લ્યો બોલો! ઘી, તેલ, મિઠાઈ, માવો, મરચું, હળદર બાદ હવે ખેડામાંથી નકલી ENOનો મોટો જથ્થો ઝડપાયો


  • Published By :
  • Published Date : 2023-10-29 17:20:48

આપણા દેશમાં તમામ ખાદ્ય ચીજોમાં ભેળસેળ થાય છે, ડેરી પ્રોડક્ટ, ખાદ્યતેલ, મિઠાઈ, મરચું, હળદર, મસાલા સહિતની ચીજોમાં મિલાવટ થાય છે. લોકો યોગ્ય કિંમત ચૂકવે છે તેમ છતાં તેમને શુધ્ધ અને ગુણવત્તાયુક્ત ચીજો મળતી નથી. હદ તો ત્યા થઈ ગઈ કે જ્યારે ખેડા જિલ્લામાંથી  ENO બનાવવાની ફેક્ટરી ઝડપાઈ. ખેડાની માતર GIDCમાંથી ડુપ્લિકેટ ENO બનાવવાની ફેક્ટરી ઝડપાતા હાહાકાર મચી ગયો છે. આ ફેક્ટરીમાં ENO જેવા જ પાવડરનો ઉપયોગ કરી ઓરીજનલ જેવા જ પાઉચ બનાવવામાં આવતા હતા.




કઈ રીતે ભાંડો ફુટ્યો?


નકલી ENO બનાવવાના આ આખા કૌભાંડનો ભાંડો ત્યારે ફુટ્યો જ્યારે માતર પોલીસ સ્ટેશનમાં કંપનીના કર્મચારીએ જ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સ્ટેશનમાં કોપીરાઈટની ફરિયાદ કરવામાં આવી અને પોલીસે તપાસ કરતા નકલી ENOના  22 હજાર 200 ડુપ્લીકેટ પાઉચ પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે અમદાવાદ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટના બાદ ખેડા ફ્રૂડ એન્ડ ડ્રગ વિભાગ ફરી એકવાર ઉંઘતુ ઝડપાયુ છે.   પોલીસે કોપીરાઈટની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.