Gujaratમાં ફેલાઈ નકલીની માયાજાળ! નકલી બિયારણ મુદ્દે ભાજપના આ સાંસદે કૃષિમંત્રીને લખ્યો પત્ર અને કરી આ માગ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-07 12:39:35

કોઈ વખત નકલી ઘી ઝડપાય છે તો કોઈ વખત નકલી ઈનોનો જથ્થો ઝડપાય છે. નકલી તેલ, નકલી મસાલા સહિતની વસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવતી હોય છે તેવી માહિતી અનેક વખત સામે આવતી હોય છે. નકલીની માયાજાળ ફેલાઈ ગઈ છે. ત્યારે નકલી બિયારણનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે તેવો ભાજપના જ નેતા દ્વારા કરવામાં આવ્યો! નકલી બિયારણને કારણે આપણા આરોગ્ય પર કેટલી ગંભીર અસર પડે તે આપણે વિચારી શકીએ છીએ. ભાજપના સાંસદ રામ મોકરિયાએ કૃષિમંત્રીને આ અંગે પત્ર લખ્યો જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે ખેડૂતોને નકલી બિયારણો આપવામાં આવી રહ્યા છે. રાઘવજી પટેલને નકલી બિયારણ મુદ્દે પત્ર લખ્યો છે. નકલી બિયારણ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે તેમણે પત્ર લખ્યો છે.

કૃષિમંત્રી રાઘવજી પટેલે વાવાઝોડા અસરગ્રસ્ત કચ્છ જિલ્લાની મુલાકાત લઇ થયેલા  નુકસાનની સમીક્ષા કરી

પાકના ઉત્પાદનમાં બીજની પસંદગીનું મહત્વ

નકલી બિયારણ અંગે ભાજપના સાંસદે લખ્યો કૃષિમંત્રીને પત્ર 

ખેડૂતોની પરિસ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. ખેડૂતોની પરિસ્થિતિ કથળતી જઈ રહી છે. મુખ્યત્વે દરેક વખતે ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે. લાઈનમાં ઉભા રહેવું જાણે તેમનું નસીબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતોને પોષણસમા ભાવ નથી મળતા. તો બિયારણ માટે પણ મોટી રકમ ચૂકવવી પડે છે. બિયારણ માટે પણ વધારે પૈસા ચૂકવવા પડે છે અને તેમાં પણ અનેક વખત ખેડૂતોને નકલી બિયારણ મળતું હોય છે. નકલી બિયારણનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. નકલી બિયારણને કારણે ખેડૂતોને ભારે નુકસાન થાય છે. ત્યારે આ નકલી બિયારણ વેચતા માફિયાઓ વિરૂદ્ધ  જલ્દી કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે ભાજપના સાંસદ રામ મોકરિયાએ કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે. ભેળસેળ કરનાર લોકોને જેલ ભેગા કરવામાં આવે તેવી માગ ભાજપના સાંસદે કરી છે. 

  Gujarat gets 2 new Rajya Sabha MPs, Ram Mokria and Dinesh Prajati win  unopposed

ત્યારે આ અંગે શું કાર્યવાહી થાય છે તેની પર સૌ કોઈની નજર!

છેલ્લા ઘણા સમયથી નકલી વસ્તુઓનો જથ્થો ઝડપાય છે. નકલી હળદર, નકલી ઈનો, નકલી ઘી, નકલી મુખવાસ જેવી વસ્તુઓ પકડાઈ રહી છે. લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ભેળસેળ યુક્ત ખાવાનું મળતા લોકો ગંભીર બિમારીનો શિકાર બની રહ્યા છે. નકલીમાં સારી કમાણી છે તેવું માની નફાખોરી કરનાર લોકો બીજાના આરોગ્યનું પણ નથી વિચારતા. જિંદગી સાથે રમત કરતા પણ ખચકાતા નથી. લોકોના ભોજન સાથે મજાક થઈ રહી છે. ત્યારે આ મામલે કોઈ ગંભીર કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું..! 99 ટકા કેસમાં તો કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી ત્યારે આ કેસમાં શું પગલા લેવામાં આવે છે તે જોવું રહ્યું કારણ કે ભાજપના જ સાંસદે કાર્યવાહી કરવાની માગ કરી છે...              



વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...

પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે... ઠેર ઠેક ભાજપનો વિરોધ થયો. ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને ફરી એક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે. નેતાઓ દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા છે જેને કારણે વિવાદ છેડાતો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નેતા અને ચૂંટણીને સમર્પિત રચના.