Gujaratમાં વધ્યું નકલીનું ચલણ! Junagadhથી ઝડપાયો નકલી ડિવાયએસપી, કરોડોની કરી છેતરપિંડી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-12 15:51:04

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી નકલીની બોલબાલા વધી ગઈ છે. નકલી અધિકારીઓ અવાર-નવાર પકડાઈ રહ્યા છે. કોઈ વખત નકલી સીએમઓ અધિકારી પકડાય છે તો કોઈ વખત ધારાસભ્યનો નકલી પીએ પકડાય છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો નકલી પીએ બનીને ફરતો વ્યક્તિ પણ સામે આવ્યો. આ બધા વચ્ચે જૂનાગઢમાંથી નકલી ડીવાયએસપી ઝડપાયો છે. ડીવાયએસપી બની 2.11 કરોડની છેતરપીંડી આચરી છે. એવી પણ માહિતી સામે આવી છે કે વડોદરાથી નકલી સીબીઆઈ ઓફિસર બની ફરતો વ્યક્તિ પણ ઝડપાયો છે. જે નકલી ડીવાયએસપી તરીકે ઝડપાયો છે તેનું નામ છે વિનીત દવે છે. નકલી આઈડી કાર્ડ બનાવી રોફ જમાવતો હતો તેવી માહિતી સામે આવી છે.  

કોઈ વખત નકલી સરકારી ઓફિસ તો કોઈ વખત નકલી ટોલનાકું!

અમુક સમાચારો એવા હોય જે સમય જતા સામાન્ય લાગવા લાગે છે. થોડા સમય સુધી તેની ચર્ચા થાય પરંતુ તે બાદ તેની ચર્ચા નથી થતી કારણ કે ન્યુઝ સામાન્ય લાગવા લાગે છે! તેવા જ એક સમાચાર છે ગુજરાતમાંથી નકલી અધિકારી ઝડપાવું. નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો હોય તેવી રીતે અવાર-નવાર આવા સમાચારો સામે આવી રહ્યા છે. પહેલા નકલી ખાદ્યપદાર્થો પકડાતા હતા પરંતુ હવે તો નકલી સરકારી અધિકારીઓ પકડાઈ રહ્યા છે! કોઈ વખત તો આખેઆખું નકલી સરકારી ઓફિસ ઝડપાય છે તો કોઈ વખત નકલી ટોલનાકું ઝડપાય છે. 


જૂનાગઢથી ઝડપાયો નકલી ડિવાયએસપી 

નકલી અધિકારીઓ અંગે ચર્ચા જ્યારથી કિરણ પટેલ પકડાયો ત્યારથી થવા લાગી હતી. કિરણ પટેલ જ્યારે ઝડપાયો ત્યારે આ અંગે ચર્ચા થઈ. પરંતુ તે બાદ તો નકલી અધિકારીઓ પ્રતિદિન ઝડપાઈ રહ્યા હોય તેવું લાગે છે. કોઈ વખત નકલી સીએમઓ અધિકારી તો કોઈ વખત નકલી ધારાસભ્યનો નકલી પીએ ઝડપાય છે. ત્યારે આજે ફરી એક નકલી અધિકારી ઝડપાયો છે. જૂનાગઢથી નકલી ડિવાયએસપી ઝડપાયો છે. મહત્વનું છે પ્રજા માટે આ વાત સામાન્ય બની ગઈ હોય પરંતુ પ્રતિદિન સામે આવતી આવી ઘટનાઓ એ વિચારવા પર મજબૂર કરે છે કે સિસ્ટમને, લોકોને છેતરવા સાચે આટલા સરળ છે?     

Fake DySP: ફેમિલી કોર્ટનો ડ્રાઇવર નકલી ડીવાયએસપી બનીને લોકોને લગાવ્યો  કરોડોનો ચૂનો, જાણો સમગ્ર મામલો,  the-family-court-driver-cheated-people-by-becoming-a-fake-dysp-fake-dysp ...



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.