Aravalliમાં ઝડપાઈ સિંચાઈ વિભાગની નકલી કચેરી? MLA Dhavalsinh Zalaએ નકલી કચેરીનો પર્દાફાશ કર્યો! સાંભળો શું કહ્યું ધારાસભ્યએ?


  • Published By :
  • Published Date : 2024-05-23 13:16:00

નકલી.. આ શબ્દ ગુજરાતમાં દર થોડા દિવસો બાદ સંભળાય છે.. કોઈ વખત નકલી અધિકારી પકડાય છે તો કોઈ વખત આખે આખી નકલી કચેરી પકડાય છે.. નકલી કચેરી અનેક વખત ઝડપાઈ છે ત્યારે ગુજરાતમાં વધુ એક નકલી કાંડ થયો છે..! અરવલ્લી જિલ્લાના મોડાસામાં સિંચાઈ વિભાગની કથિત નકલી ઓફિસ હોવાનું સામે આવ્યું છે.. બાયડના ધારાસભ્યને શંકા જતા તેમણે સ્થળની મુલાકાત લીધી હતી.. મોડાસામાં બાયપાસ પર તિરૂપતિ રેસીડેન્સીના બંગ્લોઝમાં સિંચાઈ વિભાગની નકલી કચેરી ચાલતી હોવાનું બહાર આવ્યું છે... 


અનેક વખત આવતી હતી ફરિયાદો...  

ગુજરાતમાં દર થોડા દિવસે કંઈકનું કંઈક નકલી પકડાઈ રહ્યું છે.. ખાવાની ચીજ વસ્તુથી લઈને નકલી કચેરીઓ, નકલી સરકારી ઓફિસ બધું નકલી પકડાઈ રહ્યું છે.. નકલી કચેરીની વાત એટલા માટે કરવી છે કારણ કે ફરી એકવાર મોડાસાથી નકલી સિંચાઈ વિભાગની કચેરી પકડાઈ છે તેવી માહિતી સામે આવી છે.. મળતી માહિતી અનુસાર રિટાયર્ડ સિંચાઈ વિભાગના અધિકારીઑ જ આ કચેરી ગેરકાયદેસર ચલાવતા હતા તેવી માહિતી સામે આવી છે.. ઘણી બધી વાર કંપલેન આવતી હતી તો બાયડના MLA ધવલસિંહ ઝાલાને શંકા ગઈ.. 

શું કહ્યું ધારાસભ્યએ? 

ધારાસભ્યને શંકા ગઈ કે આમાં કંઈક તો ગડબડ છે.  આ મામલે તપાસ કરવા માટે તે ત્યાં પહોંચ્યા હતા. તો કચેરી 7 જેટલા શખ્સો કામ કરતા મળી આવ્યા અને કૌભાંડનો પર્દાફાશ થયો.. ધારાસભ્ય દ્વારા જણાવવામાં આવ્યું કે થોડા સમય પહેલા તેમને એક વ્યક્તિનો ફોન આવ્યો અને તેમને આ નકલી કચેરી અંગેની માહિતી આપી.. જેને ધ્યાનમાં રાખી તે આ મામલે વોચ રાખી રહ્યા હતા.. કલેક્ટર તેમજ એસપીને પણ આ મામલે જાણ કરાઈ. તપાસના આદેશ પણ આપવામાં આવ્યા. આ બધા વચ્ચે ધારાસભ્યએ સ્થળ મુલાકાત લીધી.. 

 

આની પહેલા પણ પકડાઈ હતી નકલી કચેરી!

મહત્વનું છે કે થોડા મહિના પહેલા જ નકલી કચેરી દાહોદથી પકડાઈ હતી.. દાહોદમાં નકલી કચેરી ઉભી કરી રૂ. 18.59 કરોડના કૌભાંડ કર્યું હતું. અત્યારે બધાને મેહનત કર્યા વગર પૈસા કમાવવા છે કોઈને ઉલ્લુ બનાવીને અને કોઈને છેતરીને.. કોઈને કાયદા અને વ્યવસ્થાનો ડર જ નથી તેવું લાગે છે.. તમારું આ મામલે શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવો!



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.