Aravalliમાં ઝડપાઈ સિંચાઈ વિભાગની નકલી કચેરી? MLA Dhavalsinh Zalaએ નકલી કચેરીનો પર્દાફાશ કર્યો! સાંભળો શું કહ્યું ધારાસભ્યએ?


  • Published By :
  • Published Date : 2024-05-23 13:16:00

નકલી.. આ શબ્દ ગુજરાતમાં દર થોડા દિવસો બાદ સંભળાય છે.. કોઈ વખત નકલી અધિકારી પકડાય છે તો કોઈ વખત આખે આખી નકલી કચેરી પકડાય છે.. નકલી કચેરી અનેક વખત ઝડપાઈ છે ત્યારે ગુજરાતમાં વધુ એક નકલી કાંડ થયો છે..! અરવલ્લી જિલ્લાના મોડાસામાં સિંચાઈ વિભાગની કથિત નકલી ઓફિસ હોવાનું સામે આવ્યું છે.. બાયડના ધારાસભ્યને શંકા જતા તેમણે સ્થળની મુલાકાત લીધી હતી.. મોડાસામાં બાયપાસ પર તિરૂપતિ રેસીડેન્સીના બંગ્લોઝમાં સિંચાઈ વિભાગની નકલી કચેરી ચાલતી હોવાનું બહાર આવ્યું છે... 


અનેક વખત આવતી હતી ફરિયાદો...  

ગુજરાતમાં દર થોડા દિવસે કંઈકનું કંઈક નકલી પકડાઈ રહ્યું છે.. ખાવાની ચીજ વસ્તુથી લઈને નકલી કચેરીઓ, નકલી સરકારી ઓફિસ બધું નકલી પકડાઈ રહ્યું છે.. નકલી કચેરીની વાત એટલા માટે કરવી છે કારણ કે ફરી એકવાર મોડાસાથી નકલી સિંચાઈ વિભાગની કચેરી પકડાઈ છે તેવી માહિતી સામે આવી છે.. મળતી માહિતી અનુસાર રિટાયર્ડ સિંચાઈ વિભાગના અધિકારીઑ જ આ કચેરી ગેરકાયદેસર ચલાવતા હતા તેવી માહિતી સામે આવી છે.. ઘણી બધી વાર કંપલેન આવતી હતી તો બાયડના MLA ધવલસિંહ ઝાલાને શંકા ગઈ.. 

શું કહ્યું ધારાસભ્યએ? 

ધારાસભ્યને શંકા ગઈ કે આમાં કંઈક તો ગડબડ છે.  આ મામલે તપાસ કરવા માટે તે ત્યાં પહોંચ્યા હતા. તો કચેરી 7 જેટલા શખ્સો કામ કરતા મળી આવ્યા અને કૌભાંડનો પર્દાફાશ થયો.. ધારાસભ્ય દ્વારા જણાવવામાં આવ્યું કે થોડા સમય પહેલા તેમને એક વ્યક્તિનો ફોન આવ્યો અને તેમને આ નકલી કચેરી અંગેની માહિતી આપી.. જેને ધ્યાનમાં રાખી તે આ મામલે વોચ રાખી રહ્યા હતા.. કલેક્ટર તેમજ એસપીને પણ આ મામલે જાણ કરાઈ. તપાસના આદેશ પણ આપવામાં આવ્યા. આ બધા વચ્ચે ધારાસભ્યએ સ્થળ મુલાકાત લીધી.. 

 

આની પહેલા પણ પકડાઈ હતી નકલી કચેરી!

મહત્વનું છે કે થોડા મહિના પહેલા જ નકલી કચેરી દાહોદથી પકડાઈ હતી.. દાહોદમાં નકલી કચેરી ઉભી કરી રૂ. 18.59 કરોડના કૌભાંડ કર્યું હતું. અત્યારે બધાને મેહનત કર્યા વગર પૈસા કમાવવા છે કોઈને ઉલ્લુ બનાવીને અને કોઈને છેતરીને.. કોઈને કાયદા અને વ્યવસ્થાનો ડર જ નથી તેવું લાગે છે.. તમારું આ મામલે શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવો!



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"