Farmer Protest : ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે આજે બેઠક, ખેડૂત નેતાએ બેઠક પહેલા નિવેદન આપતા કહ્યું અવાજ સાંભળવો પડશે....


  • Published By :
  • Published Date : 2024-02-15 09:53:45

પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. પોતાની માગ સાથે ખેડૂતો પ્રદર્શન કરવા માટે રસ્તા પર ઉતર્યા છે. દિલ્હી સુધી ખેડૂતો ના પહોંચી શકે તે માટે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. બોર્ડરો પર એવી વ્યવસ્થા કરવામાં આવી છે જાણે કે એ બોર્ડર આંતરરાષ્ટ્રીય બોર્ડર હોય. શંભુ બોર્ડર પર ખેડૂતોને રોકવા માટે ડ્રોનના માધ્યમથી ટીયર ગેસ છોડવામાં આવી રહ્યા છે. ટીયર ગેસના સેલની અસર ના થાય તે માટે ખેડૂતો પણ સજ્જ થઈને આવ્યા છે. ડ્રોનને કાબુમાં રાખવા માટે ખેડૂતોએ પતંગ ચગાવી હતી. રસ્તા પર ખેડૂતો પતંગ  ચગાવી રહ્યા હતા ઉપરાંત પાણીથી ભરેલા ટ્રેક/ટેન્કર પણ ખેડૂતો લઈને આવ્યા છે. મહત્વનું છે કે આજે ખેડૂત આગેવાનો તેમજ કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે બેઠક યોજાવાની છે.

ખેડૂતોએ આપ્યું છે ભારત બંધનું એલાન!

દિલ્હી તરફ હજારો ખેડૂતો કૂચ કરી રહ્યા છે. પોતાની માગ સાથે ખેડૂતો ફરી એક વખત રસ્તા પર આવ્યા છે. ખેડૂતોના કૂચની જાહેરાત બાદ પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી કે ખેડૂતો દિલ્હીમાં પ્રવેશી ના શકે. બોર્ડરો સીલ કરવામાં આવી ગઈ છે. બોર્ડરો પણ મોટા મોટા ખીલ્લાઓ, બેરિકેટ વગેરે વગેરે લગાવી દેવામાં આવ્યા છે જેને કારણે ખેડૂતો દિલ્હી સુધી ના પહોંચી શકે. દિલ્હીને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવ્યા છે. 16 ફેબ્રુઆરીએ ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. એક તરફ ખેડૂતો છે તો બીજી તરફ સુરક્ષાકર્મીઓ છે. ખેડૂતો પર ટીયર ગેસના સેલ, તેમજ રબર બુલેટથી ખેડૂતોને નિશાન બનાવવામાં આવે છે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે. 


આજે કેન્દ્રીય મંત્રી તેમજ ખેડૂત નેતાઓની વચ્ચે થવાની છે બેઠક!  

ખેડૂતો તેમજ કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે થોડા દિવસો પહેલા અનેક કલાકો સુધી બેઠક ચાલી હતી. અનેક કલાકો સુધી ચાલેલી બેઠકમાં કોઈ પરિણામ આવ્યું ન હતું. ઉપરાંત એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે અનેક ખેડૂતોના ટ્વિટર એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા. ઉપરાંત ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. એક તરફ દેશના જવાન છે તો બીજી તરફ દેશના કિસાન છે જે પોતાની વાતને અડગ છે! આજે કેન્દ્રીય મંત્રી તેમજ ખેડૂતો વચ્ચે બેઠક થવાની છે. શંભુ બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોનો આજે ત્રીજો દિવસ છે. એવી માહિતી સામે આવી છે કે ત્રણ કેન્દ્રીય મંત્રીઓ ચર્ચામાં ભાગ લેશે જેમાં કૃષિમંત્રી અર્જુન મુંડા, વાણિજ્ય તેમજ ઉદ્યોહ મંત્રી પિયુષ ગોયેલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય હશે. એવી માહિતી સામે આવી છે કે સરકારે ખેડૂતોની 10 માગોને માની લીછી છે. ત્રણ માગો માટે વાત અટકી છે.


બેઠક બાદ ખેડૂતો તૈયાર કરશે પોતાની રણનીતિ 

ખેડૂતો જે બુલંદીથી પોતાનો અવાજ રજૂ કરી રહ્યા છે એ જોતા સરકાર અને ખેડૂતો વચ્ચે ઘમાસાણ થઈ શકે છે! સરકાર પાસેથી અપેક્ષા છે કે  સંવેદનશીલતા અને સંવાદ બંને કરે. સરકાર ભલે કહી રહી હોય કે સંવાદ કરવામાં આવી રહ્યો છે પરંતુ ગ્રાઉન્ડ પર જે પરિસ્થિતિ છે તે જોતા લાગતું નથી કે જે વાતો કરવામાં આવે છે તે સાચી હોય. આજે ખેડૂતો તેમજ કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે બેઠક થવાની છે તે બાદ ખેડૂતો આગળની રણનીતિ તૈયાર કરશે કે કેવી રીતે આગળ વધવું.. આવી જાણકારી ખેડૂતો દ્વારા આપવામાં આવી છે. 



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.