બળદના બદલે હળ બાંધી ખેતીમાં જોતરાવા મજબૂર બન્યો ખેડૂત, પાવી જેતપુરના ખેડૂતનો આ વીડિયો ખેડૂતની કહાની વર્ણવે છે


  • Published By :
  • Published Date : 2023-07-11 22:34:32

આપણો દેશ આઝાદ થયાને 75 વર્ષ પુરા થયા અને દેશભરમાં આઝાદીનો અમૃત મહોત્સવ પણ ધામધૂમથી મનાવવામાં આવ્યો. જો કે દેશમાં ખેડૂતોની દયનિય સ્થિતીમાં કોઈ ફરક પડ્યો નથી. આજે પણ દેશના હજારો ખેડૂતો દારૂણ ગરીબીમાં જીવી રહ્યા છે. જગતનો તાત ધાન્ય તો ઉગાડે છે પણ તેને તેની કૃષિ ઉપજનો યોગ્ય ભાવ પણ મળતો નથી. આજે ખેતી કરવી મોંઘી બની રહી છે, મોંઘા બિયારણ, મોંઘા થઈ રહેલા ખેતીના સાધનો તથા ઘટી રહેલી ખેતીલાયક જમીનના કારણે સામાન્ય માણસ ખેતી છોડીને રોજી રોટી રળવા માટે શહેરો તરફ દોટ મુકી રહ્યો છે. છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના આ ખેડૂતનો વીડિયો દેશના ખેડૂતોની દુર્દશા વર્ણવી રહ્યો છે. આ વીડિયો આપણને વર્ષ 1957માં આવેલી મહેબુબ ખાનની સુપરહિટ ફિલ્મ 'મધર ઈન્ડિયા' અને તે ફિલ્મમાં અભિનેત્રી નરગીસ પર ફિલ્માયેલું ગીત "દુનિયા મે આયે હૈ તો જીના હી પડેગા, જીવન ઝહર હૈ તો પીના હી પડેગા"ની યાદ તાજી કરી દે છે.


બળદના બદલે હળ બાંધી ખેતીમાં જોતરાયો ખેડૂત


છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાનો આ ખેડૂત દારુણ ગરીબીમાં જીવી રહ્યો છે. ખેડૂત પેટનો ખાડો પૂરવા માટે જાતે બળદના બદલે હળ ખેંચવા મજબૂર બન્યો હતો. ખેડૂતનું દ્રશ્ય જોઈને ભલભલાના રૂવાડા ઊભા થઇ જાય તે સ્વાભાવિક છે. માત્ર એક વિઘા જમીનમાં ખેતી કરતાં અનુપભાઈ વેચાતભાઈ નામના ખેડૂત પાસે આવકનું બીજું કોઈ સાધન નથી. પોતાનો એક દીકરો છે તે પણ માનસિક રીતે દીવ્યાંગ છે અને પરિવારમાં ચાર જણાનું ગુજરાન ચલાવવા માટે ખેતી જ એક વ્યવસાય છે, પરંતુ ખેતી કરવા માટે નથી તેમની પાસે ટ્રેક્ટર કે બળદ નથી, આવક ઓછી હોવાને કારણે ભાડે પણ લઈ શકતા નથી. જેને લઈને ખેતરને ખેડવા માટે પોતાની પત્ની સાથે મળીને હળને દોરડું બાંધીને પોતાના ખભે મૂકીને ખેંચે છે અને પત્ની પાછળના ભાગથી જમીનને ખેડતા હૃદયને હચમચાવી નાખતા દૃશ્યો સામે આવ્યા છે. આ દૃશ્યો મક્કમ મનના માનવીને પણ અંદરથી હલાવી નાખે તેવા છે.


મજબુરીમાં ખેતી


ખેડૂત અનુપભાઈ તેમની આપવીતી વર્ણવતા જણાવે છે કે તેમની પાસે વડીલોપાર્જીત માત્ર એક વિઘા જેટલી જમીન છે. જો કે આટલી જમીન ઘરના ચાર જણાનું પેટ ભરવા માટે પુરતી નથી, તેથી બીજા લોકોની એક-બે એકર જમીન ખેડું છું. ટુંકી આવકમાં પરિવારનું માંડ પુરૂ થતું હોય ત્યાં ખેતીના મોંઘા ઓજારો, બળદ અને ટ્રેક્ટર તો ક્યાંથી પોસાય? આ જ કારણે હવે જ્યારે ચોમાસામાં હવે જ્યારે વાવણીનો સમય થયો છે ત્યારે તે પોતે જ બળદને બદલે હળ ખભે બાંધી ખેતીમાં જોતરાયા હતા અને તેમની પત્નીએ ખેતરમાં હળ ચલાવ્યું હતું. ખૂબ જ મહેનત માગી લે તેવા આ કામમાં ખેડૂત દંપતી જોતરાયા તે દ્રશ્ય જ કંપારી આવે તેવું છે. આશા રાખીએ કે આ દ્રશ્ય જોઈને સરકારની આંખ ખૂલે અને ખેડૂતોને દયનિય સ્થિતીમાંથી બહાર લાવવા પુરી ઈચ્છાશક્તિથી કામ કરે.


બાળ મજુર તરીકે કામ કર્યું તે જ ખેતરમાં મહેબુબ ખાને કર્યું હતું શુટિંગ 


બોલિવૂડના ફિલ્મ ઈતિહાસમાં 'મધર ઈન્ડિયા' ફિલ્મને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે તે બોલીવુડની પ્રથમ હિન્દી ફિલ્મ હતી જેને ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી હતી. 1954માં 'મધર ઈન્ડિયા' ફિલ્મનું શૂટિંગ ગુજરાતના મહુવા તાલુકાના ઉમરા ગામમાં અંબિકા નદીના કિનારે થયું હતું. એવું કહેવાય છે કે ફિલ્મ 'મધર ઈન્ડિયા' અને તે ફિલ્મમાં અભિનેત્રી નરગીસ પર ફિલ્માયેલું ગીત "દુનિયા મે આયે હૈ તો જીના હી પડેગા, જીવન ઝહર હૈ તો પીના હી પડેગા"નું શુટિંગ જે ખેતરમાં થયું હતું તે જ ખેતરમાં ફિલ્મના ડાયરેક્ટર મહેબુબ ખાને પણ બાળ મજુર તરીકે કામ કર્યું હતું. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે