Gujaratમાં વધ્યું નકલીનું ચલણ! Junagadhથી ઝડપાયો નકલી ડિવાયએસપી, કરોડોની કરી છેતરપિંડી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-12 15:51:04

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી નકલીની બોલબાલા વધી ગઈ છે. નકલી અધિકારીઓ અવાર-નવાર પકડાઈ રહ્યા છે. કોઈ વખત નકલી સીએમઓ અધિકારી પકડાય છે તો કોઈ વખત ધારાસભ્યનો નકલી પીએ પકડાય છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો નકલી પીએ બનીને ફરતો વ્યક્તિ પણ સામે આવ્યો. આ બધા વચ્ચે જૂનાગઢમાંથી નકલી ડીવાયએસપી ઝડપાયો છે. ડીવાયએસપી બની 2.11 કરોડની છેતરપીંડી આચરી છે. એવી પણ માહિતી સામે આવી છે કે વડોદરાથી નકલી સીબીઆઈ ઓફિસર બની ફરતો વ્યક્તિ પણ ઝડપાયો છે. જે નકલી ડીવાયએસપી તરીકે ઝડપાયો છે તેનું નામ છે વિનીત દવે છે. નકલી આઈડી કાર્ડ બનાવી રોફ જમાવતો હતો તેવી માહિતી સામે આવી છે.  

કોઈ વખત નકલી સરકારી ઓફિસ તો કોઈ વખત નકલી ટોલનાકું!

અમુક સમાચારો એવા હોય જે સમય જતા સામાન્ય લાગવા લાગે છે. થોડા સમય સુધી તેની ચર્ચા થાય પરંતુ તે બાદ તેની ચર્ચા નથી થતી કારણ કે ન્યુઝ સામાન્ય લાગવા લાગે છે! તેવા જ એક સમાચાર છે ગુજરાતમાંથી નકલી અધિકારી ઝડપાવું. નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો હોય તેવી રીતે અવાર-નવાર આવા સમાચારો સામે આવી રહ્યા છે. પહેલા નકલી ખાદ્યપદાર્થો પકડાતા હતા પરંતુ હવે તો નકલી સરકારી અધિકારીઓ પકડાઈ રહ્યા છે! કોઈ વખત તો આખેઆખું નકલી સરકારી ઓફિસ ઝડપાય છે તો કોઈ વખત નકલી ટોલનાકું ઝડપાય છે. 


જૂનાગઢથી ઝડપાયો નકલી ડિવાયએસપી 

નકલી અધિકારીઓ અંગે ચર્ચા જ્યારથી કિરણ પટેલ પકડાયો ત્યારથી થવા લાગી હતી. કિરણ પટેલ જ્યારે ઝડપાયો ત્યારે આ અંગે ચર્ચા થઈ. પરંતુ તે બાદ તો નકલી અધિકારીઓ પ્રતિદિન ઝડપાઈ રહ્યા હોય તેવું લાગે છે. કોઈ વખત નકલી સીએમઓ અધિકારી તો કોઈ વખત નકલી ધારાસભ્યનો નકલી પીએ ઝડપાય છે. ત્યારે આજે ફરી એક નકલી અધિકારી ઝડપાયો છે. જૂનાગઢથી નકલી ડિવાયએસપી ઝડપાયો છે. મહત્વનું છે પ્રજા માટે આ વાત સામાન્ય બની ગઈ હોય પરંતુ પ્રતિદિન સામે આવતી આવી ઘટનાઓ એ વિચારવા પર મજબૂર કરે છે કે સિસ્ટમને, લોકોને છેતરવા સાચે આટલા સરળ છે?     

Fake DySP: ફેમિલી કોર્ટનો ડ્રાઇવર નકલી ડીવાયએસપી બનીને લોકોને લગાવ્યો  કરોડોનો ચૂનો, જાણો સમગ્ર મામલો,  the-family-court-driver-cheated-people-by-becoming-a-fake-dysp-fake-dysp ...



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.