Farmer Protest : ખેડૂતોએ કર્યું Bharat Bandhનું એલાન, Delhi Border પર ખેડૂતોનો જમાવડો! કલાકો સુધી ચાલેલી બેઠક નિષ્ફળ સાબિત થઈ....


  • Published By :
  • Published Date : 2024-02-16 12:27:45

છેલ્લા અનેક દિવસોથી ખેડૂતો પોતાની માગ સાથે રસ્તા પર આંદોલન કરવા ઉતર્યા છે. પંજાબ તેમજ હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. દિલ્હી ચલોનું આહ્વાહન ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું જે બાદ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી. ખેડૂતોને રોકવા માટે બોર્ડરો સીલ કરવામાં આવી હતી. દિલ્હીમાં ખેડૂતો એન્ટર ના થઈ શકે તે માટે એવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે જેને જોઈ લાગે કે તે બોર્ડર ભારત પાકિસ્તાનની હોય! ખેડૂતો પર ટીયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે. ગઈકાલે ખેડૂત નેતા તેમજ કેન્દ્ર સરકારના મંત્રીઓ વચ્ચે બેઠક મળી હતી. પરંતુ આ વખતની બેઠક પણ અસફળ રહી. અનેક કલાકો સુધી ચાલેલી બેઠકનું કોઈ પરિણામ ન આવ્યું અને આજે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. રવિવારે ફરી એક વખત ખેડૂત આગેવાનો તેમજ કેન્દ્ર સરકાર વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

 

આ વખતની બેઠક પણ નિષ્ફળ સાબિત થઈ!

દેશમાં છેલ્લા ઘણ સમયથી એક જ વાતની ચર્ચાઓ થઈ રહી છે તે છે ખેડૂત આંદોલન. પોતાની માગ સાથે ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂતો પોતાની માગ સાથે અડગ છે તો પોલીસ પણ તેમને દિલ્હીમાં એન્ટર ના થવા દેવા માટે સજ્જ દેખાઈ રહી છે! ઈન્ટરનેટ સેવા પર તો ક્યારનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, ઉપરાંત ખેડૂત આગેવાનો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમના ટ્વિટર એકાઉન્ટ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ગઈકાલે પણ ખેડૂત આગેવાનો તેમજ કેન્દ્ર સરકારના મંત્રી વચ્ચે અનેક કલાકો સુધી બેઠક ચાલી હતી પરંતુ તે બેઠકનું પરિણામ કંઈ ના આવ્યું. 


ખેડૂતોએ આપ્યું છે ભારત બંધનું એલાન

ખેડૂત આંદોલનનો આજે ચોથો દિવસ છે. આજે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. દિલ્હી સુધી ખેડૂતો ના પહોંચી શકે તે માટે પોલીસે બેરિકેટ મૂકી દીધા છે, મોટા મોટા ખિલ્લાઓ રસ્તા પર મૂકી દેવામાં આવ્યા છે. સિમેન્ટની દિવાલો ચણાતી હોય તેવા વીડિયો પણ સામે આવ્યા હતા. બોર્ડરો પર સુરક્ષા બળ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું તેવા સમાચાર પણ મળ્યા હતા. આ ઘમાસાણમાં અનેક સુરક્ષા કર્મી તેમજ ખેડૂતો ઘાયલ થયા હોય તેવી માહિતી સામે આવી છે. ત્યારે આજે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. આ બંધમાં અનેક ટ્રક યુનિયન તેમજ ટ્રેડ યુનિયન જોડાઈ શકે છે તેવી માહિતી સામે આવી છે. પંજાબથી લઈ હરિયાણા સુધી, યુપીથી લઈ દિલ્હી સુધી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે પંજાબમાં ખેડૂતોએ રેલ રોકો આંદોલન પણ કર્યું હતું.  



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .