Farmer Protest : પોતાની માગ પર ખેડૂતો અડગ! ખેડૂતોએ કર્યું ટ્રેક્ટર રેલીનું આયોજન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-26 11:01:44

પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂત નેતા અને સરકાર વચ્ચે અનેક વખત વાતો થઈ,બેઠકો થઈ પરંતુ કોઈ પરિણામ ન આવ્યું હતું. ખેડૂતોને રોકવા માટે સુરક્ષા બળને તૈનાત કરવામાં આવ્યા છે.બોર્ડર પર એવી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે જાણે એ બોર્ડર આંતરરાષ્ટ્રીય બોર્ડર હોય. દિલ્હી તરફ કૂચ કરવા માટે ખેડૂતો મક્કમ છે. થોડા દિવસ પહેલા ખેડૂતનું મોત થઈ ગયું હતું જેને કારણે ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ બધા વચ્ચે આજે ખેડૂતોએ ટ્રેક્ટર માર્ચ  કાઢવાની તૈયારી કરી દીધી છે. ખેડૂતો ટ્રેક્ટરને લઈ દિલ્હીમાં પ્રવેશવાની કોશિશ કરી શકે છે.

 

Noida traffic likely to be affected today

અનેક વખત પોલીસ અને ખેડૂતો વચ્ચે થયું છે ઘર્ષણ!

દિલ્હી તરફ પંજાબ અને હરિયાણાના ખેડૂતો કૂચ કરી રહ્યા છે. પોતાની માગને લઈ ખેડૂતો આગળ વધી રહ્યા છે. પંજાબ અને હરિયાણાથી આવતા ખેડૂતોને રોકવા માટે મોટી સંખ્યામાં સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવ્યા છે. મોટા મોટા બેરિકેટ મૂકાયા, ખીલ્લાઓ મૂકાયા. સરકાર અને ખેડૂતો વચ્ચે અનેક વખત બેઠકો થઈ પરંતુ તેનું પરિણામ કંઈ ના આવ્યું. વિચારવા માટે ખેડૂતોએ બે દિવસ માગ્યા હતા. દિલ્હી કૂચને મોકૂફ રાખી હતી. પરંતુ થોડા સમય બાદ ખેડૂતો દ્વારા જાહેરાત કરવામાં આવી કે દિલ્હી તરફ કૂચ ચાલુ રાખશે. તે દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું અને તે ઘર્ષણમાં એક ખેડૂતનું મોત થઈ ગયું હતું. આ ઘટના બાદ ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો. ભારતીય કિસાન યુનિયન અને સંયુક્ત કિસાન મોરચાએ ટ્રેક્ટર રેલી કાઢવાની જાહેરાત કરી હતી. રાકેશ ટિકૈત પણ આમાં સામેલ થઈ શકે છે.  


ખેડૂતોએ કર્યું છે ટ્રેક્ટર રેલીનું આયોજન!

ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે તો તેમને રોકવા માટે સુરક્ષા બળો પણ તૈનાત કરવામાં આવ્યા છે. ખેડૂતો તૈયારી સાથે આવ્યા છે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. આજે ખેડૂતો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ટ્રેક્ટર રેલી કાઢશે. ટ્રેક્ટર રેલીનું આયોજન આજે ખેડૂતોએ કરી દીધું છે. મહત્વનું છે કે ખેડૂત આંદોલનને લઈ ઈન્ટરનેટ સેવાઓ પર પણ અનેક જિલ્લાઓમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ખેડૂતોએ એવો દાવો કર્યો હતો કે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટને બંધ કરી દેવાયા. રાકેશ ટિકૈત દ્વારા પણ આ અંગે જાહેરાત કરવામાં આવી હતી.  ટ્રેક્ટર રેલીને પગલે વાહનચાલકો માટે ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી છે. મહત્વનું છે કે જ્યારે સામાન્ય માણસને અગવડ પડે છે આંદોલનને લઈ ત્યારે તે ખોટી વાતો ખેડૂતોને લઈ પોતાના મનમાં બેસાડી દેતા હોય છે. ખેડૂતો માટે ખરાબ વિચારો કરવા લાગે છે.   



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.