Farmer Protest : ખેડૂતોએ કર્યું Bharat Bandhનું એલાન, Delhi Border પર ખેડૂતોનો જમાવડો! કલાકો સુધી ચાલેલી બેઠક નિષ્ફળ સાબિત થઈ....


  • Published By :
  • Published Date : 2024-02-16 12:27:45

છેલ્લા અનેક દિવસોથી ખેડૂતો પોતાની માગ સાથે રસ્તા પર આંદોલન કરવા ઉતર્યા છે. પંજાબ તેમજ હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. દિલ્હી ચલોનું આહ્વાહન ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું જે બાદ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી. ખેડૂતોને રોકવા માટે બોર્ડરો સીલ કરવામાં આવી હતી. દિલ્હીમાં ખેડૂતો એન્ટર ના થઈ શકે તે માટે એવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે જેને જોઈ લાગે કે તે બોર્ડર ભારત પાકિસ્તાનની હોય! ખેડૂતો પર ટીયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે. ગઈકાલે ખેડૂત નેતા તેમજ કેન્દ્ર સરકારના મંત્રીઓ વચ્ચે બેઠક મળી હતી. પરંતુ આ વખતની બેઠક પણ અસફળ રહી. અનેક કલાકો સુધી ચાલેલી બેઠકનું કોઈ પરિણામ ન આવ્યું અને આજે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. રવિવારે ફરી એક વખત ખેડૂત આગેવાનો તેમજ કેન્દ્ર સરકાર વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

 

આ વખતની બેઠક પણ નિષ્ફળ સાબિત થઈ!

દેશમાં છેલ્લા ઘણ સમયથી એક જ વાતની ચર્ચાઓ થઈ રહી છે તે છે ખેડૂત આંદોલન. પોતાની માગ સાથે ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂતો પોતાની માગ સાથે અડગ છે તો પોલીસ પણ તેમને દિલ્હીમાં એન્ટર ના થવા દેવા માટે સજ્જ દેખાઈ રહી છે! ઈન્ટરનેટ સેવા પર તો ક્યારનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, ઉપરાંત ખેડૂત આગેવાનો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમના ટ્વિટર એકાઉન્ટ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ગઈકાલે પણ ખેડૂત આગેવાનો તેમજ કેન્દ્ર સરકારના મંત્રી વચ્ચે અનેક કલાકો સુધી બેઠક ચાલી હતી પરંતુ તે બેઠકનું પરિણામ કંઈ ના આવ્યું. 


ખેડૂતોએ આપ્યું છે ભારત બંધનું એલાન

ખેડૂત આંદોલનનો આજે ચોથો દિવસ છે. આજે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. દિલ્હી સુધી ખેડૂતો ના પહોંચી શકે તે માટે પોલીસે બેરિકેટ મૂકી દીધા છે, મોટા મોટા ખિલ્લાઓ રસ્તા પર મૂકી દેવામાં આવ્યા છે. સિમેન્ટની દિવાલો ચણાતી હોય તેવા વીડિયો પણ સામે આવ્યા હતા. બોર્ડરો પર સુરક્ષા બળ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું તેવા સમાચાર પણ મળ્યા હતા. આ ઘમાસાણમાં અનેક સુરક્ષા કર્મી તેમજ ખેડૂતો ઘાયલ થયા હોય તેવી માહિતી સામે આવી છે. ત્યારે આજે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. આ બંધમાં અનેક ટ્રક યુનિયન તેમજ ટ્રેડ યુનિયન જોડાઈ શકે છે તેવી માહિતી સામે આવી છે. પંજાબથી લઈ હરિયાણા સુધી, યુપીથી લઈ દિલ્હી સુધી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે પંજાબમાં ખેડૂતોએ રેલ રોકો આંદોલન પણ કર્યું હતું.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.