Farmer Protest : ખેડૂતોએ શરૂ કર્યું દિલ્હી તરફ કૂચ કરવાનું, બોર્ડર પર સ્થિતિ તણાવપૂર્ણ. પોલીસ અને ખેડૂતો વચ્ચે થઈ શકે છે ઘર્ષણ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-21 15:27:07

પંજાબ હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂત લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. બે દિવસ માટે ખેડૂતોએ કૂચને રોકી દીધી હતી ત્યારે આજે ફરી એક વખત દિલ્હી તરફ ખેડૂતો આગળ વધી રહ્યા છે. બોર્ડર પર ખેડૂતોની તૈયારી જોવા મળી રહી છે. શંભુ બોર્ડર પર કિસાનોનો જમાવડો છે. ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. સરકાર અને ખેડૂતો વચ્ચે અનેક વખત બેઠકો થઈ પરંતુ તેનું પરિણામ કંઈ ના આવ્યું. રવિવારે થયેલી બેઠક બાદ એવું માનવામાં આવતું હતું કે ખેડૂતો આંદોલન સમેટી લેશે. પરંતુ ખેડૂતોએ સરકારે આપેલી ઓફરને નકારી દીધી છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ખેડૂતો 1200 ટ્રેક્ટર, 300 ગાડીઓ તેમજ 10 મિની બસોને લઈ દિલ્હી તરફ આગળ વધ્યા છે. અંદાજીત 14 હજાર જેટલા લોકો પંજાબ હરિયાણા સીમા પર બેઠેલા છે આંદોલન કરવા. એવી માહિતી સામે આવી છે કે સરકાર દ્વારા વાતચીત કરવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ખેડૂતો પર ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવી રહ્યા છે.

  

અનેક વખત ખેડૂત નેતા અને સરકાર વચ્ચે થઈ છે બેઠક!

જગતના તાત ફરી એક વખત રસ્તા પર આંદોલન કરવા માટે ઉતર્યા છે. પોતાની માગને લઈ ખેડૂતોએ સરકાર સામે બાંયો ચઢાવી છે. સંસદને ઘેરવા માટે પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂતોને રોકવા માટે સુરક્ષા બળ તૈનાત કરવામાં આવ્યા છે. મોટા મોટા ખિલ્લાઓ, બેરિકેટ મૂકી દેવામાં આવ્યા છે જેને જોતા એવું લાગે કે આ રાજ્યની બોર્ડર નહીં પરંતુ કોઈ આંતરરાષ્ટ્રીય બોર્ડર હોય. સરકાર અને ખેડૂતો વચ્ચે અનેક વખત ચર્ચાઓ થઈ પરંતુ તે ચર્ચાઓનું કોઈ પરિણામ આવ્યું ન હતું. 


દિલ્હી તરફ ખેડૂતો કરી રહ્યા છે કૂચ 

સરકારે ચાર પાકો પર એમએસપી આપવાની તૈયારી બતાવી. સરકાર દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવ અંગે ખેડૂતોએ ચર્ચા કરવાનો નિર્ણય કર્યો હતો, ચર્ચા બાદ આંદોલન સમેટવું કે નહીં તે અંગેનો નિર્ણય ખેડૂતો દ્વારા કરવામાં આવવાનો હતો પરંતુ ખેડૂતોએ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો અને જાહેરાત કરી હતી કે 21 ફેબ્રુઆરીથી ખેડૂતો ફરી એક વખત દિલ્હી તરફ કૂચ કરશે. આજે ફરીથી ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાનું શરૂ કરી દીધું છે.       



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.