Gujaratમાં નકલી શાળાનો થયો પર્દાફાશ! અમદાવાદ પાલડી કાંકજ ગામમાં મંજૂરી ન હોવા છતાં ભણાવાય છે ધોરણ એકથી પાંચના વિદ્યાર્થીઓને


  • Published By :
  • Published Date : 2023-10-31 16:49:33

ગુજરાતનું શિક્ષણ કઈ હદે ખરાબ છે તે આપણે જાણીએ છીએ. શિક્ષણ વ્યવસ્થા પ્રતિદિન ખાડામાં જઈ રહી છે તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. ત્યારે વધુ એક સરકારી શાળા ચર્ચામાં આવી છે. અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકા પાલડી કાંકજ ગામમાં ચાલતી ખાનગી સ્કૂલમાં ધોરણ એક થી પાંચના અભ્યાસક્રમની પરવાનગી મળી ન હોવા છંતાય, વિદ્યાર્થીઓના એડમીશન ગેરકાયદેસર રીતે કરાવામાં આવતા હતા. સરકારી શાળામાં હાજરી પૂરવામાં આવતી હતી અને અભ્યાસ ખાનગી શાળામાં કરાવામાં આવતો હતો. 


અમદાવાદમાં નકલી સ્કૂલનો થયો પર્દાફાશ!       

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં નકલી શબ્દ ઘણો સંભળાઈ રહ્યો છે. નકલી ઘી, નકલી ઈનો, નકલી ઉમેદવારો તો આપણે જોયા, પરંતુ થોડા દિવસો પહેલા નકલી ઓફિસ બનાવી કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવા સમાચાર સામે આવ્યા છે. નકલી સરકારી ઓફિસ બનાવી કરોડોની ગોલમાલ કરવામાં આવી ત્યારે અમદાવાદથી એક નકલી સ્કૂલનો પર્દાફાશ થયો છે. અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાના પાલડી કાંકજથી સામે આવી છે. કાંકજની સરકારી સ્કુલના ધોરણ 1થી 5ના 70 વિદ્યાર્થીનો ગામથી 100 મીટરના અંતરે આવેલી ખાનગી સ્કૂલમાં ગેરકાયદેસર પ્રવેશ આપવામાં આવતો. પરંતુ અભ્યાસ બીજી શાળામાં કરવામાં આવતો હતો. સતત ચાર વર્ષ સુધી એક તરફ આ બાળકોનું નામ સરકારી સ્કૂલના ચોપડે સત્તાવાર રીતે નોંધાયું છે. બાળકો પાસેથી 11 હજારના હિસાબે ફી પણ ઉઘરાવવામાં આવતી હતી.       


પોલીસ સ્ટેશનમાં આ મામલે કરાઈ ફરિયાદ

આ મામલે અસલાલી પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ગેરકાયદેસર પ્રવેશ આપવાના મામલે પોલીસ ફરિયાદ કરાઈ છે અને મળતી માહિતી અનુસાર પોલીસે સંદીપ બ્રહ્મભટ્ટ નામના વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે એવું જાણવા મળ્યું છે કે ગામમાં આવેલી શારદા શિક્ષણ તીર્થ પ્રાથમિક શાળામાં શિક્ષણ વિભાગ દ્વારા માત્ર ધોરણ ૬, ૭ અને ૮ની ખાનગી બિનઅનુદાતીત પ્રાથમિક શાળા અને ધોરણ ૯ થી ૧૨ સુધી સરકારની ગ્રાન્ટેડ હાઇસ્કૂલની મંજૂરી શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવી. તેમ છંતાય, આ સ્કૂલમાં ધોરણ એક થી પાંચમાં બાળકોને ગેરકાયદેસર રીતે અભ્યાસ કરાવવામાં આવતો હતો.  


આ મામલે પોલીસે કરી કાર્યવાહી

આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. એવી શંકા પણ સેવાઈ રહી છે કે આ ઘટનામાં સરકારી શાળાના આચાર્ય જીગ્નેશ સથવારા તેમજ ખાનગી સ્કૂલના સંચાલકની મિલીભગત હોઈ શકે છે. બંનેએ ભેગા થઈને વાલીઓને ગેરમાર્ગે દોર્યા છે. આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે તપાસ કરાવતા આચાર્ય ની ભૂલ સામે આવી હતી જેથી તેની બદલી અન્ય શાળામાં કરી દેવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર આ મામલે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે જ્યારે અન્ય એક વ્યક્તિની શોધખોળ પોલીસ કરી રહી છે...    


શાળાની માન્યતા કરાઈ રદ્દ!

આ સમગ્ર મામલો સામે આવતા ત્વરીત કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલની માન્યતા રદ્દ કરવામાં આવી છે. તે ઉપરાંત શાળાને એક લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે. આ સિવાય પણ શાળા વિરૂદ્ધ પગલા લેવા માટે વિચારણા ચાલી રહી છે. ધોરણ 9થી 12માં ગ્રાન્ટેડ વર્ગોને સરકાર હસ્તક લેવામાં આવે તેવી ભલામણ સરકારને કરવામાં આવી છે.  


ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.