Rajkotથી ઝડપાઈ નકલી સ્કૂલ? નકલી ટોલનાકું, નકલી કચેરી બાદ નકલી શાળાનો પર્દાફાશ થયો!


  • Published By :
  • Published Date : 2024-07-05 17:44:06

ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે.. નકલી અધિકારી, નકલી ટોલનાકું, નકલી ઘી, નકલી પીએમઓ અધિકારી ઝડપાયા છે ત્યારે હવે રાજકોટથી નકલી સ્કૂલ ચાલતી હોવાનો પર્દાફાશ થયો છે તેવી માહિતી સામે આવી છે.. કોઈ પણ માન્યતા વગર આ શાળા ચાલતી હોય તેવી માહિતી સામે આવી છે. દુકાનમાં નકલી શાળા ચાલતી હોવાની વાત સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

fake school caught in rajkot


નકલી શાળા પકડાઈ હોવનાની માહિતી 

રાજકોટથી નકલી શાળા મળી હોવાના સમાચાર સામે આવ્યા છે. નકલી ટોલનાકુ, નકલી કચેરી પકડાવાની વાત તો આપણને મળી છે પરંતુ હવે તો નકલી શાળા ચાલતી હોવાની માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર રાજકોટ માલસિયાસણના પીપળીયામાંથી નકલી શાળા પકડાઈ છે. કોઈ પણ પરમિશન વગર આ શાળા ચાલતી હતી તેવી માહિતી સામે આવી છે. ગૌરી પ્રિ પ્રામાઈમરી સ્કૂલના નામે નકલી શાળા ચાલતી હતી. 

યુવરાજસિંહે કરી આ પોસ્ટ શેર.. 

માહિતી અનુસાર શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. શાળાના સંચાલકો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા અરવલ્લીમાંથી સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઈ હતી. તે સિવાય નકલી અધિકારી, નકલી ટોલનાડું પકડાવાની વાત સામે આવી હતી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા આ પણ ટ્વિટ કરવામાં આવી છે. તેમણે લખ્યું કે લો બોલો.. રાજકોટના માલિયાસણના પીપળીયામાંથી નકલી શાળા પકડાઈ.. ત્યારે હવે આ મામલે તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.