Gujaratમાં ફેલાઈ નકલીની માયાજાળ! નકલી બિયારણ મુદ્દે ભાજપના આ સાંસદે કૃષિમંત્રીને લખ્યો પત્ર અને કરી આ માગ


  • Published By :
  • Published Date : 2023-11-07 12:39:35

કોઈ વખત નકલી ઘી ઝડપાય છે તો કોઈ વખત નકલી ઈનોનો જથ્થો ઝડપાય છે. નકલી તેલ, નકલી મસાલા સહિતની વસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવતી હોય છે તેવી માહિતી અનેક વખત સામે આવતી હોય છે. નકલીની માયાજાળ ફેલાઈ ગઈ છે. ત્યારે નકલી બિયારણનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે તેવો ભાજપના જ નેતા દ્વારા કરવામાં આવ્યો! નકલી બિયારણને કારણે આપણા આરોગ્ય પર કેટલી ગંભીર અસર પડે તે આપણે વિચારી શકીએ છીએ. ભાજપના સાંસદ રામ મોકરિયાએ કૃષિમંત્રીને આ અંગે પત્ર લખ્યો જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે ખેડૂતોને નકલી બિયારણો આપવામાં આવી રહ્યા છે. રાઘવજી પટેલને નકલી બિયારણ મુદ્દે પત્ર લખ્યો છે. નકલી બિયારણ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે તેમણે પત્ર લખ્યો છે.

કૃષિમંત્રી રાઘવજી પટેલે વાવાઝોડા અસરગ્રસ્ત કચ્છ જિલ્લાની મુલાકાત લઇ થયેલા  નુકસાનની સમીક્ષા કરી

પાકના ઉત્પાદનમાં બીજની પસંદગીનું મહત્વ

નકલી બિયારણ અંગે ભાજપના સાંસદે લખ્યો કૃષિમંત્રીને પત્ર 

ખેડૂતોની પરિસ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. ખેડૂતોની પરિસ્થિતિ કથળતી જઈ રહી છે. મુખ્યત્વે દરેક વખતે ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે. લાઈનમાં ઉભા રહેવું જાણે તેમનું નસીબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતોને પોષણસમા ભાવ નથી મળતા. તો બિયારણ માટે પણ મોટી રકમ ચૂકવવી પડે છે. બિયારણ માટે પણ વધારે પૈસા ચૂકવવા પડે છે અને તેમાં પણ અનેક વખત ખેડૂતોને નકલી બિયારણ મળતું હોય છે. નકલી બિયારણનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. નકલી બિયારણને કારણે ખેડૂતોને ભારે નુકસાન થાય છે. ત્યારે આ નકલી બિયારણ વેચતા માફિયાઓ વિરૂદ્ધ  જલ્દી કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે ભાજપના સાંસદ રામ મોકરિયાએ કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે. ભેળસેળ કરનાર લોકોને જેલ ભેગા કરવામાં આવે તેવી માગ ભાજપના સાંસદે કરી છે. 

  Gujarat gets 2 new Rajya Sabha MPs, Ram Mokria and Dinesh Prajati win  unopposed

ત્યારે આ અંગે શું કાર્યવાહી થાય છે તેની પર સૌ કોઈની નજર!

છેલ્લા ઘણા સમયથી નકલી વસ્તુઓનો જથ્થો ઝડપાય છે. નકલી હળદર, નકલી ઈનો, નકલી ઘી, નકલી મુખવાસ જેવી વસ્તુઓ પકડાઈ રહી છે. લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ભેળસેળ યુક્ત ખાવાનું મળતા લોકો ગંભીર બિમારીનો શિકાર બની રહ્યા છે. નકલીમાં સારી કમાણી છે તેવું માની નફાખોરી કરનાર લોકો બીજાના આરોગ્યનું પણ નથી વિચારતા. જિંદગી સાથે રમત કરતા પણ ખચકાતા નથી. લોકોના ભોજન સાથે મજાક થઈ રહી છે. ત્યારે આ મામલે કોઈ ગંભીર કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું..! 99 ટકા કેસમાં તો કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી ત્યારે આ કેસમાં શું પગલા લેવામાં આવે છે તે જોવું રહ્યું કારણ કે ભાજપના જ સાંસદે કાર્યવાહી કરવાની માગ કરી છે...              



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.