Farmer Protest : ખેડૂતો મનાવી રહ્યા છે Black Day, Punjab Governmentએ કરી આ જાહેરાત, રાકેશ ટિકૈતે કર્યું આ આહ્વાહન.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-23 13:14:10

ખેડૂત આંદોલન ઉગ્ર સ્વરૂપ લઈ શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. 21 ફેબ્રુઆરીએ બનેલી ઘટનાને લઈ ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.  આ કેસમાં તપાસ કરવામાં આવશે તેવી વાત પંજાબ સરકાર દ્વારા કરવામાં આવી છે. આ બધા વચ્ચે ખેડૂતોએ આજે કાળો દિવસ મનાવવાની જાહેરાત કરી છે. ખેડૂતો દ્વારા અપીલ કરવામાં આવી છે કે ઘરોમાં અને ગાડિયો પર કાળા ઝંડા લગાવામાં આવે. ખેડૂતના મોત બાદ સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીતનો દોર ઓછો થઈ ગયો છે. દિલ્હી ચલો આંદોલનને બે દિવસ માટે રોકી દીધો છે. એવી માહિતી સામે આવી છે કે હવે 2020-21ના ખેડૂતોના આંદોલનમાં ભાગ લેનાર સંગઠને પણ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.

પંજાબ સરકાર દ્વારા કરવામાં આવી આ જાહેરાત 

એક તરફ યુવા ખેડૂતના મોત બાદ આંદોલન કરી રહેલા ખેડૂતોમાં રોષ છે તો આ તરફ પંજાબ સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. પંજાબની આપ સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે મૃત્યુ પામેલા શુભકરણના પરિવારને એક કરોડ આપવામાં આવશે. તેમજ ખેડૂતની નાની બહેનને સરકારી નોકરી પણ આપવામાં આવશે. એવી પણ માહિતી સામે આવી છે કે પંજાબ વિધાનસભામાં પંજાબના ત્રણ ખેડૂતોને શ્રદ્ધાંજલી પણ આપવામાં આવશે. 


રાકેશ ટિકૈત દ્વારા શું આપવામાં આવી પ્રતિક્રિયા? 

દિલ્હી બોર્ડર પર 2020-21ના કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરનાર સંયુક્ત કિસાન મોરચા (SKM) પણ સક્રિય થઈ ગઈ છે. એસકેએમ દ્વારા એક બેઠક બોલાવામાં આવી હતી. જેમાં પંજાબના 37 સહિત દેશભરમાંથી 100થી વધુ ખેડૂત આગેવાનોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં 23મી ફેબ્રુઆરીએ દેશવ્યાપી બ્લેક ડે મનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. તે સિવાય રાકેશ ટિકેટ દ્વારા પણ આને લઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ભારતીય કિસાન યુનિયન (BKU)ના નેતા રાકેશ ટિકૈતે 26 ફેબ્રુઆરીએ દિલ્હી તરફ જતા રાજમાર્ગો પર ટ્રેક્ટર કૂચ અને 14 માર્ચે દિલ્હીના રામલીલા મેદાનમાં એક દિવસીય કાર્યક્રમની જાહેરાત કરી છે.



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .