Farmer Protest : દિલ્હી કૂચ પર ખેડૂતોએ બે દિવસ માટે મૂક્યો વિરામ, ગઈકાલે બનેલી ઘટનાને લઈ ખેડૂતો દ્વારા લેવાયો નિર્ણય, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-22 12:53:14

પોતાની માગને લઈ ખેડૂતો છેલ્લા અનેક દિવસથી આંદોલન કરી રહ્યા છે. પંજાબ તેમજ હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. દિલ્હી સુધી ખેડૂતો ના પહોંચી શકે તે માટે મોટી સંખ્યામાં સુરક્ષા બળને તૈનાત કરવામાં આવી છે. દિલ્હી તરફ જતી બોર્ડરો પર એવી વ્યવસ્થા કરવામાં આવી છે જાણે કોઈ આંતરરાષ્ટ્રીય બોર્ડર હોય. બે દિવસના વિરામ બાદ ખેડૂતોએ ગઈકાલથી દિલ્હી કૂચ શરૂ કરી હતી પરંતુ કાલે બોર્ડર પર બનેલી ઘટનાને પગલે બે દિવસ માટે દિલ્હી ચલો આંદોલનને રોકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી છે. ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું છે કે શુક્રવારે આગળની રણનીતિ અંગે જાહેરાત કરવામાં આવશે.

  

ગઈકાલે ખેડૂતોએ શરૂ કર્યું હતું દિલ્હી તરફ કૂચ કરવાનું 

પંજાબ તેમજ હરિયાણાના ખેડૂતોએ સરકાર સામે બાયો ચઢાવી છે. પોતાની માગ સાથે ખેડૂતો દિલ્હી તરફ આવવા નીકળી ગયા છે. સંસદનો ઘેરાવો કરવામાં માટે ખેડૂતો નિકળ્યા હતા પરંતુ તે દિલ્હી પહોંચે તે પહેલા બોર્ડરો સીલ કરવામાં આવી. બોર્ડરો પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. દિલ્હીને છાવણીમાં ફેરી દેવામાં આવ્યું હતું. રવિવારે કેન્દ્ર સરકાર તેમજ ખેડૂત આગેવાનો વચ્ચે બેઠક થઈ હતી. આ બેઠકનું પરિણામ પોઝિટિવ આવશે એવું લાગતું હતું. શક્યતાઓ હતી કે ખેડૂતો પોતાનું આંદોલન પાછું ખેંચી લે પરંતુ તેવું થયું નહીં. ખેડૂતોએ વિચારવા માટે બે દિવસનો સમય માગ્યો હતો. દિલ્હી કૂચને બે દિવસ માટે ટાળી હતી. એવી જાહેરાત કરવામાં આવી હતી કે 21 ફેબ્રુઆરીથી ખેડૂતો ફરીથી દિલ્હી તરફ કૂચ કરશે.

અથડામણમાં એક ખેડૂતનું થયું મોત 

 ગઈકાલે ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાની શરૂઆત કરી હતી. ખેડૂતોને રોકવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. સુરક્ષા બળ તેમજ ખેડૂતો વચ્ચે ઘર્ષણ થશે તેવી શક્યતાઓ દેખાઈ રહી હતી પરંતુ ગઈકાલે એક ખેડૂતનું મોત ગોળી વાગવાને કારણે થયું તેવો દાવો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો. પરંતુ પોલીસ દ્વારા આ દાવાને ફગાવી દેવામાં આવ્યો છે.  યુવાનું મોત થઈ જતા ખેડૂતોમાં આક્રોશની લાગણી પ્રવર્તિ રહી છે. ખેડૂતોએ બે દિવસ માટે દિલ્હી ચલો આંદોલનને મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે બોર્ડર પર થયેલી અથડામણમાં અનેક ખેડૂતો તેમજ પોલીસકર્મી ઘાયલ થયા છે તેવી માહિતી સામે આવી છે. આગળની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે અને તે પ્રમાણે પછી આગળ પગલા લેવામાં આવશે તેવી માહિતી ખેડૂત આગેવાન દ્વારા આપવામાં આવી છે. ગઈકાલે જે ગોળીબારીની ઘટના બની તેને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પંજાબના મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું કે આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. 



રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.