ફેન્સી અને લખાણોવાળી નંબર પ્લેટ ધરાવતા વાહનો સામે અમદાવાદ ટ્રાફિક પોલીસની લાલઆંખ, 123 વાહનો કર્યા ડિટેઈન


  • Published By :
  • Published Date : 2023-05-14 18:54:03

અમદાવાદમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની નંબર પ્લેટ પર વિવિધ લખાણો લખવાનો ક્રેઝ વાહન ચાલકોમાં સતત વધી રહ્યો છે. વાહન ચાલકો તેમના વાહનોની નંબર પ્લેટને આકર્ષક બનાવવા માટે કે પછી પોતાની આગવી ઓખળ બતાવવા માટે આવું કરતા હોય છે. જો કે આવા જ ફેશનેબલ અને ડિઝાઇનવાળી નંબર પ્લેટ ધરાવતા  વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસે લાલઆંખ કરી છે. પોલીસે શનિવારે એક જ દિવસમાં 123 વાહનો ડિટેઇન કર્યા હતા. ટ્રાફિક ઈસ્ટ પોલીસે આ તમામ લોકો સામે મોટર વ્હીકલ એક્ટ મુજબ કાર્યવાહી કરી વાહનો કબજે લીધા હતા.


 ડીસીપી સફિન હસને ડ્રાઇવ યોજી


અમદાવાદમાં વાહન ચાલકો પોતાના વાહનની નંબર પ્લેટમાં અલગ-અલગ જાતના લખાણો લખી વાહનો ચલાવતા હોવાની ફરિયાદો મળી રહી હતી. વાહન ચાલકો દ્વારા સતત થઈ રહેલા આરટીઓના નિયમોના ભંગને લઈ ટ્રાફિક ઇસ્ટના ડીસીપી સફિન હસન દ્વારા એક ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં ફેન્સી નંબર પ્લેટ કે લખાણ લખનાર વાહન ચાલકો શોધી કાઢ્યા હતા. માત્ર એક જ દિવસમાં પોલીસે અલગ-અલગ જાતના લખાણો લખી ફરતા વાહન ચાલકો વિરુદ્ધ એમ.વી.એકટ કલમ 207 મુજબ વાહનો કુલ-123 ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે ટ્રાફિક પોલીસ દ્વારા અવાર નવાર અલગ-અલગ ડ્રાઇવ કરવામાં આવે છે અને જે લોકો ટ્રાફિક નિયમનું ભંગ કરે છે તે લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે.


સફિન હસને વાહનચાલકોને આપી ચેતવણી


વાહનની નંબર પ્લેટમાં વિવિધ પ્રકારના લખાણો અંગે ટ્રાફિક ઇસ્ટના ડીસીપી સફિન હસને જણાવ્યું હતું કે, "વાહનચાલકોએ તમામ નિયમો પાળવાના રહેશે. આવા કોઇ પણ વાહનચાલકો હશે તેને પોલીસ છોડશે નહીં અને તેની સામે કાર્યવાહી કરશે. અગાઉ પણ ઈ-મેમોથી બચવા નંબર પ્લેટ પર છાણ લગાવી ફરનાર વાહનચાલક સામે ગુનો નોંધી તેનું વાહન કબજે લેવામાં આવ્યુ હતુ. તે જ પ્રકારની કામગીરી હવે ટ્રાફિક પોલીસ કરશે."




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.