Farmer Protest - ખેડૂતોને રોકવા માટે રાતોરાત ચણવામાં આવી દિવાલ! દિલ્હી ફેરવાયું છાવણીમાં, બોર્ડરો સીલ, ખેડૂતો પોતાની માગ પર મક્કમ!


  • Published By :
  • Published Date : 2024-02-14 10:51:29

જગતના તાત ફરી એક વખત પોતાની માગ સાથે રસ્તા પર ઉતર્યા છે. પોતાની માગને લઈ સરકાર સામે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. પોતાની વિવિધ માગણીઓને લઈ ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. પંજાબ તેમજ હરિયાણાથી ખેડૂતો રાજધાની પહોંચવા માટે નીકળી ગયા હતા પરંતુ રસ્તામાં પોલીસે તેમને રોકી દીધા છે. બોર્ડરો સીલ કરવામાં આવી છે. ધારા 144 લાગુ કરવામાં આવી છે. ખેડૂતો આગળ ન વધી શકે તે માટે સિમેન્ટના બેરિકેટ મૂકવામાં આવ્યા છે, મોટા મોટા ખીલ્લા મૂકવામાં આવ્યા છે. 

ખેડૂતોને રોકવા માટે શંભુ બોર્ડર પર છોડાયા હતા ટીયર ગેસના સેલ  

સોમવારે ખેડૂતો અને સરકારના મંત્રીઓ વચ્ચે અનેક કલાકો સુધી મીટિંગ ચાલી હતી. એવું માનવામાં આવતું હતું કે મીટિંગમાં કઈ નિવેડો આવશે પરંતુ તેવું કંઈ ના થયું. કલાકો સુધી ચાલેલી મીટિંગ નિષ્ફળ સાબિત થયું છે. મીટિંગમાં જ્યારે ખેડૂત આગેવાન બેઠા હતા ત્યારે તેમના ટ્વિટ એકાઉન્ટને બંધ કરી દેવાયા હતા તેવી વાત ખેડૂત આગેવાન દ્વારા કરવામાં આવી હતી. ગઈકાલે શંભુ બોર્ડર પર ખેડૂતોને રોકવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે. પોલીસ અને ખેડૂતો આમને સામને છે. પોલીસ અને ખેડૂતો વચ્ચે ગઈકાલે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે આજે પણ આ પ્રકારના દ્રશ્યો સર્જાઈ શકે છે તેવી શક્યતાઓ પૂરે પૂરી છે. 


આજે પણ પોલીસ અને ખેડૂતો વચ્ચે થઈ શકે છે ઘર્ષણ

પોલીસ અને ખેડૂતો વચ્ચે જે ઘર્ષણ થયું તેમાં અંદાજીત 15 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે જ્યારે 12 જેટલા ખેડૂતો આ ઘર્ષણમાં ઘાયલ થયા છે. પરિસ્થિતિ વણસે નહીં તે માટે પહેલેથી જ ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. પોલીસ પણ એકદમ એક્ટિવ મોડમાં દેખાયા છે. ખેડૂતોએ બેરિકેટ તોડી દીધા હતા. બોર્ડર પર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. ગમે ત્યારે હિંસા ભડકી ઉઠે છે તેવી સ્થિતિ હાલ છે.   



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.