Farmer Protest : ખેડૂતોએ શરૂ કર્યું દિલ્હી તરફ કૂચ કરવાનું, બોર્ડર પર સ્થિતિ તણાવપૂર્ણ. પોલીસ અને ખેડૂતો વચ્ચે થઈ શકે છે ઘર્ષણ!


  • Published By :
  • Published Date : 2024-02-21 15:27:07

પંજાબ હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂત લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. બે દિવસ માટે ખેડૂતોએ કૂચને રોકી દીધી હતી ત્યારે આજે ફરી એક વખત દિલ્હી તરફ ખેડૂતો આગળ વધી રહ્યા છે. બોર્ડર પર ખેડૂતોની તૈયારી જોવા મળી રહી છે. શંભુ બોર્ડર પર કિસાનોનો જમાવડો છે. ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. સરકાર અને ખેડૂતો વચ્ચે અનેક વખત બેઠકો થઈ પરંતુ તેનું પરિણામ કંઈ ના આવ્યું. રવિવારે થયેલી બેઠક બાદ એવું માનવામાં આવતું હતું કે ખેડૂતો આંદોલન સમેટી લેશે. પરંતુ ખેડૂતોએ સરકારે આપેલી ઓફરને નકારી દીધી છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ખેડૂતો 1200 ટ્રેક્ટર, 300 ગાડીઓ તેમજ 10 મિની બસોને લઈ દિલ્હી તરફ આગળ વધ્યા છે. અંદાજીત 14 હજાર જેટલા લોકો પંજાબ હરિયાણા સીમા પર બેઠેલા છે આંદોલન કરવા. એવી માહિતી સામે આવી છે કે સરકાર દ્વારા વાતચીત કરવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ખેડૂતો પર ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવી રહ્યા છે.

  

અનેક વખત ખેડૂત નેતા અને સરકાર વચ્ચે થઈ છે બેઠક!

જગતના તાત ફરી એક વખત રસ્તા પર આંદોલન કરવા માટે ઉતર્યા છે. પોતાની માગને લઈ ખેડૂતોએ સરકાર સામે બાંયો ચઢાવી છે. સંસદને ઘેરવા માટે પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂતોને રોકવા માટે સુરક્ષા બળ તૈનાત કરવામાં આવ્યા છે. મોટા મોટા ખિલ્લાઓ, બેરિકેટ મૂકી દેવામાં આવ્યા છે જેને જોતા એવું લાગે કે આ રાજ્યની બોર્ડર નહીં પરંતુ કોઈ આંતરરાષ્ટ્રીય બોર્ડર હોય. સરકાર અને ખેડૂતો વચ્ચે અનેક વખત ચર્ચાઓ થઈ પરંતુ તે ચર્ચાઓનું કોઈ પરિણામ આવ્યું ન હતું. 


દિલ્હી તરફ ખેડૂતો કરી રહ્યા છે કૂચ 

સરકારે ચાર પાકો પર એમએસપી આપવાની તૈયારી બતાવી. સરકાર દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવ અંગે ખેડૂતોએ ચર્ચા કરવાનો નિર્ણય કર્યો હતો, ચર્ચા બાદ આંદોલન સમેટવું કે નહીં તે અંગેનો નિર્ણય ખેડૂતો દ્વારા કરવામાં આવવાનો હતો પરંતુ ખેડૂતોએ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો અને જાહેરાત કરી હતી કે 21 ફેબ્રુઆરીથી ખેડૂતો ફરી એક વખત દિલ્હી તરફ કૂચ કરશે. આજે ફરીથી ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાનું શરૂ કરી દીધું છે.       



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.