Navsariમાંથી નકલી નોટો છાપનાર પકડાયો, નકલી નોટો પ્રિન્ટ કરી મોજશોખ પુરા કરતો!


  • Published By :
  • Published Date : 2023-12-28 17:12:46

નકલી નોટો પકડાઈ એવા સમાચારો તો આપણે ઘણા સમયથી સાંભળીયે જ છીએ પણ આ નકલીની સીઝન વચ્ચે નકલી નોટો પકડાય એ લોકો માટે ઇન્ટ્રેસ્ટિન્ગ હોય તેવું લાગે છે ઓરિજનલ ચલણી નોટ જેવી આબેહૂબ દેખાતી નકલી ચલણી નોટના કૌભાંડનો પર્દાફાશ નવસારી પોલીસે કર્યો છે. 

નકલી નોટો છાપવાનો ચાલી રહ્યો હતો કારોબાર 

હાલમાં નકલી નોટ છાપી ઝડપી રીતે પૈસાદાર થવાનો કિમીયો અજમાવવા જતા યુવાનો મોટાભાગે પોલીસના હાથે ઝડપાય છે. નવસારીમાં ભૂતકાળમાં પણ કેટલાક કેસ નોંધાયા છે ત્યારે ફરી વાર ચીખલી વિસ્તારમાંથી કલર પ્રિન્ટર પર સ્કેન કરી નકલી ચલણી નોટ વટાવે તે પહેલા જ નવસારીના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને એક આરોપીને ઝડપી પાડયો છે. કોમ્પ્યુટર ડિઝાઇનમાં માસ્ટર માઇન્ડ ગણાતા ઈસમો લાલચમાં આવીને ચલણી નોટોની ડિઝાઇન બનાવીને પ્રિન્ટ કાઢી આ નોટો બજારમાં ફેરવવાના ફિરાગમાં હોય છે.

Navsari news: Soon, the young man started printing fake notes at home in a hurry to get rich, this is how he was exposed Navsari News: ટૂંક સમયમાં માલામાલ થવા ચીખલીમાં યુવકે ઘરે જ છાપવાનું શરૂ કર્યુ નકલી નોટો, આ રીતે થયો પર્દાફાશ


100 તેમજ 200ની નોટો મળી આવી 

ચીખલી તાલુકાના તળાવચોરા ગામે મોટા ફળિયામાં રહેતો તેજસ સુરેશભાઈ ચૌહાણ પોતાના મકાનમાં કલર પ્રિન્ટર વડે બનાવેલા જુદાજુદા દરની બનાવટી ચલણી નોટ સાથે સ્કેનર મળી આવ્યું હતું. નોટ સ્કેન કરી તેને અસલ દેખાય તે રીતે આકાર આપતો હતો. જેની પાસેથી 100 રૂપિયાની નોટો અને 200 રૂપિયાની નોટો પણ મળી છે. 


ટૂંકા માર્ગ અપનાવી પૈસા કમાવાની છે લાલચ 

રાતોરાત ઘરની તિજોરી છલકાઈ જાય એવા અરમાનો હાલ યુવાપેઢીમાં વ્યાપક જોવા મળી રહ્યા છે ત્યારે રૂપિયા કમાવવાનો ટૂંકો માર્ગ પણ સેહલાઈથી અપનાવી ને લાલચમાં ને લાલચમાં એવું કરી બેસે છે જેના કારણે જિંદગીભર પસ્તાવું પડે અને જયારે ભૂલનો એહસાસ થાય છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે...



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.