્રતિબંધ


સેબીએ ગયા વર્ષે ઓગસ્ટમાં  ઝીના ફાઉન્ડર્સ સુભાષ ચંદ્રા અને પુનીત ગોયન્કાને કોઈ પણ લિસ્ટેડ કંપનીમાં એક્ઝીક્યુટિવ કે ડાયરેક્ટર બનવા પર પ્રતિબંધ લગાવ્યો છે.  સેબીને તેની તપાસમાં જણાયું હતું કે ચંદ્રા અને ગોયન્કા તેમની પોઝિશનનો દુરપયોગ કરી રહ્યા હતા. તેમના ફાયદા માટે કંપનના ફંડની હેરાફેરી કરતા હતા. ઝીએ સેબીના આ આદેશ વિરૂધ્ધ હાયર અપીલેટ ઓથોરીટીમાં અપીલ કરી હતી અને ઓક્ટોબરમાં તેને રાહત મળી હતી. અપીલેટ ઓથોરિટીએ સેબીની તપાસ દરમિયાન પુનીત ગોયન્કાને એક્ઝિક્યુટિવ પોઝીશન હોલ્ડ કરવાની મંજુરી આપી હતી.  હત નાણાકીય વર્ષમાં ઝીના પ્રોફિટમાં 95 ટકા જેટલો ઘટાડો આવ્યો હતો. ડિસેમ્બર ત્રિમાસિકમાં તેને 58.54 કરોડ રૂપિયાનો પ્રોફિટ થયો હતો. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.