Panchmahalમાંથી નકલી વિજિલન્સની ટીમ ઝડપાઈ, કાર સાથે ચાર શખ્સોની પોલીસે અટકાયત કરી!


  • Published By :
  • Published Date : 2024-01-13 15:23:45

ગુજરાતમાં નકલી પકડાવાની વણઝાર પ્રતિદિન વધી રહી છે. કોઈ વખત નકલી સીએમઓ અધિકારી પકડાય છે તો કોઈ વખત નકલી સીબીઆઈ પકડાય છે. કોઈ વખત નકલી ટોલનાકું પકડાય છે તો કોઈ વખત નકલી પીએમઓ અધિકારી પકડાય છે. આ બધા વચ્ચે નકલી વિજિલન્સ ટીમ પંચમહાલથી પકડાઈ છે તેવી માહિતી સામે આવી છે. વિજિલન્સની ઓળખ આપી તોડ કરનાર ટીમ પકડાઈ છે. બુટલેગરોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવતી અને તેમની પાસેથી પૈસા પડાવતા. ત્યારે આ ટીમને પોલીસે ઝડપી પાડી છે.


પંચમહાલથી ઝડપાઈ નકલી વિજિલન્સ ટીમ  

આપણા રાજ્યને ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે. ડ્રાય સ્ટેટ મતલબ જ્યાં દારૂબંધી હોય. પરંતુ ગુજરાતમાં કેવી દારૂબંધી છે તે આપણે જાણીએ છીએ. દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પૂરતો સિમીત થઈ ગયો છે તે તો આપણે જાણીએ છીએ. એક તરફ બુટલેગરો બેફામ બન્યા છે તો બીજી તરફ રાજ્યમાં નકલીની હારમાળા જોવા મળી રહી છે. કોઈ વખત નકલી ધારાસભ્ય પકડાય છે તો કોઈ વખત આખે આખું નકલી ટોલનાકુ ઝડપાય છે. નકલી પકડાવાનો કાંડ તો અટકતો જ નથી. કારણ કે હવે નકલી વિજિલન્સની ટીમ પંચમહાલથી પકડાઈ છે.


નકલી ટીમે કર્યો હતો પૈસા પડાવવાનો પ્રયાસ 

જે નકલી વિજિલન્સની ટીમ પકડાઈ છે તે લોકોને કેસમાં ફસાવવાની ધમકી આપતા. આ અંગે મળતી માહિતી અનુસાર આ ઘટના શુક્રવારની છે. મોરવા હડફ તાલુકાના સંતરોડ ટેકરી ફળિયામાં રહેતા અરવિંદાબેન અર્જુનભાઇ પટેલના ઘરે ચાર લોકો આવે છે, ધમકાવતા સ્વરમાં વિજિલન્સની નકલી ટીમ તેમને કહે છે કે તમે દારૂનો ધંધો કરો છો ? અમે ગાંધીનગર વિજીલન્સમાંથી આવીએ છીએ. તપાસ કરવાની છે તેમ જણાવી તેમના ઘર અને દુકાનમાં ઘૂસ્યા અને તેમણે તપાસ શરૂ કરી. આ વાત સાંભળતા જ મહિલાએ ટીમને જણાવ્યું કે દારૂ વેચાવાનું તેમણે બંધ કરી દીધું છે. 


1 લાખ રૂપિયાની કરાઈ માગણી 

ઘર તેમજ ઓફિસમાં તપાસ દરમિયાન તેમના હાથમાં કંઈ ન આવ્યું. જેને લઈ નકલી વિજિલન્સે પોતાની કારમાં દારૂ ભરેલો થેલો લઈ આવીને આ દારૂ તારા ઘરમાંથી મળ્યો છે તેમ કહ્યું..અમે દારૂનો ધંધો બંધ કરી દીધો છે તો પણ ટીમ એમ કહે છે કે દારૂનો કેસ કરવો પડશે અને કોઈપણ જગ્યાએ દારૂનો મોટો જથ્થો પકડાશે ત્યારે તારા પતિને વોન્ટેડ જાહેર કરીશું. 1 લાખ રૂપિયાની વિજેલન્સની નકલી ટીમે માગણી કરી. મહિલા પોતાની સોનાની ચેન લઇ સાલીયા બજારમાં સોનીના ત્યાં ગઈ અને ચેનને ગીરવે મુકીને. 40,000 રૂપિયા લઈને આવીને નકલી વિજિલન્સને આપ્યા હતા. તે દરમ્યાન મહિલાનો જેઠ રાજુ રામસિંહભાઈ પટેલે આવીને નકલી વિજિલન્સ પાસે ઓળખ કાર્ડની માંગણી કરી હતી. ઓળખ કાર્ડની માગણી કરાતા ચારેય એકદમ રોષે ભરાયા અને કહ્યું હતું કે તું અમારું ઓળખકાર્ડ માંગનાર કોણ ? 


પોલીસે ચાર લોકો વિરૂદ્ધ નોંધી ફરિયાદ 

આ બાદ વિવાદ છેડાયો. આ અંગે અસલી પોલીસને જાણ કરવામાં આવી. ચારેય જણને સાલીયા આઉટ પોસ્ટ ખાતે લઇ ગયા હતા. જ્યાં ચારે નકલી વિજીલન્સ સ્ટાફ હોવાનો પર્દાફાશ થતા પોલીસે અરવિંદાબેનની ફરિયાદના આધારે 4 સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસે એક કાર, 6 મોબાઈલ અને રૂ.50 હજાર રોકડા સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા ઈસમો ખેડા, ગાંધીનગર અને અમદાવાદ વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. 


હવે શું નવું નકલી પકડાય છે તે એક પ્રશ્ન

પહેલા નકલીની વાત ખાદ્ય પદાર્થ પૂરતી સિમીત હોતી હતી. પરંતુ હવે તો નકલી પીએમઓ અધિકારી, નકલી સીએમઓ અધિકારી, નકલી ટોલનાકું પકડાય છે તે જોતા હવે લાગે છે કે હવે નકલીમાં શું નવું પકડાય છે તે જોવું રહ્યું.            



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.