Farmer Protest : ખેડૂતોએ શરૂ કર્યું દિલ્હી તરફ કૂચ કરવાનું, બોર્ડર પર સ્થિતિ તણાવપૂર્ણ. પોલીસ અને ખેડૂતો વચ્ચે થઈ શકે છે ઘર્ષણ!


  • Published By :
  • Published Date : 2024-02-21 15:27:07

પંજાબ હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂત લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. બે દિવસ માટે ખેડૂતોએ કૂચને રોકી દીધી હતી ત્યારે આજે ફરી એક વખત દિલ્હી તરફ ખેડૂતો આગળ વધી રહ્યા છે. બોર્ડર પર ખેડૂતોની તૈયારી જોવા મળી રહી છે. શંભુ બોર્ડર પર કિસાનોનો જમાવડો છે. ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. સરકાર અને ખેડૂતો વચ્ચે અનેક વખત બેઠકો થઈ પરંતુ તેનું પરિણામ કંઈ ના આવ્યું. રવિવારે થયેલી બેઠક બાદ એવું માનવામાં આવતું હતું કે ખેડૂતો આંદોલન સમેટી લેશે. પરંતુ ખેડૂતોએ સરકારે આપેલી ઓફરને નકારી દીધી છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ખેડૂતો 1200 ટ્રેક્ટર, 300 ગાડીઓ તેમજ 10 મિની બસોને લઈ દિલ્હી તરફ આગળ વધ્યા છે. અંદાજીત 14 હજાર જેટલા લોકો પંજાબ હરિયાણા સીમા પર બેઠેલા છે આંદોલન કરવા. એવી માહિતી સામે આવી છે કે સરકાર દ્વારા વાતચીત કરવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ખેડૂતો પર ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવી રહ્યા છે.

  

અનેક વખત ખેડૂત નેતા અને સરકાર વચ્ચે થઈ છે બેઠક!

જગતના તાત ફરી એક વખત રસ્તા પર આંદોલન કરવા માટે ઉતર્યા છે. પોતાની માગને લઈ ખેડૂતોએ સરકાર સામે બાંયો ચઢાવી છે. સંસદને ઘેરવા માટે પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂતોને રોકવા માટે સુરક્ષા બળ તૈનાત કરવામાં આવ્યા છે. મોટા મોટા ખિલ્લાઓ, બેરિકેટ મૂકી દેવામાં આવ્યા છે જેને જોતા એવું લાગે કે આ રાજ્યની બોર્ડર નહીં પરંતુ કોઈ આંતરરાષ્ટ્રીય બોર્ડર હોય. સરકાર અને ખેડૂતો વચ્ચે અનેક વખત ચર્ચાઓ થઈ પરંતુ તે ચર્ચાઓનું કોઈ પરિણામ આવ્યું ન હતું. 


દિલ્હી તરફ ખેડૂતો કરી રહ્યા છે કૂચ 

સરકારે ચાર પાકો પર એમએસપી આપવાની તૈયારી બતાવી. સરકાર દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવ અંગે ખેડૂતોએ ચર્ચા કરવાનો નિર્ણય કર્યો હતો, ચર્ચા બાદ આંદોલન સમેટવું કે નહીં તે અંગેનો નિર્ણય ખેડૂતો દ્વારા કરવામાં આવવાનો હતો પરંતુ ખેડૂતોએ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો અને જાહેરાત કરી હતી કે 21 ફેબ્રુઆરીથી ખેડૂતો ફરી એક વખત દિલ્હી તરફ કૂચ કરશે. આજે ફરીથી ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાનું શરૂ કરી દીધું છે.       



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .