Gujaratમાં ફેલાઈ નકલીની માયાજાળ! નકલી બિયારણ મુદ્દે ભાજપના આ સાંસદે કૃષિમંત્રીને લખ્યો પત્ર અને કરી આ માગ


  • Published By :
  • Published Date : 2023-11-07 12:39:35

કોઈ વખત નકલી ઘી ઝડપાય છે તો કોઈ વખત નકલી ઈનોનો જથ્થો ઝડપાય છે. નકલી તેલ, નકલી મસાલા સહિતની વસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવતી હોય છે તેવી માહિતી અનેક વખત સામે આવતી હોય છે. નકલીની માયાજાળ ફેલાઈ ગઈ છે. ત્યારે નકલી બિયારણનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે તેવો ભાજપના જ નેતા દ્વારા કરવામાં આવ્યો! નકલી બિયારણને કારણે આપણા આરોગ્ય પર કેટલી ગંભીર અસર પડે તે આપણે વિચારી શકીએ છીએ. ભાજપના સાંસદ રામ મોકરિયાએ કૃષિમંત્રીને આ અંગે પત્ર લખ્યો જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે ખેડૂતોને નકલી બિયારણો આપવામાં આવી રહ્યા છે. રાઘવજી પટેલને નકલી બિયારણ મુદ્દે પત્ર લખ્યો છે. નકલી બિયારણ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે તેમણે પત્ર લખ્યો છે.

કૃષિમંત્રી રાઘવજી પટેલે વાવાઝોડા અસરગ્રસ્ત કચ્છ જિલ્લાની મુલાકાત લઇ થયેલા  નુકસાનની સમીક્ષા કરી

પાકના ઉત્પાદનમાં બીજની પસંદગીનું મહત્વ

નકલી બિયારણ અંગે ભાજપના સાંસદે લખ્યો કૃષિમંત્રીને પત્ર 

ખેડૂતોની પરિસ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. ખેડૂતોની પરિસ્થિતિ કથળતી જઈ રહી છે. મુખ્યત્વે દરેક વખતે ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે. લાઈનમાં ઉભા રહેવું જાણે તેમનું નસીબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતોને પોષણસમા ભાવ નથી મળતા. તો બિયારણ માટે પણ મોટી રકમ ચૂકવવી પડે છે. બિયારણ માટે પણ વધારે પૈસા ચૂકવવા પડે છે અને તેમાં પણ અનેક વખત ખેડૂતોને નકલી બિયારણ મળતું હોય છે. નકલી બિયારણનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. નકલી બિયારણને કારણે ખેડૂતોને ભારે નુકસાન થાય છે. ત્યારે આ નકલી બિયારણ વેચતા માફિયાઓ વિરૂદ્ધ  જલ્દી કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે ભાજપના સાંસદ રામ મોકરિયાએ કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે. ભેળસેળ કરનાર લોકોને જેલ ભેગા કરવામાં આવે તેવી માગ ભાજપના સાંસદે કરી છે. 

  Gujarat gets 2 new Rajya Sabha MPs, Ram Mokria and Dinesh Prajati win  unopposed

ત્યારે આ અંગે શું કાર્યવાહી થાય છે તેની પર સૌ કોઈની નજર!

છેલ્લા ઘણા સમયથી નકલી વસ્તુઓનો જથ્થો ઝડપાય છે. નકલી હળદર, નકલી ઈનો, નકલી ઘી, નકલી મુખવાસ જેવી વસ્તુઓ પકડાઈ રહી છે. લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ભેળસેળ યુક્ત ખાવાનું મળતા લોકો ગંભીર બિમારીનો શિકાર બની રહ્યા છે. નકલીમાં સારી કમાણી છે તેવું માની નફાખોરી કરનાર લોકો બીજાના આરોગ્યનું પણ નથી વિચારતા. જિંદગી સાથે રમત કરતા પણ ખચકાતા નથી. લોકોના ભોજન સાથે મજાક થઈ રહી છે. ત્યારે આ મામલે કોઈ ગંભીર કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું..! 99 ટકા કેસમાં તો કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી ત્યારે આ કેસમાં શું પગલા લેવામાં આવે છે તે જોવું રહ્યું કારણ કે ભાજપના જ સાંસદે કાર્યવાહી કરવાની માગ કરી છે...              



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.