Farmer Protest : બેઠકમાં સરકાર દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવનો ખેડૂતોએ કર્યો અસ્વીકાર, દિલ્હી કૂચની તારીખ પણ કરી દીધી જાહેર..


  • Published By :
  • Published Date : 2024-02-20 11:12:17

રવિવારે ખેડૂત આગેવાનો તેમજ કેન્દ્ર સરકાર વચ્ચે બેઠક થઈ હતી. સરકારે ખેડૂતો સમક્ષ ઓફર મૂકી જેમાં વધુ ચાર પાક પર એમએસપી આપવાની સરકારે તૈયારી બતાવી. બેઠક બાદ એવું લાગતું હતું કે આ આંદોલન સમેટાઈ જશે, સરકાર દ્વારા મૂકવામાં આવેલા પ્રસ્તાવ પર ચર્ચા કરશે. ચર્ચા વિચારણા કરવા માટે ખેડૂતોએ જણાવ્યું હતું કે 21 ફેબ્રુઆરી સુધી ખેડૂતો દિલ્હી તરફ કૂચ નહીં કરે પરંતુ ગઈકાલે ખેડૂતોએ પ્રસ્તાવને અસ્વીકાર કરી દીધો હતો અને આવતીકાલથી ખેડૂતો ફરીથી દિલ્હી તરફ કૂચ કરવાના છે.

આવતી કાલથી ખેડૂતો કરશે દિલ્હી તરફ કૂચ 

પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. પોતાની માગને લઈ ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. 19 ફેબ્રુઆરીએ ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે મહત્વપૂર્ણ બેઠક થઈ હતી. બેઠક બાદ લાગતું હતું કે આ બેઠકનું પરિણામ સકારાત્મક આવશે પરંતુ આ બેઠકનું પરિણામ સકારાત્મક નથી આવ્યું. બેઠકમાં સરકાર દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવને ખેડૂતોએ ઠુકરાવી દીધો છે. ખેડૂતો પોતાની માગને લઈ અડગ છે. 21મી તારીખથી ફરી એક વખત ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવાના છે. ખેડૂત આંદોલનને લઈ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ચંદીગઢમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. 


ખેડૂતોએ ફગાવી દીધો સરકાર દ્વારા આપવામાં આવેલો પ્રસ્તાવ 

ગઈકાલે જ્યારે આ પ્રસ્તાવને ખેડૂતોએ નકાર્યો ત્યારે ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલે કહ્યું કે સરકારની દાનતમાં ખોટ છે. સરકાર અમારી માંગણીઓ પર ગંભીર નથી. અમે ઈચ્છીએ છીએ કે સરકાર  23 પાક માટે MSP (ટેકાના ભાવ) માટે ફોર્મ્યુલા નક્કી કરે. સરકારના પ્રસ્તાવથી ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી. ડલ્લેવાલે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે સરકાર દ્વારા આપવામાં આવેલી દરખાસ્તમાં કોઈ સ્પષ્ટતા નથી. સરકારે કરેલી દરખાસ્તનું વજન કરીએ તો તેમાં કશું જ દેખાતું નથી. આપણી સરકાર 1.75 લાખ કરોડ રૂપિયાનું પામ ઓઈલ (Palm Oil) ખરીદે છે, પરંતુ જો આ રકમ ખેતી માટે તેલીબિયાં માટે ફાળવવામાં આવી હોત તો ખેડૂતોને ઘણો ફાયદો થયો હોત. 



ખેડૂતો અને સુરક્ષાકર્મીઓ વચ્ચે સર્જાયું હતું ઘર્ષણ!

મહત્વનું છે કે રવિવારે જે બેઠક થઈ તે પહેલા ખેડૂત નેતા અને કેન્દ્ર સરકાર વચ્ચે અનેક વખત બેઠક થઈ હતી. પરંતુ દર વખતની બેઠકનું પરિણામ કંઈ આવતું ન હતું. આંદોલન કરી રહેલા ખેડૂતોને રોકવા માટે સુરક્ષા કર્મીઓ દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે તે બોર્ડર કોઈ આંતરરાષ્ટ્રીય બોર્ડર હોય. બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી હતી. જગતના તાત પર ડ્રોનથી ટીયર ગેસ છોડવામાં આવ્યો હતો. પોલીસ તેમજ ખેડૂતો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા અને માહિતી અનુસાર અનેક ખેડૂતો તેમજ પોલીસકર્મી ઘાયલ થયા હતા.     



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .