Amreliમાંથી પકડાઈ નકલી ઘી બનાવતી ફેક્ટરી, પર્દાફાશ ન થાય માટે પાણીના પ્લાન્ટની આડમાં ઉભી કરાઈ ફેક્ટરી! આ રીતે થયો પર્દાફાશ


  • Published By :
  • Published Date : 2023-12-20 12:30:20

નકલી ખાદ્ય પદાર્થો મળવાની ઘટનાઓ રોકાવાનું નામ નથી લઈ રહી. એક બાદ એક નકલી ખાદ્ય પદાર્થો બનાવતી ફેક્ટરીઓ ઝડપાઈ રહી છે. થોડા સમય પહેલા નકલી ઘી બનાવતી ફેક્ટરી ડીસામાંથી ઝડપાઈ હતી ત્યારે ફરી એક વખત નકલી ઘી બનાવતી ફેક્ટરી અમરેલીથી ઝડપાઈ છે.અમૃત મિનરલ વોટર પાણીનાં પ્લાન્ટની આડમાં મોટી માત્રામાં ઘીનો જથ્થો મળી આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે અમરેલીના લીલીયાના પીપળવા ગામમાં એક ફેકટરી પર દરોડા પાડવામાં આવ્યા ત્યારે આ કૌભાંડ ઝડપાયું હતું.

  અમરેલી: રાજ્યમાં અનેક વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યુ છે. વેપારીઓ થોડા રૂપિયાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા અચકાતા નથી. અમરેલીમાં પણ આવું જ એક કૌભાંડ સામે આવ્યુ છે. અમરેલીમાં નકલી ઘીના રેકેટનો પર્દાફાશ થયો છે. અમરેલી જિલ્લામાં મોડી રાતે લીલીયાના પીપળવા ગામ નજીક પાણીના પ્લાન્ટની આડમાં નકલી ઘીની મોટી ફેક્ટરી ધમધમી રહી હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા.જે પછી પીપળવા પાણીના પ્લાન્ટની આડમાં મોટી માત્રામાં ઘીનો જથ્થો મળી આવ્યો હતો. નકલી ઘીનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો હતો.

 નકલી ઘીના રેકેટનો પર્દાફાશ થવાની ઘટનાની જાણ થતાની સાથે ચકચાર મચી જવા પામી હતી. આ ઘીનો જથ્થો પાણીના પ્લાન્ટની આડમાં ચાલતો હતો. ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ત્યાં પહોંચીને ઘીના સેમ્પલ લીધા હતા. અમરેલી જિલ્લાના આ સૌથી મોટા નકલી ઘીના રેકેટનો પર્દાફાશ કરવામા આવ્યો છે.

અનેક વખત પકડાય છે નકલી ખાદ્ય પદાર્થોનો જથ્થો 

છેલ્લા ઘણા સમયથી નકલી શબ્દ સાંભળવો સામાન્ય બની ગયું છે. કોઈ વખત નકલી અધિકારી બનીને ફરતા લોકો ઝડપાય છે તો કોઈ વખત નકલી ખાદ્ય પદાર્થોનો જથ્થો પકડાય છે. નકલી ખાદ્ય પદાર્થો બનાવતી ફેક્ટરીઓ પકડાઈ રહી છે. થોડા સમય પહેલા ડીસામાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી ત્યારે આજે આવા જ સમાચાર અમરેલીથી સામે આવ્યા છે. થોડા પૈસાની લાલચમાં વેપારીઓ લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યા છે. આપણે એવું માનતા હોઈએ છીએ કે સારૂ જમાવાનું ખાઈએ તો આપણે સાજા રહીએ. બિમારીઓ ઓછી થાય. વાત પણ સાચી છે પરંતુ તે જ ખાવાનું, તે જ મસાલા નકલી હોય તો? શરીરને પોષણ આપવાની જગ્યાએ શરીરને બિમાર પાડવાનું કામ કરે. 


પાણીના પ્લાન્ટમાં ધમધમતી હતી નકલી ઘી બનાવવાની ફેક્ટરી 

નકલી ખાદ્ય પ્રદાર્થોનો જથ્થો અનેક વખત મળી આવે છે. રેડ દરમિયાન આવો જથ્થો મળી આવી છે. નકલી વસ્તુઓ બનાવીને વેચવાવાના રેકેટ પણ પર્દાફાશ થાય છે. ત્યારે અમરેલીમાં મોડી રાત્રે પીપળવા ગામ નજીક પાણીના પ્લાન્ટમાં દરોડા પાડવામાં આવ્યા હતા.  બતાવવા માટે તો તે પાણીનો પ્લાન્ટ હતો પરંતુ તેની આડમાં નકલી ઘીની મોટી ફેક્ટરી ધમધમી રહી હતી. પોલીસની ટીમને આ અંગે બાતમી મળી હતી અને તેના આધારે ત્યાં રેડ પાડવામાં આવી. જે પછી પીપળવા પાણીના પ્લાન્ટની આડમાં ચાલી રહેલી ઘીની ફેક્ટરીમાંથી મોટી માત્રામાં ઘીનો જથ્થો મળી આવ્યો હતો. ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ત્યાં પહોંચીને ઘીના સેમ્પલ લીધા હતા. મળતી માહિતી અનુસાર નકલી ઘીનો જથ્થો, વનસ્પતિ તેલ, બેરલ મશીનરી સહિતના મુદ્દામાલને કબજે કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા ડિસામાંથી પણ આવી ફેક્ટરી મળી આવી હતી. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.