નડિયાદમાં પોલીસે ઝડપી નકલી હળદર બનાવતી ફેક્ટરી, ચોખાની કણકી-કેમિકલ મિક્સ કરી બનાવાતી હતી ડુપ્લિકેટ હળદર


  • Published By :
  • Published Date : 2023-04-11 17:08:38

આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યાં ઓરિજિનલ વસ્તુઓ મળવી અસંભવ થઈ ગઈ હોય તેવું લાગે છે. ભેળસેળ વગરની ચીજવસ્તુઓ આપણને નથી મળતી. તેલ, ઘી, ખાંડ, મસાલા, અનાજ જેવી વસ્તુઓમાં ભેળસેળ થઈ રહી છે. ભેળસેળયુક્ત વસ્તુઓ અવાર-નવાર પકડાતી રહે છે. ત્યારે નડિયાદથી એક એવી ફેક્ટરી મળી આવી છે જ્યાં મોટાપાયે નકલી હળદર બનાવવામાં આવતી હતી. નકલી હળદર બનાવતી ફેક્ટરી પોલીસે ઝડપી પાડી છે. પોલીસે જ્યારે ફેક્ટરીમાં દરોડા પાડ્યા ત્યારે ફેક્ટરીમાં હળદરની જગ્યાએ કણકી ઉપરાંત જુદા-જુદા કેમિકલ મળી આવ્યા હતા. 

nadiad fake Turmaric

તપાસ દરમિયાન ઝડપાઈ નકલી હળદર બનાવતી ફેક્ટરી!  

હળદરને આરોગ્ય માટે ઘણું સારૂ માનવામાં આવે છે. હળદરનું સેવન કરવું શરીર માટે લાભદાયી માનવામાં આવે છે. પરંતુ જો હળદર જ નકલી હોય તો? નડિયાદથી બે ફેક્ટરી મળી આવી હતી જ્યાં નકલી હળદર બનાવવામાં આવતી હતી. નડિયાદમાં એક ડુપ્લિકેટ હળદર બનાવવાનું કારખાનું પોલીસે ઝડપી પાડ્યું છે. આ મામલે પોલીસને બાતમી મળી હતી. કે નડિયાદ મિલ રોડ પર ડુપ્લીકેટ દારૂ બનાવવા માટે કેમિકલનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. જે બાદ પોલીસે ફેક્ટરીમાં રેડ કરી હતી. પરંતુ જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો પોલીસ દંગ રહી ગઈ. ફેક્ટરીમાં હળદર બનાવવામાં આવતી હતી. પરંતુ હળદર બનાવતી વખતે હળદરની બદલીમાં ચોખાની કણકી, સિલિકોન પાવડર, સાઈટ્રિક એસિડ સહિત જુદા-જુદા કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.  


લેબોરેટરીમાં મોકલાયા તપાસ માટે સેમ્પલો   

આ મામલે પોલીસે તપાસ આગળ વધારી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે નકલી હળદર બનાવવા માટે ચોખાની કણકીમાં કેમિકલ મિક્સ કરવામાં આવતું હતું, અને જે બાદ મશીનમાં તેને દળતા હતા અને આ રીતે નકલી હળદરનું ઉત્પાદન કરવામાં આવતું હતું. હળદરના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. ફેક્ટરીમાંથી વિવિધ સેમ્પલો લેવાયા છે. અને સેમ્પલને તપાસ માટે લેબોરેટરીમાં પણ મોકલી દેવામાં આવ્યા છે.   


ક્યાં ક્યાં આ હળદર સપ્લાય થઈ તે અંગે કરાઈ તપાસ

આ મુદ્દે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ડીવાયએસપી, નડિયાદ ટાઉન પોલીસ અને ડિ સ્ટાફ દ્વારા આખી ફેક્ટરીમાં તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કેટલા પ્રમાણમાં આ ડુબ્લીકેટ હળદર બનાવવામાં આવી છે, સાથે જ ક્યાં ક્યાં આ હળદર સપ્લાય કરવામાં આવી છે તે અંગે તપાસ ચાલી રહી છે. 


ખાવાની વસ્તુઓમાં ભેળસેળ થતાં શરીર સાથે થાય છે ચેડા 

ત્યારે  હવે શું ખાવું એ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. જેને આપણે  શરીર માટે સારું સમજીએ છીએ એ બધી વસ્તુ હવે નકલી થઈ ગઈ છે. દૂધ નકલી મળતું થઈ ગયું છે, મસાલા નકલી મળતા થઈ ગયા છે, હવે તો હળદર પણ નકલી મળતી થઈ ગઈ છે. હળદર માટે કહેવાય છે કે હળદર ખાવાથી અનેક રોગો મટી જાય છે પરંતુ નકલી હળદર શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ત્યારે હવે આશા રાખીએ છીએ કે ખાવા પીવાની વસ્તુ અને જે આરોગ્ય સાથે જોડાયેલી વસ્તુઓ છે એની સાથે, તેની ગુણવત્તા સાથે ચેડાં કરવામાં ન આવે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.