Farmer Protest : ખેડૂતો પર શંભુ બોર્ડર નજીક છોડાયા ટીયર ગેસના સેલ, રાજકીય પાર્ટીઓએ આંદોલનને લઈ કહી આ વાત... જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-13 13:21:19

થોડા વર્ષો પહેલા કિસાન આંદોલન થયું હતું. ત્યારે ફરી એક વખત કિસાન આંદોલન ચાલી રહ્યું છે. પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ જવા કૂચ કરી રહ્યા છે. દિલ્હી ચલો અભિયાન જાણે ખેડૂતોએ ચાલું કરી દીધું હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતોની જાહેરાત બાદ પોલીસ એક્ટિવ થઈ ગઈ છે. બોર્ડરોને સીલ કરવામાં આવી રહી છે. ખેડૂતો પર ટિયર ગેસ છોડવામાં આવી રહ્યા છે. બેરિકેટ અને મોટા મોટા ખિલ્લાઓ મૂકી દેવામાં આવ્યા છે. શંભુ બોર્ડર પર ખેડૂતો દ્વારા બેરિકેટ તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસે ડ્રોનથી ખેડૂતો પર ટીયર ગેસ છોડ્યા છે.

ખેડૂતો પર છોડવામાં આવ્યા ટીયર ગેસના સેલ!

જગતના તાત ફરી એક વખત રસ્તા પર ઉતર્યા છે. એમએસપીને લઈ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. સરકારના મંત્રીઓ અને ખેડૂત આગેવાનો વચ્ચે બેઠકો યોજાઈ હતી સોમવારે પરંતુ અનેક કલાકો સુધી ચાલેલી બેઠકો નિષ્ફળ સાબિત થઈ. પંજાબ તેમજ હરિયાણાથી ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે .મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા છે. ખેડૂતોને રોકવા માટે પોલીસનો કાફલો ઉતારી દેવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થાને વધારાઈ દેવાઈ હોય. રાજ્યોની બોર્ડરોને એવી રીતે સિલ કરવામાં આવી છે જાણે કોઈ આંતરરાષ્ટ્રીય બોર્ડર હોય!


રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવી ખેડૂત આંદોલનને લઈ ટ્વિટ!

ખેડૂતો અને સુરક્ષા બળો વચ્ચે ઘર્ષણ થઈ શકે તેવું લાગી રહ્યું હતું. ખેડૂતો ટ્રેક્ટર અને ટ્રક લઈ આગળ વધી રહ્યા છે તો બીજી તરફ પોલીસ દ્વારા ખેડૂતોને રોકવા માટે ટિયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહી પર કોંગ્રેસ, આમ આદમી પાર્ટી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. અનેક વીડિયો રાજકીય પાર્ટીઓ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યા છે જેમાં ભાજપ પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા પણ આને લઈ ટ્વિટ કરવામાં આવી છે. તે સિવાય આપના ઓફિશિયલX એકાઉન્ટ પરથી ટ્વિટ કરવામાં આવ્યું છે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.