પાડાના વાંકે પખાલીને ડામ!!!! અર્થાત માર્કેટિંગ યાર્ડ સમિતિની ભૂલનો ભોગ બન્યા ખેડૂતોના પાક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 11:47:47

હાલ રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આસોમાં અષાઢી જેવો માહોલ જામ્યો છે. જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પોતાના પાક પર ખેડૂતો સર્વસ્વ લૂંટાવી દેતા હોય છે. પાકનું યોગ્ય વળતર મળે તે માટે માર્કેટિંગ યાર્ડમાં પોતાનો પાક પહોંચાડી દેતા હોય છે. પરંતુ માર્કેટિંગ યાર્ડની લાપરવાહીને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી જતું હોય છે તેવા દ્રશ્યો અનેક વખત આપણી સામે આવતા હોય છે . વરસાદને લઈ હવામાન વિભાગને આગાહી કરી હતી પરંતુ જસદણ માર્કેટિંગ યાર્ડ આગાહીને લઈ ગંભીર ન હતી જેને કારણે યાર્ડમાં પાણી ઘૂસતા મગફળીનો પાક પાણીમાં વહી ગયો હતો. જેને કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.

શું જસદણ માર્કેટિંગ યાર્ડ સુધી નથી પહોંચી વરસાદની આગાહીની ખબર? 

જસદણ માર્કેટિંગ યાર્ડથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં પાણીના પ્રવાહમાં મગફળીનો પાક વહી રહ્યો છે. આવા દ્રશ્યો વર્ષ દરમિયાન અનેક સામે આવતા રહે છે. આ વખતે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ વરસાદની આગાહીને ગંભીરતાથી નથી લેવામાં આવી. મગફળીના પાકને નુકસાન ન પહોંચે તે માટે કોઈ પગલા લેવામાં નથી આવ્યા. 

ખેડૂતોની મહેનત ગઈ પાણીમાં 

પોતાના પાકને બચાવવા ખેડૂત રાત દિવસ મહેનત કરતો હોય છે. ઘણી મહેનત કર્યા બાદ પણ પાક સફળ જશે કે નિષ્ફળ તેની તેને ખબર હોતી નથી. ત્યારે જે પાક સફળ ગયો છે તેની આવી દુર્દશા જોઈને ખેડૂતની કેવી હાય નીકળે. અનેક વખત પાણીમાં ભીંજાઈ જતા પાક બગડી જતો હોય છે. પરંતુ આપણી કમનસીબી એ છે કે આપણે આપણી ભૂલોમાંથી નથી શિખી શક્તા. માર્કેટિંગ યાર્ડની ભૂલને કારણે ખેડૂતોની મહેનત બરબાદ થઈ જાય છે.      



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.