Rajkotથી ઝડપાઈ નકલી સ્કૂલ? નકલી ટોલનાકું, નકલી કચેરી બાદ નકલી શાળાનો પર્દાફાશ થયો!


  • Published By :
  • Published Date : 2024-07-05 17:44:06

ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે.. નકલી અધિકારી, નકલી ટોલનાકું, નકલી ઘી, નકલી પીએમઓ અધિકારી ઝડપાયા છે ત્યારે હવે રાજકોટથી નકલી સ્કૂલ ચાલતી હોવાનો પર્દાફાશ થયો છે તેવી માહિતી સામે આવી છે.. કોઈ પણ માન્યતા વગર આ શાળા ચાલતી હોય તેવી માહિતી સામે આવી છે. દુકાનમાં નકલી શાળા ચાલતી હોવાની વાત સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

fake school caught in rajkot


નકલી શાળા પકડાઈ હોવનાની માહિતી 

રાજકોટથી નકલી શાળા મળી હોવાના સમાચાર સામે આવ્યા છે. નકલી ટોલનાકુ, નકલી કચેરી પકડાવાની વાત તો આપણને મળી છે પરંતુ હવે તો નકલી શાળા ચાલતી હોવાની માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર રાજકોટ માલસિયાસણના પીપળીયામાંથી નકલી શાળા પકડાઈ છે. કોઈ પણ પરમિશન વગર આ શાળા ચાલતી હતી તેવી માહિતી સામે આવી છે. ગૌરી પ્રિ પ્રામાઈમરી સ્કૂલના નામે નકલી શાળા ચાલતી હતી. 

યુવરાજસિંહે કરી આ પોસ્ટ શેર.. 

માહિતી અનુસાર શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. શાળાના સંચાલકો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા અરવલ્લીમાંથી સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઈ હતી. તે સિવાય નકલી અધિકારી, નકલી ટોલનાડું પકડાવાની વાત સામે આવી હતી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા આ પણ ટ્વિટ કરવામાં આવી છે. તેમણે લખ્યું કે લો બોલો.. રાજકોટના માલિયાસણના પીપળીયામાંથી નકલી શાળા પકડાઈ.. ત્યારે હવે આ મામલે તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.