Zeeમાં 2000 કરોડની ઉચાપત! સેબીએ સુભાષ ચંદ્ર-પુનિત ગોએન્કા પાસેથી માંગ્યો જવાબ, શેરમાં મોટો કડાકો


  • Published By :
  • Published Date : 2024-02-21 21:49:47

ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. કંપની હજુ સોની સાથે મર્જર ડીલ તોડવાના આઘાતમાંથી બહાર આવી નથી ત્યા તો માર્કેટ રેગ્યુલેટર સેબીએ તેની ચિંતા વધારી દીધી છે. મીડિયા રિપોર્ટ મુજબ, સેબીને ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ લિમિટેડના ખાતામાંથી 240 મિલિયન ડોલર એટલે કે રૂ. 19,89,28,44,000 ગુમ થયા હોવાનું જાણવા મળ્યું છે. સેબીની તપાસમાં સામે આવ્યું છે કે કંપનીમાંથી લગભગ 241 મિલિયન ડોલર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. સેબીના તપાસકર્તાઓએ શરૂઆતમાં જે અંદાજ લગાવ્યો હતો તેના કરતાં આ રકમ લગભગ દસ ગણી છે. સેબીએ આ મામલે કંપનીના સિનિયર અધિકારીઓ પાસેથી સ્પષ્ટતા માંગી છે. જેમાં કંપનીના સ્થાપક સુભાષ ચંદ્રા અને તેમના પુત્ર પુનિત ગોયન્કાનો સમાવેશ થાય છે. આ મામલે બોર્ડના કેટલાક સભ્યો પાસેથી સ્પષ્ટતા પણ માંગવામાં આવી છે. દરમિયાન, ઝીએ રિપોર્ટને નકારી કાઢ્યો છે કે તેના ખાતામાંથી 2000 કરોડ રૂપિયા ગાયબ છે. કંપનીએ કહ્યું કે આ રિપોર્ટમાં કોઈ સત્ય નથી.


ઝીના શેરમાં જોરદાર કડાકો


આ દરમિયાન કંપનીના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે કંપનીના શેરમાં આઠ ટકાનો ઉછાળો હતો પરંતુ બુધવારે તેમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. સવારે 10.30 વાગ્યે કંપનીનો શેર 10.52 ટકાના ઘટાડા સાથે રૂ. 172.70 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ગઈકાલે તે રૂ. 193 પર બંધ હતો અને આજે રૂ. 173.70 પર ખુલ્યો છે. ટ્રેડિંગ દરમિયાન તે ઘટીને રૂ. 165.55 થયો હતો. તેની 52-સપ્તાહની ઊંચી સપાટી રૂ. 299.50 અને નીચી રૂ. 152.50 છે. સોની સાથેનો સોદો તૂટી ગયા પછી, 23 જાન્યુઆરીએ કંપનીના શેરમાં 33% ઘટાડો થયો, જે તેના ઇતિહાસમાં એક દિવસનો સૌથી મોટો ઘટાડો હતો. તે દિવસે તે ઘટીને રૂ. 152.5 પર આવી ગયો હતો.


કંપનીએ શું કહ્યું?


ઝીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની સેબીને તમામ માહિતી પ્રદાન કરવાની પ્રક્રિયામાં છે. સુભાષ ચંદ્રા અને પુનિત ગોએન્કા સામે સેબીની તપાસને કારણે સોની અને ઝી વચ્ચેનો સોદો આગળ વધી શક્યો ન હતો. બંને કંપનીઓ વચ્ચે 2021માં સોદો થયો હતો. આ મુજબ, ગોએન્કાને વિલીનીકરણ પછી રચાયેલી કંપનીના સીઈઓ બનાવવાના હતા પરંતુ સેબીની તપાસને કારણે સોની તેના માટે અનુકૂળ ન હતી. આખરે તેણે જાન્યુઆરીમાં ડીલ તોડી નાખી હતી. આ દરમિયાન, મંગળવારે સમાચાર આવ્યા કે ઝી ફરી એકવાર સોની સાથે સોદાની શક્યતા શોધી રહી છે. જેના કારણે ગઈકાલે કંપનીના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.


સેબીએ લગાવ્યો હતો પ્રતિબંધ


સેબીએ ગયા વર્ષે ઓગસ્ટમાં  ઝીના ફાઉન્ડર્સ સુભાષ ચંદ્રા અને પુનીત ગોયન્કાને કોઈ પણ લિસ્ટેડ કંપનીમાં એક્ઝીક્યુટિવ કે ડાયરેક્ટર બનવા પર પ્રતિબંધ લગાવ્યો છે.  સેબીને તેની તપાસમાં જણાયું હતું કે ચંદ્રા અને ગોયન્કા તેમની પોઝિશનનો દુરપયોગ કરી રહ્યા હતા. તેમના ફાયદા માટે કંપનના ફંડની હેરાફેરી કરતા હતા. ઝીએ સેબીના આ આદેશ વિરૂધ્ધ હાયર અપીલેટ ઓથોરીટીમાં અપીલ કરી હતી અને ઓક્ટોબરમાં તેને રાહત મળી હતી. અપીલેટ ઓથોરિટીએ સેબીની તપાસ દરમિયાન પુનીત ગોયન્કાને એક્ઝિક્યુટિવ પોઝીશન હોલ્ડ કરવાની મંજુરી આપી હતી.  હત નાણાકીય વર્ષમાં ઝીના પ્રોફિટમાં 95 ટકા જેટલો ઘટાડો આવ્યો હતો. ડિસેમ્બર ત્રિમાસિકમાં તેને 58.54 કરોડ રૂપિયાનો પ્રોફિટ થયો હતો. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.