Farmer Protest: 'દિલ્હી ચલો'ની જાહેરાત બાદ પોલીસ એલર્ટ, બોર્ડરો કરાઈ સીલ, ખેડૂતો આર-પારની લડાઈ લડવાના મૂડમાં!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-13 10:46:24

જગતના તાત ફરી એક વખત લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. પોતાની માગ સાથે ખેડૂતો અડગ છે. 16 ફેબ્રુઆરીએ ખેડૂતોએ ભારત બંધનું એલાન કર્યું છે. દિલ્હી તરફ કૂચ ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખી પોલીસ એક્ટિવ થઈ ગઈ છે. બોર્ડરો સીલ કરવામાં આવી છે. બેરિકેટ લગાવવામાં આવ્યા છે અને પોલીસ તૈનાત છે. સોમવારે ખેડૂત આગેવાનો વચ્ચે અને કેન્દ્ર સરકારના મંત્રીઓ વચ્ચે વાતચીત થઈ પરંતુ તે નિષ્ફળ સાબિત થઈ છે. બેઠક નિષ્ફળ સાબિત થતા ખેડૂતો પોતાની કૂચને આગળ વધારી રહ્યા છે. લગભગ પાંચ કલાક સુધી આ બેઠક ચાલી હતી પરંતુ ખેડૂતો જે માગને લઈ આંદોલન કરી રહ્યા છે તેની પર વાતચીત થઈ ન હતી.

ખેડૂતોની જાહેરાત બાદ પોલીસ એલર્ટ 

પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાની તૈયારીઓ ખેડૂતો કરી રહ્યા છે. પોતાની માગ સંતોષાય તે માટે સરકારને ઘેરવાનો પ્રયાસ ખેડૂતો કરી રહ્યા છે. રસ્તાઓ પર ખેડૂતો આવી ગયા છે. પંજાબ તેમજ હરિયાણાથી ખેડૂતો દિલ્હી તરફ આવી રહ્યા છે. ખેડૂતોના દિલ્હી કૂચની જાહેરાત બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. 



અનેક બોર્ડરો કરાઈ સીલ 

દિલ્હીની તમામ બોર્ડર સીલ કરવામાં આવી છે. ન માત્ર સીલ કરવામાં આવી છે પરંતુ ત્યાં મોટા મોટા બેરિકેટ મૂકી દેવાયા છે. ખિલ્લાઓ લગાવી દેવામાં આવ્યા છે. એક તરફ પોલીસ છે તો બીજી તરફ ખેડૂતો પણ તમામ તૈયારીઓ કરીને આવ્યા હોય તેવું લાગે છે. ભોજન પાણીની વ્યવસ્થા કરીને ખેડૂતો ટ્રેક્ટરો લઈને આવ્યા છે. ગાઝીપૂરા બોર્ડર હોય કે પછી સિંધુ બોર્ડર હોય, શંભુ બોર્ડર હોય કે ટિકરી બોર્ડર હોય તેને સિલ કરી દેવામાં આવી છે. ધારા 144 લાગુ કરવામાં આવી છે. 




ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.