કપાસ અને ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા રાજ્યના ખેડૂતોમાં ભારોભાર અસંતોષ


  • Published By :
  • Published Date : 2023-01-06 21:49:30

સૌરાષ્ટ્રમાં કપાસ અને ડુંગળીનું મબલખ ઉત્પાદન થતાં ખેડુતોને તેમના ઉત્પાદનનો યોગ્ય ભાવ ન મળતા ભારોભાર રોષ છે. તેમાં પણ સરકારે ચીનમાંથી કપાસની ગાંસડીઓની આયાત કરતા ખેડૂતોએ વિરોધ કર્યો છે. ભાવનગર જિલ્લાના તળાજા અને ભાવનગર માર્કેટયાર્ડ ખાતે કપાસની આવક શરૂ થઈ છે. ખેડૂતો પોતાનો કપાસ વેચવા બજારમાં આવી રહ્યા છે. તેવામાં ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ 1 હજાર 400એ આવી જતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. તે જ પ્રકારે રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક નોંધાઈ પણ ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. ડુંગળીના પ્રતિ મણનો ભાવ 220 રૂપિયા સુધી બોલાયો છે જ્યારે છેલ્લા એક અઠવાડિયામાં પ્રતિ મણના ભાવમાં 80 રૂપિયા ઘટાડો નોંધાયો જેને લઇ ખેડૂતોમાં ભારે અસંતોષ છે.


ચીનથી કપાસની આયાતથી ખેડૂતોને નુકસાન


ભાવનગર અને  તળાજા યાર્ડમાં અત્યાર સુધીની સીઝનમાં સૌથી ઊંચા ભાવે કપાસનું વેચાણ થતું હતું અને આ વર્ષે કપાસના ભાવ 2000થી 2200 સુધી પહોંચ્યા હતા. ચૂંટણી પહેલા ખેડૂતોને કપાસના સારા ભાવ મળતા હતા પરંતુ હવે અચાનક જિનિંગ મિલ સંચાલકો દ્વારા અચાનક ઓછા ભાવે ખરીદી કરવાનો નિર્ણય અને સરકાર દ્વારા ચીનથી કપાસની ગાંસડીઓની આયાત શરૂ કરતા ખેડૂતોને સ્થાનિક કક્ષાએ ભાવ ન મળતા નથી ઉગ્ર આક્રોશ છે.ગુજરાત અને દેશમાં કપાસનું ઉત્પાદન થતા સરકારે ચીનથી કપાસની આયાત સરું કરતા સ્થાનિક કક્ષાએ ભાવ તળિયે બેસી ગયા છે તેમ ખેડૂત આગેવાનો કહી રહ્યાં છે 


ડુંગળીના ખેડુતોને રડવાનો વારો આવ્યો


કપાસ બાદ ડુંગળીના ભાવમાં પણ ઘટાડો થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો પ્રતિ મણનો ભાવ 220 રૂપિયા સુધી બોલાયો છે. માત્ર એક અઠવાડિયામાં પ્રતિ મણના ભાવમાં 80 રૂપિયા ઘટાડો નોંધાયો છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.