Farmer Protest: 'દિલ્હી ચલો'ની જાહેરાત બાદ પોલીસ એલર્ટ, બોર્ડરો કરાઈ સીલ, ખેડૂતો આર-પારની લડાઈ લડવાના મૂડમાં!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-13 10:46:24

જગતના તાત ફરી એક વખત લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. પોતાની માગ સાથે ખેડૂતો અડગ છે. 16 ફેબ્રુઆરીએ ખેડૂતોએ ભારત બંધનું એલાન કર્યું છે. દિલ્હી તરફ કૂચ ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખી પોલીસ એક્ટિવ થઈ ગઈ છે. બોર્ડરો સીલ કરવામાં આવી છે. બેરિકેટ લગાવવામાં આવ્યા છે અને પોલીસ તૈનાત છે. સોમવારે ખેડૂત આગેવાનો વચ્ચે અને કેન્દ્ર સરકારના મંત્રીઓ વચ્ચે વાતચીત થઈ પરંતુ તે નિષ્ફળ સાબિત થઈ છે. બેઠક નિષ્ફળ સાબિત થતા ખેડૂતો પોતાની કૂચને આગળ વધારી રહ્યા છે. લગભગ પાંચ કલાક સુધી આ બેઠક ચાલી હતી પરંતુ ખેડૂતો જે માગને લઈ આંદોલન કરી રહ્યા છે તેની પર વાતચીત થઈ ન હતી.

ખેડૂતોની જાહેરાત બાદ પોલીસ એલર્ટ 

પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાની તૈયારીઓ ખેડૂતો કરી રહ્યા છે. પોતાની માગ સંતોષાય તે માટે સરકારને ઘેરવાનો પ્રયાસ ખેડૂતો કરી રહ્યા છે. રસ્તાઓ પર ખેડૂતો આવી ગયા છે. પંજાબ તેમજ હરિયાણાથી ખેડૂતો દિલ્હી તરફ આવી રહ્યા છે. ખેડૂતોના દિલ્હી કૂચની જાહેરાત બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. 



અનેક બોર્ડરો કરાઈ સીલ 

દિલ્હીની તમામ બોર્ડર સીલ કરવામાં આવી છે. ન માત્ર સીલ કરવામાં આવી છે પરંતુ ત્યાં મોટા મોટા બેરિકેટ મૂકી દેવાયા છે. ખિલ્લાઓ લગાવી દેવામાં આવ્યા છે. એક તરફ પોલીસ છે તો બીજી તરફ ખેડૂતો પણ તમામ તૈયારીઓ કરીને આવ્યા હોય તેવું લાગે છે. ભોજન પાણીની વ્યવસ્થા કરીને ખેડૂતો ટ્રેક્ટરો લઈને આવ્યા છે. ગાઝીપૂરા બોર્ડર હોય કે પછી સિંધુ બોર્ડર હોય, શંભુ બોર્ડર હોય કે ટિકરી બોર્ડર હોય તેને સિલ કરી દેવામાં આવી છે. ધારા 144 લાગુ કરવામાં આવી છે. 




રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..