Farmer Protest : ખેડૂતો મનાવી રહ્યા છે Black Day, Punjab Governmentએ કરી આ જાહેરાત, રાકેશ ટિકૈતે કર્યું આ આહ્વાહન.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-23 13:14:10

ખેડૂત આંદોલન ઉગ્ર સ્વરૂપ લઈ શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. 21 ફેબ્રુઆરીએ બનેલી ઘટનાને લઈ ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.  આ કેસમાં તપાસ કરવામાં આવશે તેવી વાત પંજાબ સરકાર દ્વારા કરવામાં આવી છે. આ બધા વચ્ચે ખેડૂતોએ આજે કાળો દિવસ મનાવવાની જાહેરાત કરી છે. ખેડૂતો દ્વારા અપીલ કરવામાં આવી છે કે ઘરોમાં અને ગાડિયો પર કાળા ઝંડા લગાવામાં આવે. ખેડૂતના મોત બાદ સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીતનો દોર ઓછો થઈ ગયો છે. દિલ્હી ચલો આંદોલનને બે દિવસ માટે રોકી દીધો છે. એવી માહિતી સામે આવી છે કે હવે 2020-21ના ખેડૂતોના આંદોલનમાં ભાગ લેનાર સંગઠને પણ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.

પંજાબ સરકાર દ્વારા કરવામાં આવી આ જાહેરાત 

એક તરફ યુવા ખેડૂતના મોત બાદ આંદોલન કરી રહેલા ખેડૂતોમાં રોષ છે તો આ તરફ પંજાબ સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. પંજાબની આપ સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે મૃત્યુ પામેલા શુભકરણના પરિવારને એક કરોડ આપવામાં આવશે. તેમજ ખેડૂતની નાની બહેનને સરકારી નોકરી પણ આપવામાં આવશે. એવી પણ માહિતી સામે આવી છે કે પંજાબ વિધાનસભામાં પંજાબના ત્રણ ખેડૂતોને શ્રદ્ધાંજલી પણ આપવામાં આવશે. 


રાકેશ ટિકૈત દ્વારા શું આપવામાં આવી પ્રતિક્રિયા? 

દિલ્હી બોર્ડર પર 2020-21ના કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરનાર સંયુક્ત કિસાન મોરચા (SKM) પણ સક્રિય થઈ ગઈ છે. એસકેએમ દ્વારા એક બેઠક બોલાવામાં આવી હતી. જેમાં પંજાબના 37 સહિત દેશભરમાંથી 100થી વધુ ખેડૂત આગેવાનોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં 23મી ફેબ્રુઆરીએ દેશવ્યાપી બ્લેક ડે મનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. તે સિવાય રાકેશ ટિકેટ દ્વારા પણ આને લઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ભારતીય કિસાન યુનિયન (BKU)ના નેતા રાકેશ ટિકૈતે 26 ફેબ્રુઆરીએ દિલ્હી તરફ જતા રાજમાર્ગો પર ટ્રેક્ટર કૂચ અને 14 માર્ચે દિલ્હીના રામલીલા મેદાનમાં એક દિવસીય કાર્યક્રમની જાહેરાત કરી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.