કપાસ અને ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા રાજ્યના ખેડૂતોમાં ભારોભાર અસંતોષ


  • Published By :
  • Published Date : 2023-01-06 21:49:30

સૌરાષ્ટ્રમાં કપાસ અને ડુંગળીનું મબલખ ઉત્પાદન થતાં ખેડુતોને તેમના ઉત્પાદનનો યોગ્ય ભાવ ન મળતા ભારોભાર રોષ છે. તેમાં પણ સરકારે ચીનમાંથી કપાસની ગાંસડીઓની આયાત કરતા ખેડૂતોએ વિરોધ કર્યો છે. ભાવનગર જિલ્લાના તળાજા અને ભાવનગર માર્કેટયાર્ડ ખાતે કપાસની આવક શરૂ થઈ છે. ખેડૂતો પોતાનો કપાસ વેચવા બજારમાં આવી રહ્યા છે. તેવામાં ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ 1 હજાર 400એ આવી જતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. તે જ પ્રકારે રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક નોંધાઈ પણ ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. ડુંગળીના પ્રતિ મણનો ભાવ 220 રૂપિયા સુધી બોલાયો છે જ્યારે છેલ્લા એક અઠવાડિયામાં પ્રતિ મણના ભાવમાં 80 રૂપિયા ઘટાડો નોંધાયો જેને લઇ ખેડૂતોમાં ભારે અસંતોષ છે.


ચીનથી કપાસની આયાતથી ખેડૂતોને નુકસાન


ભાવનગર અને  તળાજા યાર્ડમાં અત્યાર સુધીની સીઝનમાં સૌથી ઊંચા ભાવે કપાસનું વેચાણ થતું હતું અને આ વર્ષે કપાસના ભાવ 2000થી 2200 સુધી પહોંચ્યા હતા. ચૂંટણી પહેલા ખેડૂતોને કપાસના સારા ભાવ મળતા હતા પરંતુ હવે અચાનક જિનિંગ મિલ સંચાલકો દ્વારા અચાનક ઓછા ભાવે ખરીદી કરવાનો નિર્ણય અને સરકાર દ્વારા ચીનથી કપાસની ગાંસડીઓની આયાત શરૂ કરતા ખેડૂતોને સ્થાનિક કક્ષાએ ભાવ ન મળતા નથી ઉગ્ર આક્રોશ છે.ગુજરાત અને દેશમાં કપાસનું ઉત્પાદન થતા સરકારે ચીનથી કપાસની આયાત સરું કરતા સ્થાનિક કક્ષાએ ભાવ તળિયે બેસી ગયા છે તેમ ખેડૂત આગેવાનો કહી રહ્યાં છે 


ડુંગળીના ખેડુતોને રડવાનો વારો આવ્યો


કપાસ બાદ ડુંગળીના ભાવમાં પણ ઘટાડો થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો પ્રતિ મણનો ભાવ 220 રૂપિયા સુધી બોલાયો છે. માત્ર એક અઠવાડિયામાં પ્રતિ મણના ભાવમાં 80 રૂપિયા ઘટાડો નોંધાયો છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.