Loksabha Election પહેલા શરૂ થયું પરિવાર પોલિટિક્સ ! Modi Ka Parivarને લઈ ગરમાઈ રાજનીતિ, PM Modiએ આ મામલે આપી પ્રતિક્રિયા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-05 15:03:41

રાજનીતિમાં અનેક વખત એવા નિવેદનો આપવામાં આવતા હોય છે રાજનેતાઓ દ્વારા જે ચર્ચાનો, વિવાદનો વિષય બનતા હોય છે અને એમાં જો સત્તાધારી પક્ષના દિગ્ગજ નેતા માટે કઈ કેહવામાં આવે તો પછી કહેવું જ શું...! તમને ખબર પડી ગઈ હશે કે અહીંયા પીએમ મોદી અને લાલુ પ્રસાદ યાદવ વચ્ચે થયેલા નિવેદનોની વાત થઈ રહી છે. પીએમ મોદીને લઈ નિવેદન તેમણે આપ્યું હતું જેમાં તે પીએમ મોદીના પરિવારને લઈ પ્રશ્ન પૂછી રહ્યા હતા. તે બાદ લાલુ પ્રસાદ યાદવના નિવદેન બાદ ભાજપના દિગ્ગજ નેતાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના બાયોમાં લખ્યું મોદીનો પરિવાર. અને તે ઉપરાંત પીએમ મોદીએ પણ લાલુ પ્રસાદ યાદવના નિવેદન પર વળતો જવાબ આપ્યો છે..

લોકસભા ચૂંટણી પહેલા ભાજપે શરૂ કર્યું મોદી કા પરિવાર કેમ્પેઈન!  

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનેતાઓ દ્વારા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. પ્રચારમાં જાતિ, ધર્મ, પરિવારવાદને લઈ પણ નિવેદનો આપવામાં આવી રહ્યા છે ત્યારે લાલુ પ્રસાદ યાદવે થોડા દિવસ પહેલા પીએમ મોદીના પરિવારને લઈ નિવેદન આપ્યું હતું. પીએમ મોદી પર પરિવારને લઈ અંગત હમલા પણ કર્યા હતા તે બાદ મોદી કા પરિવાર કેમ્પેઈન ભાજપે લોન્ચ કર્યું તેવું લાગ્યું. ભાજપના દિગ્ગજ નેતાઓ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મોદી કા પરિવાર બાયોમાં લખ્યું. જે.પી.નડ્ડા, રાજનાથસિંહ, નીતિન ગડકરી, અનુરાગ ઠાકુર, યોગી આદિત્યનાથ, શિવરાજસિંહ ચૌહાણ સહિતના નેતાઓેએ સોશિયલ મીડિયા પર બાયો બદલ્યો હતો. લાલુ પ્રસાદ યાદવ દ્વારા આપવામાં આવેલા નિવેદનનો ઉત્તર વડાપ્રધાન મોદીએ આપ્યો છે.      

140 કરોડ દેશવાસીઓ મારો પરિવાર છે - પીએમ મોદી 

પીએમ મોદીએ કહ્યું કે ભ્રષ્ટાચાર, ભત્રીજાવાદ અને તુષ્ટિકરણમાં ડૂબેલા NDI ગઠબંધનના નેતાઓ ગભરાઈ રહ્યા છે. જ્યારે હું તેમના પરિવારવાદ પર સવાલ ઉઠાવું છું ત્યારે આ લોકો હવે કહેવા લાગ્યા છે કે મોદીનો કોઈ પરિવાર નથી. હું તેમને કહેવા માંગુ છું કે 140 કરોડ દેશવાસીઓ મારો પરિવાર છે, જેનું કોઈ નથી તે પણ મોદીના છે અને મોદી તેમના છે. મારુ ભારત મારો પરિવાર છે. દિલ્હીમાં તો આને લઈ પોસ્ટરો લાગ્યા છે. મોદી કા પરિવારને લઈ કોંગ્રેસ નેતા જયરામ રમેશે પ્રતિક્રિયા આપી છે અને અખિલેશ યાદવે પણ આને લઈ કટાક્ષ કર્યો છે.

 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .