ફેન્સી અને લખાણોવાળી નંબર પ્લેટ ધરાવતા વાહનો સામે અમદાવાદ ટ્રાફિક પોલીસની લાલઆંખ, 123 વાહનો કર્યા ડિટેઈન


  • Published By :
  • Published Date : 2023-05-14 18:54:03

અમદાવાદમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની નંબર પ્લેટ પર વિવિધ લખાણો લખવાનો ક્રેઝ વાહન ચાલકોમાં સતત વધી રહ્યો છે. વાહન ચાલકો તેમના વાહનોની નંબર પ્લેટને આકર્ષક બનાવવા માટે કે પછી પોતાની આગવી ઓખળ બતાવવા માટે આવું કરતા હોય છે. જો કે આવા જ ફેશનેબલ અને ડિઝાઇનવાળી નંબર પ્લેટ ધરાવતા  વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસે લાલઆંખ કરી છે. પોલીસે શનિવારે એક જ દિવસમાં 123 વાહનો ડિટેઇન કર્યા હતા. ટ્રાફિક ઈસ્ટ પોલીસે આ તમામ લોકો સામે મોટર વ્હીકલ એક્ટ મુજબ કાર્યવાહી કરી વાહનો કબજે લીધા હતા.


 ડીસીપી સફિન હસને ડ્રાઇવ યોજી


અમદાવાદમાં વાહન ચાલકો પોતાના વાહનની નંબર પ્લેટમાં અલગ-અલગ જાતના લખાણો લખી વાહનો ચલાવતા હોવાની ફરિયાદો મળી રહી હતી. વાહન ચાલકો દ્વારા સતત થઈ રહેલા આરટીઓના નિયમોના ભંગને લઈ ટ્રાફિક ઇસ્ટના ડીસીપી સફિન હસન દ્વારા એક ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં ફેન્સી નંબર પ્લેટ કે લખાણ લખનાર વાહન ચાલકો શોધી કાઢ્યા હતા. માત્ર એક જ દિવસમાં પોલીસે અલગ-અલગ જાતના લખાણો લખી ફરતા વાહન ચાલકો વિરુદ્ધ એમ.વી.એકટ કલમ 207 મુજબ વાહનો કુલ-123 ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે ટ્રાફિક પોલીસ દ્વારા અવાર નવાર અલગ-અલગ ડ્રાઇવ કરવામાં આવે છે અને જે લોકો ટ્રાફિક નિયમનું ભંગ કરે છે તે લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે.


સફિન હસને વાહનચાલકોને આપી ચેતવણી


વાહનની નંબર પ્લેટમાં વિવિધ પ્રકારના લખાણો અંગે ટ્રાફિક ઇસ્ટના ડીસીપી સફિન હસને જણાવ્યું હતું કે, "વાહનચાલકોએ તમામ નિયમો પાળવાના રહેશે. આવા કોઇ પણ વાહનચાલકો હશે તેને પોલીસ છોડશે નહીં અને તેની સામે કાર્યવાહી કરશે. અગાઉ પણ ઈ-મેમોથી બચવા નંબર પ્લેટ પર છાણ લગાવી ફરનાર વાહનચાલક સામે ગુનો નોંધી તેનું વાહન કબજે લેવામાં આવ્યુ હતુ. તે જ પ્રકારની કામગીરી હવે ટ્રાફિક પોલીસ કરશે."




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.