Rajkotથી ઝડપાઈ નકલી સ્કૂલ? નકલી ટોલનાકું, નકલી કચેરી બાદ નકલી શાળાનો પર્દાફાશ થયો!


  • Published By :
  • Published Date : 2024-07-05 17:44:06

ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે.. નકલી અધિકારી, નકલી ટોલનાકું, નકલી ઘી, નકલી પીએમઓ અધિકારી ઝડપાયા છે ત્યારે હવે રાજકોટથી નકલી સ્કૂલ ચાલતી હોવાનો પર્દાફાશ થયો છે તેવી માહિતી સામે આવી છે.. કોઈ પણ માન્યતા વગર આ શાળા ચાલતી હોય તેવી માહિતી સામે આવી છે. દુકાનમાં નકલી શાળા ચાલતી હોવાની વાત સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

fake school caught in rajkot


નકલી શાળા પકડાઈ હોવનાની માહિતી 

રાજકોટથી નકલી શાળા મળી હોવાના સમાચાર સામે આવ્યા છે. નકલી ટોલનાકુ, નકલી કચેરી પકડાવાની વાત તો આપણને મળી છે પરંતુ હવે તો નકલી શાળા ચાલતી હોવાની માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર રાજકોટ માલસિયાસણના પીપળીયામાંથી નકલી શાળા પકડાઈ છે. કોઈ પણ પરમિશન વગર આ શાળા ચાલતી હતી તેવી માહિતી સામે આવી છે. ગૌરી પ્રિ પ્રામાઈમરી સ્કૂલના નામે નકલી શાળા ચાલતી હતી. 

યુવરાજસિંહે કરી આ પોસ્ટ શેર.. 

માહિતી અનુસાર શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. શાળાના સંચાલકો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા અરવલ્લીમાંથી સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઈ હતી. તે સિવાય નકલી અધિકારી, નકલી ટોલનાડું પકડાવાની વાત સામે આવી હતી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા આ પણ ટ્વિટ કરવામાં આવી છે. તેમણે લખ્યું કે લો બોલો.. રાજકોટના માલિયાસણના પીપળીયામાંથી નકલી શાળા પકડાઈ.. ત્યારે હવે આ મામલે તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.