Farmer Protest : પોતાની માગોને લઈ ખેડૂતો ફરી કરશે દિલ્હી તરફ કૂચ, જાણો કઈ રણનીતિ સાથે ખેડૂતો વધી રહ્યા છે આગળ?


  • Published By :
  • Published Date : 2024-03-06 15:51:51

થોડા સમયથી કિસાન આંદોલન ચાલી રહ્યું હતું. દિલ્હી તરફ કૂચ ખેડૂતો કરી રહ્યા હતા. ખેડૂતો દિલ્હી સુધી ના પહોંચે તે માટે સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવી હતી. ખેડૂતોને રોકવા માટે ખીલ્લાઓ, બેરિકેટ મૂકી દેવામાં આવ્યું હતું. બોર્ડર પર ખેડૂતો અને સુરક્ષાબળો વચ્ચે અનેક વખત ઘર્ષણ સર્જાયું હતું. થોડા દિવસો માટે આ આંદોલનને રોકી દેવામાં આવી પરંતુ ફરી એક વખત ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાનું એલાન કરી દીધું છે. મોટાભાગની સીમાઓ પર જબરદસ્ત પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.      

ખેડૂતો કરી રહ્યા છે દિલ્હી તરફ કૂચ!

પોતાની માગ સાથે ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા. પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા હતા અને ખેડૂતો રાજધાની સુધી ના પહોંચે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી સુરક્ષાબળો દ્વારા. આજે ૬ માર્ચ છે ત્યારે ખેડૂતોએ દિલ્હી કૂચનું એલાન કરી દીધું છે. ત્યારે દિલ્હી રાજ્યની મોટાભાગની સીમાઓ પર જબરદસ્ત રીતે પોલીસ કાફલો વધારી દેવાયો છે. આગળના કાર્યક્રમની ઘોષણા પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. ખેડૂતોએ પાછલા દિવસોમાં એવી ઘોષણા કરી હતી કે , ૬ માર્ચે ખેડૂતો દિલ્હી માર્ચ કરશે , ૧૦ માર્ચે  રેલવે રોકશે , ૧૪ માર્ચે  મહાપંચાયત કરશે .


આવનાર થોડા દિવસોમાં કિસાન આંદોલનને લઈ ચિત્ર થશે સ્પષ્ટ 

પોલીસ તરફથી પણ દિલ્હી કૂચને લઈ નિવેદન આપવામાં આવ્યું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલ્હી રાજ્યની સીમાઓ પર સુરક્ષા વધારાઈ દેવાઈ છે. કોઈ પણ સીમા બંધ નથી કરાઈ પરંતુ વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરાશે . તો બીજી તરફ કિસાન નેતા પંધેરે કહ્યું છે કે , ભારતના દૂર દૂરના વિસ્તારોમાંથી આવનારા ખેડૂતો આજે દિલ્હી નહીં પહોંચી શકે કારણ કે તેઓ મધ્યપ્રદેશ,બિહાર અને દક્ષિણ ભારતના ખેડૂતો રસ્તા દ્વારા અને ટ્રેન થકી આવશે . એટલે તેમને પહોંચવામાં ૨ થી ૩ દિવસ લાગી શકે છે . આવનારા ૧૦ દિવસમાં પરિસ્થિતિ વધુ સ્પષ્ટ બનશે . આ તરફ દિલ્હી પોલીસે જાહેર જનતાને કીધું છે કે , તિકરી , સિંધુ અને ગાઝીપુર સરહદે ટ્રાફિક જામ માટે તૈયાર રહે. આ બાજુ સિંધુ અને તિકરી બોર્ડરે યાત્રીઓ માટે અસ્થાયી રૂપે બેરિકેટ હટાવી દેવાયા છે , પણ આ સરહદે અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે .



સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે અનેક વખત થયો વાર્તાલાપ!

આ બાજુ કિસાન નેતા જગજીત સિંહે કહ્યું છે કે અમે દિલ્હી કૂચ કરવાનો નિર્ધાર કરી ચુક્યા છે , હવે અમે પાછળ નહીં હઠીએ. દિલ્હીની સીમાઓ પર અમે અમારી તાકાત વધારી રહ્યા છે , બધા ખેડૂતો ટ્રેન અને રસ્તાના માર્ગે ખેડૂતો આવશે. તમને જણાવી દઈએ કે ખેડૂતો અને સરકાર વચ્ચે પાંચમી વાર વાર્તાલાપ ફેઈલ થઈ ચૂક્યો છે . આજે ફરી ખેડૂતો દિલ્હી આવવાની કોશિશ કરશે , પણ સુરક્ષા કર્મીઓ તેમને ઘુસવા નહીં દે. આ તરફ રાજધાની દિલ્હીમાં ગઈકાલે ઘણી જગ્યાએ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. 


જ્યારે સામાન્ય માણસને મુશ્કેલી પડે છે ત્યારે ખેડૂતો માટે આવે છે ખરાબ વિચાર!

ખેડૂતોને રોકવા માટે જ્યારે બેરિકેટ મૂકવામાં આવે છે, ખીલ્લા મૂકવામાં આવે છે. ત્યારે સામાન્ય માણસને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે. આવી પરિસ્થિતિ જ્યારે સર્જાય છે ત્યારે સામાન્ય માણસ એ ખેડૂતો માટે ખરાબ બોલે છે જે તેમના સુધી અન્ન પહોંચાડે છે. ખેતરમાં ખેડૂતો મજૂરી કરે છે ત્યારે અનાજ આપણા ઘર સુધી પહોંચે છે અને આપણે જમી શકીએ છીએ. જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે ખેડૂતોને લઈ આપણે ખરાબ વિચારીએ છીએ ત્યારે આપણે પોતાને એમની જગ્યા પર રાખીને જોવા જોઈએ. જો આપણી સાથે આવું થાય તો આપણે શું કરવાના? ત્યારે જોવું રહ્યું કે ખેડૂત આંદોલનમાં આગળ શું થાય છે?   



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.