Navsariમાંથી નકલી નોટો છાપનાર પકડાયો, નકલી નોટો પ્રિન્ટ કરી મોજશોખ પુરા કરતો!


  • Published By :
  • Published Date : 2023-12-28 17:12:46

નકલી નોટો પકડાઈ એવા સમાચારો તો આપણે ઘણા સમયથી સાંભળીયે જ છીએ પણ આ નકલીની સીઝન વચ્ચે નકલી નોટો પકડાય એ લોકો માટે ઇન્ટ્રેસ્ટિન્ગ હોય તેવું લાગે છે ઓરિજનલ ચલણી નોટ જેવી આબેહૂબ દેખાતી નકલી ચલણી નોટના કૌભાંડનો પર્દાફાશ નવસારી પોલીસે કર્યો છે. 

નકલી નોટો છાપવાનો ચાલી રહ્યો હતો કારોબાર 

હાલમાં નકલી નોટ છાપી ઝડપી રીતે પૈસાદાર થવાનો કિમીયો અજમાવવા જતા યુવાનો મોટાભાગે પોલીસના હાથે ઝડપાય છે. નવસારીમાં ભૂતકાળમાં પણ કેટલાક કેસ નોંધાયા છે ત્યારે ફરી વાર ચીખલી વિસ્તારમાંથી કલર પ્રિન્ટર પર સ્કેન કરી નકલી ચલણી નોટ વટાવે તે પહેલા જ નવસારીના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને એક આરોપીને ઝડપી પાડયો છે. કોમ્પ્યુટર ડિઝાઇનમાં માસ્ટર માઇન્ડ ગણાતા ઈસમો લાલચમાં આવીને ચલણી નોટોની ડિઝાઇન બનાવીને પ્રિન્ટ કાઢી આ નોટો બજારમાં ફેરવવાના ફિરાગમાં હોય છે.

Navsari news: Soon, the young man started printing fake notes at home in a hurry to get rich, this is how he was exposed Navsari News: ટૂંક સમયમાં માલામાલ થવા ચીખલીમાં યુવકે ઘરે જ છાપવાનું શરૂ કર્યુ નકલી નોટો, આ રીતે થયો પર્દાફાશ


100 તેમજ 200ની નોટો મળી આવી 

ચીખલી તાલુકાના તળાવચોરા ગામે મોટા ફળિયામાં રહેતો તેજસ સુરેશભાઈ ચૌહાણ પોતાના મકાનમાં કલર પ્રિન્ટર વડે બનાવેલા જુદાજુદા દરની બનાવટી ચલણી નોટ સાથે સ્કેનર મળી આવ્યું હતું. નોટ સ્કેન કરી તેને અસલ દેખાય તે રીતે આકાર આપતો હતો. જેની પાસેથી 100 રૂપિયાની નોટો અને 200 રૂપિયાની નોટો પણ મળી છે. 


ટૂંકા માર્ગ અપનાવી પૈસા કમાવાની છે લાલચ 

રાતોરાત ઘરની તિજોરી છલકાઈ જાય એવા અરમાનો હાલ યુવાપેઢીમાં વ્યાપક જોવા મળી રહ્યા છે ત્યારે રૂપિયા કમાવવાનો ટૂંકો માર્ગ પણ સેહલાઈથી અપનાવી ને લાલચમાં ને લાલચમાં એવું કરી બેસે છે જેના કારણે જિંદગીભર પસ્તાવું પડે અને જયારે ભૂલનો એહસાસ થાય છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે...



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.