Farmer Protest : બેઠકમાં સરકાર દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવનો ખેડૂતોએ કર્યો અસ્વીકાર, દિલ્હી કૂચની તારીખ પણ કરી દીધી જાહેર..


  • Published By :
  • Published Date : 2024-02-20 11:12:17

રવિવારે ખેડૂત આગેવાનો તેમજ કેન્દ્ર સરકાર વચ્ચે બેઠક થઈ હતી. સરકારે ખેડૂતો સમક્ષ ઓફર મૂકી જેમાં વધુ ચાર પાક પર એમએસપી આપવાની સરકારે તૈયારી બતાવી. બેઠક બાદ એવું લાગતું હતું કે આ આંદોલન સમેટાઈ જશે, સરકાર દ્વારા મૂકવામાં આવેલા પ્રસ્તાવ પર ચર્ચા કરશે. ચર્ચા વિચારણા કરવા માટે ખેડૂતોએ જણાવ્યું હતું કે 21 ફેબ્રુઆરી સુધી ખેડૂતો દિલ્હી તરફ કૂચ નહીં કરે પરંતુ ગઈકાલે ખેડૂતોએ પ્રસ્તાવને અસ્વીકાર કરી દીધો હતો અને આવતીકાલથી ખેડૂતો ફરીથી દિલ્હી તરફ કૂચ કરવાના છે.

આવતી કાલથી ખેડૂતો કરશે દિલ્હી તરફ કૂચ 

પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. પોતાની માગને લઈ ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. 19 ફેબ્રુઆરીએ ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે મહત્વપૂર્ણ બેઠક થઈ હતી. બેઠક બાદ લાગતું હતું કે આ બેઠકનું પરિણામ સકારાત્મક આવશે પરંતુ આ બેઠકનું પરિણામ સકારાત્મક નથી આવ્યું. બેઠકમાં સરકાર દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવને ખેડૂતોએ ઠુકરાવી દીધો છે. ખેડૂતો પોતાની માગને લઈ અડગ છે. 21મી તારીખથી ફરી એક વખત ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવાના છે. ખેડૂત આંદોલનને લઈ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ચંદીગઢમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. 


ખેડૂતોએ ફગાવી દીધો સરકાર દ્વારા આપવામાં આવેલો પ્રસ્તાવ 

ગઈકાલે જ્યારે આ પ્રસ્તાવને ખેડૂતોએ નકાર્યો ત્યારે ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલે કહ્યું કે સરકારની દાનતમાં ખોટ છે. સરકાર અમારી માંગણીઓ પર ગંભીર નથી. અમે ઈચ્છીએ છીએ કે સરકાર  23 પાક માટે MSP (ટેકાના ભાવ) માટે ફોર્મ્યુલા નક્કી કરે. સરકારના પ્રસ્તાવથી ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી. ડલ્લેવાલે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે સરકાર દ્વારા આપવામાં આવેલી દરખાસ્તમાં કોઈ સ્પષ્ટતા નથી. સરકારે કરેલી દરખાસ્તનું વજન કરીએ તો તેમાં કશું જ દેખાતું નથી. આપણી સરકાર 1.75 લાખ કરોડ રૂપિયાનું પામ ઓઈલ (Palm Oil) ખરીદે છે, પરંતુ જો આ રકમ ખેતી માટે તેલીબિયાં માટે ફાળવવામાં આવી હોત તો ખેડૂતોને ઘણો ફાયદો થયો હોત. 



ખેડૂતો અને સુરક્ષાકર્મીઓ વચ્ચે સર્જાયું હતું ઘર્ષણ!

મહત્વનું છે કે રવિવારે જે બેઠક થઈ તે પહેલા ખેડૂત નેતા અને કેન્દ્ર સરકાર વચ્ચે અનેક વખત બેઠક થઈ હતી. પરંતુ દર વખતની બેઠકનું પરિણામ કંઈ આવતું ન હતું. આંદોલન કરી રહેલા ખેડૂતોને રોકવા માટે સુરક્ષા કર્મીઓ દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે તે બોર્ડર કોઈ આંતરરાષ્ટ્રીય બોર્ડર હોય. બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી હતી. જગતના તાત પર ડ્રોનથી ટીયર ગેસ છોડવામાં આવ્યો હતો. પોલીસ તેમજ ખેડૂતો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા અને માહિતી અનુસાર અનેક ખેડૂતો તેમજ પોલીસકર્મી ઘાયલ થયા હતા.     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.