Farmer Protest : ખેડૂતોએ કર્યું Bharat Bandhનું એલાન, Delhi Border પર ખેડૂતોનો જમાવડો! કલાકો સુધી ચાલેલી બેઠક નિષ્ફળ સાબિત થઈ....


  • Published By :
  • Published Date : 2024-02-16 12:27:45

છેલ્લા અનેક દિવસોથી ખેડૂતો પોતાની માગ સાથે રસ્તા પર આંદોલન કરવા ઉતર્યા છે. પંજાબ તેમજ હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. દિલ્હી ચલોનું આહ્વાહન ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું જે બાદ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી. ખેડૂતોને રોકવા માટે બોર્ડરો સીલ કરવામાં આવી હતી. દિલ્હીમાં ખેડૂતો એન્ટર ના થઈ શકે તે માટે એવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે જેને જોઈ લાગે કે તે બોર્ડર ભારત પાકિસ્તાનની હોય! ખેડૂતો પર ટીયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે. ગઈકાલે ખેડૂત નેતા તેમજ કેન્દ્ર સરકારના મંત્રીઓ વચ્ચે બેઠક મળી હતી. પરંતુ આ વખતની બેઠક પણ અસફળ રહી. અનેક કલાકો સુધી ચાલેલી બેઠકનું કોઈ પરિણામ ન આવ્યું અને આજે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. રવિવારે ફરી એક વખત ખેડૂત આગેવાનો તેમજ કેન્દ્ર સરકાર વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

 

આ વખતની બેઠક પણ નિષ્ફળ સાબિત થઈ!

દેશમાં છેલ્લા ઘણ સમયથી એક જ વાતની ચર્ચાઓ થઈ રહી છે તે છે ખેડૂત આંદોલન. પોતાની માગ સાથે ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂતો પોતાની માગ સાથે અડગ છે તો પોલીસ પણ તેમને દિલ્હીમાં એન્ટર ના થવા દેવા માટે સજ્જ દેખાઈ રહી છે! ઈન્ટરનેટ સેવા પર તો ક્યારનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, ઉપરાંત ખેડૂત આગેવાનો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમના ટ્વિટર એકાઉન્ટ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ગઈકાલે પણ ખેડૂત આગેવાનો તેમજ કેન્દ્ર સરકારના મંત્રી વચ્ચે અનેક કલાકો સુધી બેઠક ચાલી હતી પરંતુ તે બેઠકનું પરિણામ કંઈ ના આવ્યું. 


ખેડૂતોએ આપ્યું છે ભારત બંધનું એલાન

ખેડૂત આંદોલનનો આજે ચોથો દિવસ છે. આજે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. દિલ્હી સુધી ખેડૂતો ના પહોંચી શકે તે માટે પોલીસે બેરિકેટ મૂકી દીધા છે, મોટા મોટા ખિલ્લાઓ રસ્તા પર મૂકી દેવામાં આવ્યા છે. સિમેન્ટની દિવાલો ચણાતી હોય તેવા વીડિયો પણ સામે આવ્યા હતા. બોર્ડરો પર સુરક્ષા બળ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું તેવા સમાચાર પણ મળ્યા હતા. આ ઘમાસાણમાં અનેક સુરક્ષા કર્મી તેમજ ખેડૂતો ઘાયલ થયા હોય તેવી માહિતી સામે આવી છે. ત્યારે આજે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. આ બંધમાં અનેક ટ્રક યુનિયન તેમજ ટ્રેડ યુનિયન જોડાઈ શકે છે તેવી માહિતી સામે આવી છે. પંજાબથી લઈ હરિયાણા સુધી, યુપીથી લઈ દિલ્હી સુધી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે પંજાબમાં ખેડૂતોએ રેલ રોકો આંદોલન પણ કર્યું હતું.  



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .