Amreliમાંથી પકડાઈ નકલી ઘી બનાવતી ફેક્ટરી, પર્દાફાશ ન થાય માટે પાણીના પ્લાન્ટની આડમાં ઉભી કરાઈ ફેક્ટરી! આ રીતે થયો પર્દાફાશ


  • Published By :
  • Published Date : 2023-12-20 12:30:20

નકલી ખાદ્ય પદાર્થો મળવાની ઘટનાઓ રોકાવાનું નામ નથી લઈ રહી. એક બાદ એક નકલી ખાદ્ય પદાર્થો બનાવતી ફેક્ટરીઓ ઝડપાઈ રહી છે. થોડા સમય પહેલા નકલી ઘી બનાવતી ફેક્ટરી ડીસામાંથી ઝડપાઈ હતી ત્યારે ફરી એક વખત નકલી ઘી બનાવતી ફેક્ટરી અમરેલીથી ઝડપાઈ છે.અમૃત મિનરલ વોટર પાણીનાં પ્લાન્ટની આડમાં મોટી માત્રામાં ઘીનો જથ્થો મળી આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે અમરેલીના લીલીયાના પીપળવા ગામમાં એક ફેકટરી પર દરોડા પાડવામાં આવ્યા ત્યારે આ કૌભાંડ ઝડપાયું હતું.

  અમરેલી: રાજ્યમાં અનેક વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યુ છે. વેપારીઓ થોડા રૂપિયાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા અચકાતા નથી. અમરેલીમાં પણ આવું જ એક કૌભાંડ સામે આવ્યુ છે. અમરેલીમાં નકલી ઘીના રેકેટનો પર્દાફાશ થયો છે. અમરેલી જિલ્લામાં મોડી રાતે લીલીયાના પીપળવા ગામ નજીક પાણીના પ્લાન્ટની આડમાં નકલી ઘીની મોટી ફેક્ટરી ધમધમી રહી હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા.જે પછી પીપળવા પાણીના પ્લાન્ટની આડમાં મોટી માત્રામાં ઘીનો જથ્થો મળી આવ્યો હતો. નકલી ઘીનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો હતો.

 નકલી ઘીના રેકેટનો પર્દાફાશ થવાની ઘટનાની જાણ થતાની સાથે ચકચાર મચી જવા પામી હતી. આ ઘીનો જથ્થો પાણીના પ્લાન્ટની આડમાં ચાલતો હતો. ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ત્યાં પહોંચીને ઘીના સેમ્પલ લીધા હતા. અમરેલી જિલ્લાના આ સૌથી મોટા નકલી ઘીના રેકેટનો પર્દાફાશ કરવામા આવ્યો છે.

અનેક વખત પકડાય છે નકલી ખાદ્ય પદાર્થોનો જથ્થો 

છેલ્લા ઘણા સમયથી નકલી શબ્દ સાંભળવો સામાન્ય બની ગયું છે. કોઈ વખત નકલી અધિકારી બનીને ફરતા લોકો ઝડપાય છે તો કોઈ વખત નકલી ખાદ્ય પદાર્થોનો જથ્થો પકડાય છે. નકલી ખાદ્ય પદાર્થો બનાવતી ફેક્ટરીઓ પકડાઈ રહી છે. થોડા સમય પહેલા ડીસામાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી ત્યારે આજે આવા જ સમાચાર અમરેલીથી સામે આવ્યા છે. થોડા પૈસાની લાલચમાં વેપારીઓ લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યા છે. આપણે એવું માનતા હોઈએ છીએ કે સારૂ જમાવાનું ખાઈએ તો આપણે સાજા રહીએ. બિમારીઓ ઓછી થાય. વાત પણ સાચી છે પરંતુ તે જ ખાવાનું, તે જ મસાલા નકલી હોય તો? શરીરને પોષણ આપવાની જગ્યાએ શરીરને બિમાર પાડવાનું કામ કરે. 


પાણીના પ્લાન્ટમાં ધમધમતી હતી નકલી ઘી બનાવવાની ફેક્ટરી 

નકલી ખાદ્ય પ્રદાર્થોનો જથ્થો અનેક વખત મળી આવે છે. રેડ દરમિયાન આવો જથ્થો મળી આવી છે. નકલી વસ્તુઓ બનાવીને વેચવાવાના રેકેટ પણ પર્દાફાશ થાય છે. ત્યારે અમરેલીમાં મોડી રાત્રે પીપળવા ગામ નજીક પાણીના પ્લાન્ટમાં દરોડા પાડવામાં આવ્યા હતા.  બતાવવા માટે તો તે પાણીનો પ્લાન્ટ હતો પરંતુ તેની આડમાં નકલી ઘીની મોટી ફેક્ટરી ધમધમી રહી હતી. પોલીસની ટીમને આ અંગે બાતમી મળી હતી અને તેના આધારે ત્યાં રેડ પાડવામાં આવી. જે પછી પીપળવા પાણીના પ્લાન્ટની આડમાં ચાલી રહેલી ઘીની ફેક્ટરીમાંથી મોટી માત્રામાં ઘીનો જથ્થો મળી આવ્યો હતો. ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ત્યાં પહોંચીને ઘીના સેમ્પલ લીધા હતા. મળતી માહિતી અનુસાર નકલી ઘીનો જથ્થો, વનસ્પતિ તેલ, બેરલ મશીનરી સહિતના મુદ્દામાલને કબજે કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા ડિસામાંથી પણ આવી ફેક્ટરી મળી આવી હતી. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.