બળદના બદલે હળ બાંધી ખેતીમાં જોતરાવા મજબૂર બન્યો ખેડૂત, પાવી જેતપુરના ખેડૂતનો આ વીડિયો ખેડૂતની કહાની વર્ણવે છે


  • Published By :
  • Published Date : 2023-07-11 22:34:32

આપણો દેશ આઝાદ થયાને 75 વર્ષ પુરા થયા અને દેશભરમાં આઝાદીનો અમૃત મહોત્સવ પણ ધામધૂમથી મનાવવામાં આવ્યો. જો કે દેશમાં ખેડૂતોની દયનિય સ્થિતીમાં કોઈ ફરક પડ્યો નથી. આજે પણ દેશના હજારો ખેડૂતો દારૂણ ગરીબીમાં જીવી રહ્યા છે. જગતનો તાત ધાન્ય તો ઉગાડે છે પણ તેને તેની કૃષિ ઉપજનો યોગ્ય ભાવ પણ મળતો નથી. આજે ખેતી કરવી મોંઘી બની રહી છે, મોંઘા બિયારણ, મોંઘા થઈ રહેલા ખેતીના સાધનો તથા ઘટી રહેલી ખેતીલાયક જમીનના કારણે સામાન્ય માણસ ખેતી છોડીને રોજી રોટી રળવા માટે શહેરો તરફ દોટ મુકી રહ્યો છે. છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના આ ખેડૂતનો વીડિયો દેશના ખેડૂતોની દુર્દશા વર્ણવી રહ્યો છે. આ વીડિયો આપણને વર્ષ 1957માં આવેલી મહેબુબ ખાનની સુપરહિટ ફિલ્મ 'મધર ઈન્ડિયા' અને તે ફિલ્મમાં અભિનેત્રી નરગીસ પર ફિલ્માયેલું ગીત "દુનિયા મે આયે હૈ તો જીના હી પડેગા, જીવન ઝહર હૈ તો પીના હી પડેગા"ની યાદ તાજી કરી દે છે.


બળદના બદલે હળ બાંધી ખેતીમાં જોતરાયો ખેડૂત


છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાનો આ ખેડૂત દારુણ ગરીબીમાં જીવી રહ્યો છે. ખેડૂત પેટનો ખાડો પૂરવા માટે જાતે બળદના બદલે હળ ખેંચવા મજબૂર બન્યો હતો. ખેડૂતનું દ્રશ્ય જોઈને ભલભલાના રૂવાડા ઊભા થઇ જાય તે સ્વાભાવિક છે. માત્ર એક વિઘા જમીનમાં ખેતી કરતાં અનુપભાઈ વેચાતભાઈ નામના ખેડૂત પાસે આવકનું બીજું કોઈ સાધન નથી. પોતાનો એક દીકરો છે તે પણ માનસિક રીતે દીવ્યાંગ છે અને પરિવારમાં ચાર જણાનું ગુજરાન ચલાવવા માટે ખેતી જ એક વ્યવસાય છે, પરંતુ ખેતી કરવા માટે નથી તેમની પાસે ટ્રેક્ટર કે બળદ નથી, આવક ઓછી હોવાને કારણે ભાડે પણ લઈ શકતા નથી. જેને લઈને ખેતરને ખેડવા માટે પોતાની પત્ની સાથે મળીને હળને દોરડું બાંધીને પોતાના ખભે મૂકીને ખેંચે છે અને પત્ની પાછળના ભાગથી જમીનને ખેડતા હૃદયને હચમચાવી નાખતા દૃશ્યો સામે આવ્યા છે. આ દૃશ્યો મક્કમ મનના માનવીને પણ અંદરથી હલાવી નાખે તેવા છે.


મજબુરીમાં ખેતી


ખેડૂત અનુપભાઈ તેમની આપવીતી વર્ણવતા જણાવે છે કે તેમની પાસે વડીલોપાર્જીત માત્ર એક વિઘા જેટલી જમીન છે. જો કે આટલી જમીન ઘરના ચાર જણાનું પેટ ભરવા માટે પુરતી નથી, તેથી બીજા લોકોની એક-બે એકર જમીન ખેડું છું. ટુંકી આવકમાં પરિવારનું માંડ પુરૂ થતું હોય ત્યાં ખેતીના મોંઘા ઓજારો, બળદ અને ટ્રેક્ટર તો ક્યાંથી પોસાય? આ જ કારણે હવે જ્યારે ચોમાસામાં હવે જ્યારે વાવણીનો સમય થયો છે ત્યારે તે પોતે જ બળદને બદલે હળ ખભે બાંધી ખેતીમાં જોતરાયા હતા અને તેમની પત્નીએ ખેતરમાં હળ ચલાવ્યું હતું. ખૂબ જ મહેનત માગી લે તેવા આ કામમાં ખેડૂત દંપતી જોતરાયા તે દ્રશ્ય જ કંપારી આવે તેવું છે. આશા રાખીએ કે આ દ્રશ્ય જોઈને સરકારની આંખ ખૂલે અને ખેડૂતોને દયનિય સ્થિતીમાંથી બહાર લાવવા પુરી ઈચ્છાશક્તિથી કામ કરે.


બાળ મજુર તરીકે કામ કર્યું તે જ ખેતરમાં મહેબુબ ખાને કર્યું હતું શુટિંગ 


બોલિવૂડના ફિલ્મ ઈતિહાસમાં 'મધર ઈન્ડિયા' ફિલ્મને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે તે બોલીવુડની પ્રથમ હિન્દી ફિલ્મ હતી જેને ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી હતી. 1954માં 'મધર ઈન્ડિયા' ફિલ્મનું શૂટિંગ ગુજરાતના મહુવા તાલુકાના ઉમરા ગામમાં અંબિકા નદીના કિનારે થયું હતું. એવું કહેવાય છે કે ફિલ્મ 'મધર ઈન્ડિયા' અને તે ફિલ્મમાં અભિનેત્રી નરગીસ પર ફિલ્માયેલું ગીત "દુનિયા મે આયે હૈ તો જીના હી પડેગા, જીવન ઝહર હૈ તો પીના હી પડેગા"નું શુટિંગ જે ખેતરમાં થયું હતું તે જ ખેતરમાં ફિલ્મના ડાયરેક્ટર મહેબુબ ખાને પણ બાળ મજુર તરીકે કામ કર્યું હતું. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.