Aravalliમાં ઝડપાઈ સિંચાઈ વિભાગની નકલી કચેરી? MLA Dhavalsinh Zalaએ નકલી કચેરીનો પર્દાફાશ કર્યો! સાંભળો શું કહ્યું ધારાસભ્યએ?


  • Published By :
  • Published Date : 2024-05-23 13:16:00

નકલી.. આ શબ્દ ગુજરાતમાં દર થોડા દિવસો બાદ સંભળાય છે.. કોઈ વખત નકલી અધિકારી પકડાય છે તો કોઈ વખત આખે આખી નકલી કચેરી પકડાય છે.. નકલી કચેરી અનેક વખત ઝડપાઈ છે ત્યારે ગુજરાતમાં વધુ એક નકલી કાંડ થયો છે..! અરવલ્લી જિલ્લાના મોડાસામાં સિંચાઈ વિભાગની કથિત નકલી ઓફિસ હોવાનું સામે આવ્યું છે.. બાયડના ધારાસભ્યને શંકા જતા તેમણે સ્થળની મુલાકાત લીધી હતી.. મોડાસામાં બાયપાસ પર તિરૂપતિ રેસીડેન્સીના બંગ્લોઝમાં સિંચાઈ વિભાગની નકલી કચેરી ચાલતી હોવાનું બહાર આવ્યું છે... 


અનેક વખત આવતી હતી ફરિયાદો...  

ગુજરાતમાં દર થોડા દિવસે કંઈકનું કંઈક નકલી પકડાઈ રહ્યું છે.. ખાવાની ચીજ વસ્તુથી લઈને નકલી કચેરીઓ, નકલી સરકારી ઓફિસ બધું નકલી પકડાઈ રહ્યું છે.. નકલી કચેરીની વાત એટલા માટે કરવી છે કારણ કે ફરી એકવાર મોડાસાથી નકલી સિંચાઈ વિભાગની કચેરી પકડાઈ છે તેવી માહિતી સામે આવી છે.. મળતી માહિતી અનુસાર રિટાયર્ડ સિંચાઈ વિભાગના અધિકારીઑ જ આ કચેરી ગેરકાયદેસર ચલાવતા હતા તેવી માહિતી સામે આવી છે.. ઘણી બધી વાર કંપલેન આવતી હતી તો બાયડના MLA ધવલસિંહ ઝાલાને શંકા ગઈ.. 

શું કહ્યું ધારાસભ્યએ? 

ધારાસભ્યને શંકા ગઈ કે આમાં કંઈક તો ગડબડ છે.  આ મામલે તપાસ કરવા માટે તે ત્યાં પહોંચ્યા હતા. તો કચેરી 7 જેટલા શખ્સો કામ કરતા મળી આવ્યા અને કૌભાંડનો પર્દાફાશ થયો.. ધારાસભ્ય દ્વારા જણાવવામાં આવ્યું કે થોડા સમય પહેલા તેમને એક વ્યક્તિનો ફોન આવ્યો અને તેમને આ નકલી કચેરી અંગેની માહિતી આપી.. જેને ધ્યાનમાં રાખી તે આ મામલે વોચ રાખી રહ્યા હતા.. કલેક્ટર તેમજ એસપીને પણ આ મામલે જાણ કરાઈ. તપાસના આદેશ પણ આપવામાં આવ્યા. આ બધા વચ્ચે ધારાસભ્યએ સ્થળ મુલાકાત લીધી.. 

 

આની પહેલા પણ પકડાઈ હતી નકલી કચેરી!

મહત્વનું છે કે થોડા મહિના પહેલા જ નકલી કચેરી દાહોદથી પકડાઈ હતી.. દાહોદમાં નકલી કચેરી ઉભી કરી રૂ. 18.59 કરોડના કૌભાંડ કર્યું હતું. અત્યારે બધાને મેહનત કર્યા વગર પૈસા કમાવવા છે કોઈને ઉલ્લુ બનાવીને અને કોઈને છેતરીને.. કોઈને કાયદા અને વ્યવસ્થાનો ડર જ નથી તેવું લાગે છે.. તમારું આ મામલે શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવો!



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.