નડિયાદમાં પોલીસે ઝડપી નકલી હળદર બનાવતી ફેક્ટરી, ચોખાની કણકી-કેમિકલ મિક્સ કરી બનાવાતી હતી ડુપ્લિકેટ હળદર


  • Published By :
  • Published Date : 2023-04-11 17:08:38

આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યાં ઓરિજિનલ વસ્તુઓ મળવી અસંભવ થઈ ગઈ હોય તેવું લાગે છે. ભેળસેળ વગરની ચીજવસ્તુઓ આપણને નથી મળતી. તેલ, ઘી, ખાંડ, મસાલા, અનાજ જેવી વસ્તુઓમાં ભેળસેળ થઈ રહી છે. ભેળસેળયુક્ત વસ્તુઓ અવાર-નવાર પકડાતી રહે છે. ત્યારે નડિયાદથી એક એવી ફેક્ટરી મળી આવી છે જ્યાં મોટાપાયે નકલી હળદર બનાવવામાં આવતી હતી. નકલી હળદર બનાવતી ફેક્ટરી પોલીસે ઝડપી પાડી છે. પોલીસે જ્યારે ફેક્ટરીમાં દરોડા પાડ્યા ત્યારે ફેક્ટરીમાં હળદરની જગ્યાએ કણકી ઉપરાંત જુદા-જુદા કેમિકલ મળી આવ્યા હતા. 

nadiad fake Turmaric

તપાસ દરમિયાન ઝડપાઈ નકલી હળદર બનાવતી ફેક્ટરી!  

હળદરને આરોગ્ય માટે ઘણું સારૂ માનવામાં આવે છે. હળદરનું સેવન કરવું શરીર માટે લાભદાયી માનવામાં આવે છે. પરંતુ જો હળદર જ નકલી હોય તો? નડિયાદથી બે ફેક્ટરી મળી આવી હતી જ્યાં નકલી હળદર બનાવવામાં આવતી હતી. નડિયાદમાં એક ડુપ્લિકેટ હળદર બનાવવાનું કારખાનું પોલીસે ઝડપી પાડ્યું છે. આ મામલે પોલીસને બાતમી મળી હતી. કે નડિયાદ મિલ રોડ પર ડુપ્લીકેટ દારૂ બનાવવા માટે કેમિકલનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. જે બાદ પોલીસે ફેક્ટરીમાં રેડ કરી હતી. પરંતુ જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો પોલીસ દંગ રહી ગઈ. ફેક્ટરીમાં હળદર બનાવવામાં આવતી હતી. પરંતુ હળદર બનાવતી વખતે હળદરની બદલીમાં ચોખાની કણકી, સિલિકોન પાવડર, સાઈટ્રિક એસિડ સહિત જુદા-જુદા કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.  


લેબોરેટરીમાં મોકલાયા તપાસ માટે સેમ્પલો   

આ મામલે પોલીસે તપાસ આગળ વધારી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે નકલી હળદર બનાવવા માટે ચોખાની કણકીમાં કેમિકલ મિક્સ કરવામાં આવતું હતું, અને જે બાદ મશીનમાં તેને દળતા હતા અને આ રીતે નકલી હળદરનું ઉત્પાદન કરવામાં આવતું હતું. હળદરના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. ફેક્ટરીમાંથી વિવિધ સેમ્પલો લેવાયા છે. અને સેમ્પલને તપાસ માટે લેબોરેટરીમાં પણ મોકલી દેવામાં આવ્યા છે.   


ક્યાં ક્યાં આ હળદર સપ્લાય થઈ તે અંગે કરાઈ તપાસ

આ મુદ્દે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ડીવાયએસપી, નડિયાદ ટાઉન પોલીસ અને ડિ સ્ટાફ દ્વારા આખી ફેક્ટરીમાં તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કેટલા પ્રમાણમાં આ ડુબ્લીકેટ હળદર બનાવવામાં આવી છે, સાથે જ ક્યાં ક્યાં આ હળદર સપ્લાય કરવામાં આવી છે તે અંગે તપાસ ચાલી રહી છે. 


ખાવાની વસ્તુઓમાં ભેળસેળ થતાં શરીર સાથે થાય છે ચેડા 

ત્યારે  હવે શું ખાવું એ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. જેને આપણે  શરીર માટે સારું સમજીએ છીએ એ બધી વસ્તુ હવે નકલી થઈ ગઈ છે. દૂધ નકલી મળતું થઈ ગયું છે, મસાલા નકલી મળતા થઈ ગયા છે, હવે તો હળદર પણ નકલી મળતી થઈ ગઈ છે. હળદર માટે કહેવાય છે કે હળદર ખાવાથી અનેક રોગો મટી જાય છે પરંતુ નકલી હળદર શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ત્યારે હવે આશા રાખીએ છીએ કે ખાવા પીવાની વસ્તુ અને જે આરોગ્ય સાથે જોડાયેલી વસ્તુઓ છે એની સાથે, તેની ગુણવત્તા સાથે ચેડાં કરવામાં ન આવે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે