ભર શિયાળે માવઠું થતા ખેડૂતોના પાકને થશે નુકસાન


  • Published By :
  • Published Date : 2022-12-13 11:07:35

રાજ્યમાં એક તરફ શિયાળાની અનુભતી થઈ રહી છે. પરંતુ વેસ્ટન ડિસ્ટર્બન્સ થતા રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. થોડા સમય પહેલા જ હવામાન વિભાગે માવઠાને લઈ આગાહી કરી હતી. કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી સાચી પડી છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો જેવા કે તાપી,ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદના ઝાપટા આવ્યા છે.

Gujarat Under Red Warning for Sunday; After Record August Rains, Subdued  Monsoon Forecast Next Week | The Weather Channel

તાપી, નર્મદા સહિતના વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ

અરબી સમુદ્ર કે બંગાળી ખાડી કોઈ સિસ્ટમ સક્રિય થાય તો તેની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળે છે. પાકિસ્તાનમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. શિયાળાને કારણે તાપમાનનો પારો ગગળી રહ્યો છે. જેને કારણે ઠંડા પવન તેમજ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે કમોસમી વરસાદની એન્ટ્રી થઈ છે. તાપી, ડાંગ, નર્મદા, નવસારી સહિતના વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. કમોસમી વરસાદ વરસ્યો હતો. 


પાક નિષ્ફળ જશે તેવી ખેડૂતોને ચિંતા 

આ સિવાય વલસાડમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. સવારથી વાદળછાયું વાતાવરણ હતું. ઉપરાંત વલસાડના અંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદ થવાને કારણે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતની ચિંતામાં વધારો થયો છે. શાકભાજી સહિતના પાકો નિષ્ફળ જશે તેવી ભીંતિ ખેડૂતો સેવી રહ્યા છે જેને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવો પડી શકે છે. ત      




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.