Farmer Protest: 'દિલ્હી ચલો'ની જાહેરાત બાદ પોલીસ એલર્ટ, બોર્ડરો કરાઈ સીલ, ખેડૂતો આર-પારની લડાઈ લડવાના મૂડમાં!


  • Published By :
  • Published Date : 2024-02-13 10:46:24

જગતના તાત ફરી એક વખત લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. પોતાની માગ સાથે ખેડૂતો અડગ છે. 16 ફેબ્રુઆરીએ ખેડૂતોએ ભારત બંધનું એલાન કર્યું છે. દિલ્હી તરફ કૂચ ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખી પોલીસ એક્ટિવ થઈ ગઈ છે. બોર્ડરો સીલ કરવામાં આવી છે. બેરિકેટ લગાવવામાં આવ્યા છે અને પોલીસ તૈનાત છે. સોમવારે ખેડૂત આગેવાનો વચ્ચે અને કેન્દ્ર સરકારના મંત્રીઓ વચ્ચે વાતચીત થઈ પરંતુ તે નિષ્ફળ સાબિત થઈ છે. બેઠક નિષ્ફળ સાબિત થતા ખેડૂતો પોતાની કૂચને આગળ વધારી રહ્યા છે. લગભગ પાંચ કલાક સુધી આ બેઠક ચાલી હતી પરંતુ ખેડૂતો જે માગને લઈ આંદોલન કરી રહ્યા છે તેની પર વાતચીત થઈ ન હતી.

ખેડૂતોની જાહેરાત બાદ પોલીસ એલર્ટ 

પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાની તૈયારીઓ ખેડૂતો કરી રહ્યા છે. પોતાની માગ સંતોષાય તે માટે સરકારને ઘેરવાનો પ્રયાસ ખેડૂતો કરી રહ્યા છે. રસ્તાઓ પર ખેડૂતો આવી ગયા છે. પંજાબ તેમજ હરિયાણાથી ખેડૂતો દિલ્હી તરફ આવી રહ્યા છે. ખેડૂતોના દિલ્હી કૂચની જાહેરાત બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. 



અનેક બોર્ડરો કરાઈ સીલ 

દિલ્હીની તમામ બોર્ડર સીલ કરવામાં આવી છે. ન માત્ર સીલ કરવામાં આવી છે પરંતુ ત્યાં મોટા મોટા બેરિકેટ મૂકી દેવાયા છે. ખિલ્લાઓ લગાવી દેવામાં આવ્યા છે. એક તરફ પોલીસ છે તો બીજી તરફ ખેડૂતો પણ તમામ તૈયારીઓ કરીને આવ્યા હોય તેવું લાગે છે. ભોજન પાણીની વ્યવસ્થા કરીને ખેડૂતો ટ્રેક્ટરો લઈને આવ્યા છે. ગાઝીપૂરા બોર્ડર હોય કે પછી સિંધુ બોર્ડર હોય, શંભુ બોર્ડર હોય કે ટિકરી બોર્ડર હોય તેને સિલ કરી દેવામાં આવી છે. ધારા 144 લાગુ કરવામાં આવી છે. 




દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.