કપાસ અને ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા રાજ્યના ખેડૂતોમાં ભારોભાર અસંતોષ


  • Published By :
  • Published Date : 2023-01-06 21:49:30

સૌરાષ્ટ્રમાં કપાસ અને ડુંગળીનું મબલખ ઉત્પાદન થતાં ખેડુતોને તેમના ઉત્પાદનનો યોગ્ય ભાવ ન મળતા ભારોભાર રોષ છે. તેમાં પણ સરકારે ચીનમાંથી કપાસની ગાંસડીઓની આયાત કરતા ખેડૂતોએ વિરોધ કર્યો છે. ભાવનગર જિલ્લાના તળાજા અને ભાવનગર માર્કેટયાર્ડ ખાતે કપાસની આવક શરૂ થઈ છે. ખેડૂતો પોતાનો કપાસ વેચવા બજારમાં આવી રહ્યા છે. તેવામાં ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ 1 હજાર 400એ આવી જતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. તે જ પ્રકારે રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક નોંધાઈ પણ ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. ડુંગળીના પ્રતિ મણનો ભાવ 220 રૂપિયા સુધી બોલાયો છે જ્યારે છેલ્લા એક અઠવાડિયામાં પ્રતિ મણના ભાવમાં 80 રૂપિયા ઘટાડો નોંધાયો જેને લઇ ખેડૂતોમાં ભારે અસંતોષ છે.


ચીનથી કપાસની આયાતથી ખેડૂતોને નુકસાન


ભાવનગર અને  તળાજા યાર્ડમાં અત્યાર સુધીની સીઝનમાં સૌથી ઊંચા ભાવે કપાસનું વેચાણ થતું હતું અને આ વર્ષે કપાસના ભાવ 2000થી 2200 સુધી પહોંચ્યા હતા. ચૂંટણી પહેલા ખેડૂતોને કપાસના સારા ભાવ મળતા હતા પરંતુ હવે અચાનક જિનિંગ મિલ સંચાલકો દ્વારા અચાનક ઓછા ભાવે ખરીદી કરવાનો નિર્ણય અને સરકાર દ્વારા ચીનથી કપાસની ગાંસડીઓની આયાત શરૂ કરતા ખેડૂતોને સ્થાનિક કક્ષાએ ભાવ ન મળતા નથી ઉગ્ર આક્રોશ છે.ગુજરાત અને દેશમાં કપાસનું ઉત્પાદન થતા સરકારે ચીનથી કપાસની આયાત સરું કરતા સ્થાનિક કક્ષાએ ભાવ તળિયે બેસી ગયા છે તેમ ખેડૂત આગેવાનો કહી રહ્યાં છે 


ડુંગળીના ખેડુતોને રડવાનો વારો આવ્યો


કપાસ બાદ ડુંગળીના ભાવમાં પણ ઘટાડો થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો પ્રતિ મણનો ભાવ 220 રૂપિયા સુધી બોલાયો છે. માત્ર એક અઠવાડિયામાં પ્રતિ મણના ભાવમાં 80 રૂપિયા ઘટાડો નોંધાયો છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.