Gujaratમાં નકલી શાળાનો થયો પર્દાફાશ! અમદાવાદ પાલડી કાંકજ ગામમાં મંજૂરી ન હોવા છતાં ભણાવાય છે ધોરણ એકથી પાંચના વિદ્યાર્થીઓને


  • Published By :
  • Published Date : 2023-10-31 16:49:33

ગુજરાતનું શિક્ષણ કઈ હદે ખરાબ છે તે આપણે જાણીએ છીએ. શિક્ષણ વ્યવસ્થા પ્રતિદિન ખાડામાં જઈ રહી છે તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. ત્યારે વધુ એક સરકારી શાળા ચર્ચામાં આવી છે. અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકા પાલડી કાંકજ ગામમાં ચાલતી ખાનગી સ્કૂલમાં ધોરણ એક થી પાંચના અભ્યાસક્રમની પરવાનગી મળી ન હોવા છંતાય, વિદ્યાર્થીઓના એડમીશન ગેરકાયદેસર રીતે કરાવામાં આવતા હતા. સરકારી શાળામાં હાજરી પૂરવામાં આવતી હતી અને અભ્યાસ ખાનગી શાળામાં કરાવામાં આવતો હતો. 


અમદાવાદમાં નકલી સ્કૂલનો થયો પર્દાફાશ!       

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં નકલી શબ્દ ઘણો સંભળાઈ રહ્યો છે. નકલી ઘી, નકલી ઈનો, નકલી ઉમેદવારો તો આપણે જોયા, પરંતુ થોડા દિવસો પહેલા નકલી ઓફિસ બનાવી કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવા સમાચાર સામે આવ્યા છે. નકલી સરકારી ઓફિસ બનાવી કરોડોની ગોલમાલ કરવામાં આવી ત્યારે અમદાવાદથી એક નકલી સ્કૂલનો પર્દાફાશ થયો છે. અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાના પાલડી કાંકજથી સામે આવી છે. કાંકજની સરકારી સ્કુલના ધોરણ 1થી 5ના 70 વિદ્યાર્થીનો ગામથી 100 મીટરના અંતરે આવેલી ખાનગી સ્કૂલમાં ગેરકાયદેસર પ્રવેશ આપવામાં આવતો. પરંતુ અભ્યાસ બીજી શાળામાં કરવામાં આવતો હતો. સતત ચાર વર્ષ સુધી એક તરફ આ બાળકોનું નામ સરકારી સ્કૂલના ચોપડે સત્તાવાર રીતે નોંધાયું છે. બાળકો પાસેથી 11 હજારના હિસાબે ફી પણ ઉઘરાવવામાં આવતી હતી.       


પોલીસ સ્ટેશનમાં આ મામલે કરાઈ ફરિયાદ

આ મામલે અસલાલી પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ગેરકાયદેસર પ્રવેશ આપવાના મામલે પોલીસ ફરિયાદ કરાઈ છે અને મળતી માહિતી અનુસાર પોલીસે સંદીપ બ્રહ્મભટ્ટ નામના વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે એવું જાણવા મળ્યું છે કે ગામમાં આવેલી શારદા શિક્ષણ તીર્થ પ્રાથમિક શાળામાં શિક્ષણ વિભાગ દ્વારા માત્ર ધોરણ ૬, ૭ અને ૮ની ખાનગી બિનઅનુદાતીત પ્રાથમિક શાળા અને ધોરણ ૯ થી ૧૨ સુધી સરકારની ગ્રાન્ટેડ હાઇસ્કૂલની મંજૂરી શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવી. તેમ છંતાય, આ સ્કૂલમાં ધોરણ એક થી પાંચમાં બાળકોને ગેરકાયદેસર રીતે અભ્યાસ કરાવવામાં આવતો હતો.  


આ મામલે પોલીસે કરી કાર્યવાહી

આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. એવી શંકા પણ સેવાઈ રહી છે કે આ ઘટનામાં સરકારી શાળાના આચાર્ય જીગ્નેશ સથવારા તેમજ ખાનગી સ્કૂલના સંચાલકની મિલીભગત હોઈ શકે છે. બંનેએ ભેગા થઈને વાલીઓને ગેરમાર્ગે દોર્યા છે. આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે તપાસ કરાવતા આચાર્ય ની ભૂલ સામે આવી હતી જેથી તેની બદલી અન્ય શાળામાં કરી દેવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર આ મામલે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે જ્યારે અન્ય એક વ્યક્તિની શોધખોળ પોલીસ કરી રહી છે...    


શાળાની માન્યતા કરાઈ રદ્દ!

આ સમગ્ર મામલો સામે આવતા ત્વરીત કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલની માન્યતા રદ્દ કરવામાં આવી છે. તે ઉપરાંત શાળાને એક લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે. આ સિવાય પણ શાળા વિરૂદ્ધ પગલા લેવા માટે વિચારણા ચાલી રહી છે. ધોરણ 9થી 12માં ગ્રાન્ટેડ વર્ગોને સરકાર હસ્તક લેવામાં આવે તેવી ભલામણ સરકારને કરવામાં આવી છે.  


ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.