ભર શિયાળે માવઠું થતા ખેડૂતોના પાકને થશે નુકસાન


  • Published By :
  • Published Date : 2022-12-13 11:07:35

રાજ્યમાં એક તરફ શિયાળાની અનુભતી થઈ રહી છે. પરંતુ વેસ્ટન ડિસ્ટર્બન્સ થતા રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. થોડા સમય પહેલા જ હવામાન વિભાગે માવઠાને લઈ આગાહી કરી હતી. કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી સાચી પડી છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો જેવા કે તાપી,ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદના ઝાપટા આવ્યા છે.

Gujarat Under Red Warning for Sunday; After Record August Rains, Subdued  Monsoon Forecast Next Week | The Weather Channel

તાપી, નર્મદા સહિતના વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ

અરબી સમુદ્ર કે બંગાળી ખાડી કોઈ સિસ્ટમ સક્રિય થાય તો તેની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળે છે. પાકિસ્તાનમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. શિયાળાને કારણે તાપમાનનો પારો ગગળી રહ્યો છે. જેને કારણે ઠંડા પવન તેમજ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે કમોસમી વરસાદની એન્ટ્રી થઈ છે. તાપી, ડાંગ, નર્મદા, નવસારી સહિતના વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. કમોસમી વરસાદ વરસ્યો હતો. 


પાક નિષ્ફળ જશે તેવી ખેડૂતોને ચિંતા 

આ સિવાય વલસાડમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. સવારથી વાદળછાયું વાતાવરણ હતું. ઉપરાંત વલસાડના અંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદ થવાને કારણે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતની ચિંતામાં વધારો થયો છે. શાકભાજી સહિતના પાકો નિષ્ફળ જશે તેવી ભીંતિ ખેડૂતો સેવી રહ્યા છે જેને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવો પડી શકે છે. ત      




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.