લ્યો બોલો! ઘી, તેલ, મિઠાઈ, માવો, મરચું, હળદર બાદ હવે ખેડામાંથી નકલી ENOનો મોટો જથ્થો ઝડપાયો


  • Published By :
  • Published Date : 2023-10-29 17:20:48

આપણા દેશમાં તમામ ખાદ્ય ચીજોમાં ભેળસેળ થાય છે, ડેરી પ્રોડક્ટ, ખાદ્યતેલ, મિઠાઈ, મરચું, હળદર, મસાલા સહિતની ચીજોમાં મિલાવટ થાય છે. લોકો યોગ્ય કિંમત ચૂકવે છે તેમ છતાં તેમને શુધ્ધ અને ગુણવત્તાયુક્ત ચીજો મળતી નથી. હદ તો ત્યા થઈ ગઈ કે જ્યારે ખેડા જિલ્લામાંથી  ENO બનાવવાની ફેક્ટરી ઝડપાઈ. ખેડાની માતર GIDCમાંથી ડુપ્લિકેટ ENO બનાવવાની ફેક્ટરી ઝડપાતા હાહાકાર મચી ગયો છે. આ ફેક્ટરીમાં ENO જેવા જ પાવડરનો ઉપયોગ કરી ઓરીજનલ જેવા જ પાઉચ બનાવવામાં આવતા હતા.




કઈ રીતે ભાંડો ફુટ્યો?


નકલી ENO બનાવવાના આ આખા કૌભાંડનો ભાંડો ત્યારે ફુટ્યો જ્યારે માતર પોલીસ સ્ટેશનમાં કંપનીના કર્મચારીએ જ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સ્ટેશનમાં કોપીરાઈટની ફરિયાદ કરવામાં આવી અને પોલીસે તપાસ કરતા નકલી ENOના  22 હજાર 200 ડુપ્લીકેટ પાઉચ પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે અમદાવાદ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટના બાદ ખેડા ફ્રૂડ એન્ડ ડ્રગ વિભાગ ફરી એકવાર ઉંઘતુ ઝડપાયુ છે.   પોલીસે કોપીરાઈટની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી