પાડાના વાંકે પખાલીને ડામ!!!! અર્થાત માર્કેટિંગ યાર્ડ સમિતિની ભૂલનો ભોગ બન્યા ખેડૂતોના પાક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 11:47:47

હાલ રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આસોમાં અષાઢી જેવો માહોલ જામ્યો છે. જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પોતાના પાક પર ખેડૂતો સર્વસ્વ લૂંટાવી દેતા હોય છે. પાકનું યોગ્ય વળતર મળે તે માટે માર્કેટિંગ યાર્ડમાં પોતાનો પાક પહોંચાડી દેતા હોય છે. પરંતુ માર્કેટિંગ યાર્ડની લાપરવાહીને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી જતું હોય છે તેવા દ્રશ્યો અનેક વખત આપણી સામે આવતા હોય છે . વરસાદને લઈ હવામાન વિભાગને આગાહી કરી હતી પરંતુ જસદણ માર્કેટિંગ યાર્ડ આગાહીને લઈ ગંભીર ન હતી જેને કારણે યાર્ડમાં પાણી ઘૂસતા મગફળીનો પાક પાણીમાં વહી ગયો હતો. જેને કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.

શું જસદણ માર્કેટિંગ યાર્ડ સુધી નથી પહોંચી વરસાદની આગાહીની ખબર? 

જસદણ માર્કેટિંગ યાર્ડથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં પાણીના પ્રવાહમાં મગફળીનો પાક વહી રહ્યો છે. આવા દ્રશ્યો વર્ષ દરમિયાન અનેક સામે આવતા રહે છે. આ વખતે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ વરસાદની આગાહીને ગંભીરતાથી નથી લેવામાં આવી. મગફળીના પાકને નુકસાન ન પહોંચે તે માટે કોઈ પગલા લેવામાં નથી આવ્યા. 

ખેડૂતોની મહેનત ગઈ પાણીમાં 

પોતાના પાકને બચાવવા ખેડૂત રાત દિવસ મહેનત કરતો હોય છે. ઘણી મહેનત કર્યા બાદ પણ પાક સફળ જશે કે નિષ્ફળ તેની તેને ખબર હોતી નથી. ત્યારે જે પાક સફળ ગયો છે તેની આવી દુર્દશા જોઈને ખેડૂતની કેવી હાય નીકળે. અનેક વખત પાણીમાં ભીંજાઈ જતા પાક બગડી જતો હોય છે. પરંતુ આપણી કમનસીબી એ છે કે આપણે આપણી ભૂલોમાંથી નથી શિખી શક્તા. માર્કેટિંગ યાર્ડની ભૂલને કારણે ખેડૂતોની મહેનત બરબાદ થઈ જાય છે.      



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે