કપાસ અને ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા રાજ્યના ખેડૂતોમાં ભારોભાર અસંતોષ


  • Published By :
  • Published Date : 2023-01-06 21:49:30

સૌરાષ્ટ્રમાં કપાસ અને ડુંગળીનું મબલખ ઉત્પાદન થતાં ખેડુતોને તેમના ઉત્પાદનનો યોગ્ય ભાવ ન મળતા ભારોભાર રોષ છે. તેમાં પણ સરકારે ચીનમાંથી કપાસની ગાંસડીઓની આયાત કરતા ખેડૂતોએ વિરોધ કર્યો છે. ભાવનગર જિલ્લાના તળાજા અને ભાવનગર માર્કેટયાર્ડ ખાતે કપાસની આવક શરૂ થઈ છે. ખેડૂતો પોતાનો કપાસ વેચવા બજારમાં આવી રહ્યા છે. તેવામાં ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ 1 હજાર 400એ આવી જતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. તે જ પ્રકારે રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક નોંધાઈ પણ ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. ડુંગળીના પ્રતિ મણનો ભાવ 220 રૂપિયા સુધી બોલાયો છે જ્યારે છેલ્લા એક અઠવાડિયામાં પ્રતિ મણના ભાવમાં 80 રૂપિયા ઘટાડો નોંધાયો જેને લઇ ખેડૂતોમાં ભારે અસંતોષ છે.


ચીનથી કપાસની આયાતથી ખેડૂતોને નુકસાન


ભાવનગર અને  તળાજા યાર્ડમાં અત્યાર સુધીની સીઝનમાં સૌથી ઊંચા ભાવે કપાસનું વેચાણ થતું હતું અને આ વર્ષે કપાસના ભાવ 2000થી 2200 સુધી પહોંચ્યા હતા. ચૂંટણી પહેલા ખેડૂતોને કપાસના સારા ભાવ મળતા હતા પરંતુ હવે અચાનક જિનિંગ મિલ સંચાલકો દ્વારા અચાનક ઓછા ભાવે ખરીદી કરવાનો નિર્ણય અને સરકાર દ્વારા ચીનથી કપાસની ગાંસડીઓની આયાત શરૂ કરતા ખેડૂતોને સ્થાનિક કક્ષાએ ભાવ ન મળતા નથી ઉગ્ર આક્રોશ છે.ગુજરાત અને દેશમાં કપાસનું ઉત્પાદન થતા સરકારે ચીનથી કપાસની આયાત સરું કરતા સ્થાનિક કક્ષાએ ભાવ તળિયે બેસી ગયા છે તેમ ખેડૂત આગેવાનો કહી રહ્યાં છે 


ડુંગળીના ખેડુતોને રડવાનો વારો આવ્યો


કપાસ બાદ ડુંગળીના ભાવમાં પણ ઘટાડો થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો પ્રતિ મણનો ભાવ 220 રૂપિયા સુધી બોલાયો છે. માત્ર એક અઠવાડિયામાં પ્રતિ મણના ભાવમાં 80 રૂપિયા ઘટાડો નોંધાયો છે. 




ફૂટબોલ ગેમને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાતમાં જીએસએલનું આયોજન કરવામાં આવ્યું છે. આ લીગમાં 6 ટીમો વચ્ચે મુકાબલો થવાનો છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના આજે પ્રસ્તુત કરવી છે સાહિત્યના સમીપમાં.. આ રચનામાં મેઘાણી સાહેબે બાળકોની વાત કરી છે જમાવા માટે વલખાં મારવા મજબૂર છે..

ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું જે આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે..