Farmer Protest : ખેડૂતોએ શરૂ કર્યું દિલ્હી તરફ કૂચ કરવાનું, બોર્ડર પર સ્થિતિ તણાવપૂર્ણ. પોલીસ અને ખેડૂતો વચ્ચે થઈ શકે છે ઘર્ષણ!


  • Published By :
  • Published Date : 2024-02-21 15:27:07

પંજાબ હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂત લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. બે દિવસ માટે ખેડૂતોએ કૂચને રોકી દીધી હતી ત્યારે આજે ફરી એક વખત દિલ્હી તરફ ખેડૂતો આગળ વધી રહ્યા છે. બોર્ડર પર ખેડૂતોની તૈયારી જોવા મળી રહી છે. શંભુ બોર્ડર પર કિસાનોનો જમાવડો છે. ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. સરકાર અને ખેડૂતો વચ્ચે અનેક વખત બેઠકો થઈ પરંતુ તેનું પરિણામ કંઈ ના આવ્યું. રવિવારે થયેલી બેઠક બાદ એવું માનવામાં આવતું હતું કે ખેડૂતો આંદોલન સમેટી લેશે. પરંતુ ખેડૂતોએ સરકારે આપેલી ઓફરને નકારી દીધી છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ખેડૂતો 1200 ટ્રેક્ટર, 300 ગાડીઓ તેમજ 10 મિની બસોને લઈ દિલ્હી તરફ આગળ વધ્યા છે. અંદાજીત 14 હજાર જેટલા લોકો પંજાબ હરિયાણા સીમા પર બેઠેલા છે આંદોલન કરવા. એવી માહિતી સામે આવી છે કે સરકાર દ્વારા વાતચીત કરવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ખેડૂતો પર ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવી રહ્યા છે.

  

અનેક વખત ખેડૂત નેતા અને સરકાર વચ્ચે થઈ છે બેઠક!

જગતના તાત ફરી એક વખત રસ્તા પર આંદોલન કરવા માટે ઉતર્યા છે. પોતાની માગને લઈ ખેડૂતોએ સરકાર સામે બાંયો ચઢાવી છે. સંસદને ઘેરવા માટે પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂતોને રોકવા માટે સુરક્ષા બળ તૈનાત કરવામાં આવ્યા છે. મોટા મોટા ખિલ્લાઓ, બેરિકેટ મૂકી દેવામાં આવ્યા છે જેને જોતા એવું લાગે કે આ રાજ્યની બોર્ડર નહીં પરંતુ કોઈ આંતરરાષ્ટ્રીય બોર્ડર હોય. સરકાર અને ખેડૂતો વચ્ચે અનેક વખત ચર્ચાઓ થઈ પરંતુ તે ચર્ચાઓનું કોઈ પરિણામ આવ્યું ન હતું. 


દિલ્હી તરફ ખેડૂતો કરી રહ્યા છે કૂચ 

સરકારે ચાર પાકો પર એમએસપી આપવાની તૈયારી બતાવી. સરકાર દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવ અંગે ખેડૂતોએ ચર્ચા કરવાનો નિર્ણય કર્યો હતો, ચર્ચા બાદ આંદોલન સમેટવું કે નહીં તે અંગેનો નિર્ણય ખેડૂતો દ્વારા કરવામાં આવવાનો હતો પરંતુ ખેડૂતોએ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો અને જાહેરાત કરી હતી કે 21 ફેબ્રુઆરીથી ખેડૂતો ફરી એક વખત દિલ્હી તરફ કૂચ કરશે. આજે ફરીથી ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાનું શરૂ કરી દીધું છે.       



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .