Farmer Protest : પોતાની માગોને લઈ ખેડૂતો ફરી કરશે દિલ્હી તરફ કૂચ, જાણો કઈ રણનીતિ સાથે ખેડૂતો વધી રહ્યા છે આગળ?


  • Published By :
  • Published Date : 2024-03-06 15:51:51

થોડા સમયથી કિસાન આંદોલન ચાલી રહ્યું હતું. દિલ્હી તરફ કૂચ ખેડૂતો કરી રહ્યા હતા. ખેડૂતો દિલ્હી સુધી ના પહોંચે તે માટે સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવી હતી. ખેડૂતોને રોકવા માટે ખીલ્લાઓ, બેરિકેટ મૂકી દેવામાં આવ્યું હતું. બોર્ડર પર ખેડૂતો અને સુરક્ષાબળો વચ્ચે અનેક વખત ઘર્ષણ સર્જાયું હતું. થોડા દિવસો માટે આ આંદોલનને રોકી દેવામાં આવી પરંતુ ફરી એક વખત ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાનું એલાન કરી દીધું છે. મોટાભાગની સીમાઓ પર જબરદસ્ત પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.      

ખેડૂતો કરી રહ્યા છે દિલ્હી તરફ કૂચ!

પોતાની માગ સાથે ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા. પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા હતા અને ખેડૂતો રાજધાની સુધી ના પહોંચે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી સુરક્ષાબળો દ્વારા. આજે ૬ માર્ચ છે ત્યારે ખેડૂતોએ દિલ્હી કૂચનું એલાન કરી દીધું છે. ત્યારે દિલ્હી રાજ્યની મોટાભાગની સીમાઓ પર જબરદસ્ત રીતે પોલીસ કાફલો વધારી દેવાયો છે. આગળના કાર્યક્રમની ઘોષણા પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. ખેડૂતોએ પાછલા દિવસોમાં એવી ઘોષણા કરી હતી કે , ૬ માર્ચે ખેડૂતો દિલ્હી માર્ચ કરશે , ૧૦ માર્ચે  રેલવે રોકશે , ૧૪ માર્ચે  મહાપંચાયત કરશે .


આવનાર થોડા દિવસોમાં કિસાન આંદોલનને લઈ ચિત્ર થશે સ્પષ્ટ 

પોલીસ તરફથી પણ દિલ્હી કૂચને લઈ નિવેદન આપવામાં આવ્યું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલ્હી રાજ્યની સીમાઓ પર સુરક્ષા વધારાઈ દેવાઈ છે. કોઈ પણ સીમા બંધ નથી કરાઈ પરંતુ વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરાશે . તો બીજી તરફ કિસાન નેતા પંધેરે કહ્યું છે કે , ભારતના દૂર દૂરના વિસ્તારોમાંથી આવનારા ખેડૂતો આજે દિલ્હી નહીં પહોંચી શકે કારણ કે તેઓ મધ્યપ્રદેશ,બિહાર અને દક્ષિણ ભારતના ખેડૂતો રસ્તા દ્વારા અને ટ્રેન થકી આવશે . એટલે તેમને પહોંચવામાં ૨ થી ૩ દિવસ લાગી શકે છે . આવનારા ૧૦ દિવસમાં પરિસ્થિતિ વધુ સ્પષ્ટ બનશે . આ તરફ દિલ્હી પોલીસે જાહેર જનતાને કીધું છે કે , તિકરી , સિંધુ અને ગાઝીપુર સરહદે ટ્રાફિક જામ માટે તૈયાર રહે. આ બાજુ સિંધુ અને તિકરી બોર્ડરે યાત્રીઓ માટે અસ્થાયી રૂપે બેરિકેટ હટાવી દેવાયા છે , પણ આ સરહદે અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે .



સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે અનેક વખત થયો વાર્તાલાપ!

આ બાજુ કિસાન નેતા જગજીત સિંહે કહ્યું છે કે અમે દિલ્હી કૂચ કરવાનો નિર્ધાર કરી ચુક્યા છે , હવે અમે પાછળ નહીં હઠીએ. દિલ્હીની સીમાઓ પર અમે અમારી તાકાત વધારી રહ્યા છે , બધા ખેડૂતો ટ્રેન અને રસ્તાના માર્ગે ખેડૂતો આવશે. તમને જણાવી દઈએ કે ખેડૂતો અને સરકાર વચ્ચે પાંચમી વાર વાર્તાલાપ ફેઈલ થઈ ચૂક્યો છે . આજે ફરી ખેડૂતો દિલ્હી આવવાની કોશિશ કરશે , પણ સુરક્ષા કર્મીઓ તેમને ઘુસવા નહીં દે. આ તરફ રાજધાની દિલ્હીમાં ગઈકાલે ઘણી જગ્યાએ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. 


જ્યારે સામાન્ય માણસને મુશ્કેલી પડે છે ત્યારે ખેડૂતો માટે આવે છે ખરાબ વિચાર!

ખેડૂતોને રોકવા માટે જ્યારે બેરિકેટ મૂકવામાં આવે છે, ખીલ્લા મૂકવામાં આવે છે. ત્યારે સામાન્ય માણસને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે. આવી પરિસ્થિતિ જ્યારે સર્જાય છે ત્યારે સામાન્ય માણસ એ ખેડૂતો માટે ખરાબ બોલે છે જે તેમના સુધી અન્ન પહોંચાડે છે. ખેતરમાં ખેડૂતો મજૂરી કરે છે ત્યારે અનાજ આપણા ઘર સુધી પહોંચે છે અને આપણે જમી શકીએ છીએ. જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે ખેડૂતોને લઈ આપણે ખરાબ વિચારીએ છીએ ત્યારે આપણે પોતાને એમની જગ્યા પર રાખીને જોવા જોઈએ. જો આપણી સાથે આવું થાય તો આપણે શું કરવાના? ત્યારે જોવું રહ્યું કે ખેડૂત આંદોલનમાં આગળ શું થાય છે?   



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.