Farmer Protest : પોતાની માગ પર ખેડૂતો અડગ! ખેડૂતોએ કર્યું ટ્રેક્ટર રેલીનું આયોજન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-26 11:01:44

પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂત નેતા અને સરકાર વચ્ચે અનેક વખત વાતો થઈ,બેઠકો થઈ પરંતુ કોઈ પરિણામ ન આવ્યું હતું. ખેડૂતોને રોકવા માટે સુરક્ષા બળને તૈનાત કરવામાં આવ્યા છે.બોર્ડર પર એવી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે જાણે એ બોર્ડર આંતરરાષ્ટ્રીય બોર્ડર હોય. દિલ્હી તરફ કૂચ કરવા માટે ખેડૂતો મક્કમ છે. થોડા દિવસ પહેલા ખેડૂતનું મોત થઈ ગયું હતું જેને કારણે ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ બધા વચ્ચે આજે ખેડૂતોએ ટ્રેક્ટર માર્ચ  કાઢવાની તૈયારી કરી દીધી છે. ખેડૂતો ટ્રેક્ટરને લઈ દિલ્હીમાં પ્રવેશવાની કોશિશ કરી શકે છે.

 

Noida traffic likely to be affected today

અનેક વખત પોલીસ અને ખેડૂતો વચ્ચે થયું છે ઘર્ષણ!

દિલ્હી તરફ પંજાબ અને હરિયાણાના ખેડૂતો કૂચ કરી રહ્યા છે. પોતાની માગને લઈ ખેડૂતો આગળ વધી રહ્યા છે. પંજાબ અને હરિયાણાથી આવતા ખેડૂતોને રોકવા માટે મોટી સંખ્યામાં સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવ્યા છે. મોટા મોટા બેરિકેટ મૂકાયા, ખીલ્લાઓ મૂકાયા. સરકાર અને ખેડૂતો વચ્ચે અનેક વખત બેઠકો થઈ પરંતુ તેનું પરિણામ કંઈ ના આવ્યું. વિચારવા માટે ખેડૂતોએ બે દિવસ માગ્યા હતા. દિલ્હી કૂચને મોકૂફ રાખી હતી. પરંતુ થોડા સમય બાદ ખેડૂતો દ્વારા જાહેરાત કરવામાં આવી કે દિલ્હી તરફ કૂચ ચાલુ રાખશે. તે દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું અને તે ઘર્ષણમાં એક ખેડૂતનું મોત થઈ ગયું હતું. આ ઘટના બાદ ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો. ભારતીય કિસાન યુનિયન અને સંયુક્ત કિસાન મોરચાએ ટ્રેક્ટર રેલી કાઢવાની જાહેરાત કરી હતી. રાકેશ ટિકૈત પણ આમાં સામેલ થઈ શકે છે.  


ખેડૂતોએ કર્યું છે ટ્રેક્ટર રેલીનું આયોજન!

ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે તો તેમને રોકવા માટે સુરક્ષા બળો પણ તૈનાત કરવામાં આવ્યા છે. ખેડૂતો તૈયારી સાથે આવ્યા છે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. આજે ખેડૂતો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ટ્રેક્ટર રેલી કાઢશે. ટ્રેક્ટર રેલીનું આયોજન આજે ખેડૂતોએ કરી દીધું છે. મહત્વનું છે કે ખેડૂત આંદોલનને લઈ ઈન્ટરનેટ સેવાઓ પર પણ અનેક જિલ્લાઓમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ખેડૂતોએ એવો દાવો કર્યો હતો કે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટને બંધ કરી દેવાયા. રાકેશ ટિકૈત દ્વારા પણ આ અંગે જાહેરાત કરવામાં આવી હતી.  ટ્રેક્ટર રેલીને પગલે વાહનચાલકો માટે ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી છે. મહત્વનું છે કે જ્યારે સામાન્ય માણસને અગવડ પડે છે આંદોલનને લઈ ત્યારે તે ખોટી વાતો ખેડૂતોને લઈ પોતાના મનમાં બેસાડી દેતા હોય છે. ખેડૂતો માટે ખરાબ વિચારો કરવા લાગે છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.