Farmer Protest - ખેડૂતોને રોકવા માટે રાતોરાત ચણવામાં આવી દિવાલ! દિલ્હી ફેરવાયું છાવણીમાં, બોર્ડરો સીલ, ખેડૂતો પોતાની માગ પર મક્કમ!


  • Published By :
  • Published Date : 2024-02-14 10:51:29

જગતના તાત ફરી એક વખત પોતાની માગ સાથે રસ્તા પર ઉતર્યા છે. પોતાની માગને લઈ સરકાર સામે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. પોતાની વિવિધ માગણીઓને લઈ ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. પંજાબ તેમજ હરિયાણાથી ખેડૂતો રાજધાની પહોંચવા માટે નીકળી ગયા હતા પરંતુ રસ્તામાં પોલીસે તેમને રોકી દીધા છે. બોર્ડરો સીલ કરવામાં આવી છે. ધારા 144 લાગુ કરવામાં આવી છે. ખેડૂતો આગળ ન વધી શકે તે માટે સિમેન્ટના બેરિકેટ મૂકવામાં આવ્યા છે, મોટા મોટા ખીલ્લા મૂકવામાં આવ્યા છે. 

ખેડૂતોને રોકવા માટે શંભુ બોર્ડર પર છોડાયા હતા ટીયર ગેસના સેલ  

સોમવારે ખેડૂતો અને સરકારના મંત્રીઓ વચ્ચે અનેક કલાકો સુધી મીટિંગ ચાલી હતી. એવું માનવામાં આવતું હતું કે મીટિંગમાં કઈ નિવેડો આવશે પરંતુ તેવું કંઈ ના થયું. કલાકો સુધી ચાલેલી મીટિંગ નિષ્ફળ સાબિત થયું છે. મીટિંગમાં જ્યારે ખેડૂત આગેવાન બેઠા હતા ત્યારે તેમના ટ્વિટ એકાઉન્ટને બંધ કરી દેવાયા હતા તેવી વાત ખેડૂત આગેવાન દ્વારા કરવામાં આવી હતી. ગઈકાલે શંભુ બોર્ડર પર ખેડૂતોને રોકવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે. પોલીસ અને ખેડૂતો આમને સામને છે. પોલીસ અને ખેડૂતો વચ્ચે ગઈકાલે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે આજે પણ આ પ્રકારના દ્રશ્યો સર્જાઈ શકે છે તેવી શક્યતાઓ પૂરે પૂરી છે. 


આજે પણ પોલીસ અને ખેડૂતો વચ્ચે થઈ શકે છે ઘર્ષણ

પોલીસ અને ખેડૂતો વચ્ચે જે ઘર્ષણ થયું તેમાં અંદાજીત 15 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે જ્યારે 12 જેટલા ખેડૂતો આ ઘર્ષણમાં ઘાયલ થયા છે. પરિસ્થિતિ વણસે નહીં તે માટે પહેલેથી જ ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. પોલીસ પણ એકદમ એક્ટિવ મોડમાં દેખાયા છે. ખેડૂતોએ બેરિકેટ તોડી દીધા હતા. બોર્ડર પર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. ગમે ત્યારે હિંસા ભડકી ઉઠે છે તેવી સ્થિતિ હાલ છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.