ભર શિયાળે માવઠું થતા ખેડૂતોના પાકને થશે નુકસાન


  • Published By :
  • Published Date : 2022-12-13 11:07:35

રાજ્યમાં એક તરફ શિયાળાની અનુભતી થઈ રહી છે. પરંતુ વેસ્ટન ડિસ્ટર્બન્સ થતા રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. થોડા સમય પહેલા જ હવામાન વિભાગે માવઠાને લઈ આગાહી કરી હતી. કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી સાચી પડી છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો જેવા કે તાપી,ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદના ઝાપટા આવ્યા છે.

Gujarat Under Red Warning for Sunday; After Record August Rains, Subdued  Monsoon Forecast Next Week | The Weather Channel

તાપી, નર્મદા સહિતના વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ

અરબી સમુદ્ર કે બંગાળી ખાડી કોઈ સિસ્ટમ સક્રિય થાય તો તેની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળે છે. પાકિસ્તાનમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. શિયાળાને કારણે તાપમાનનો પારો ગગળી રહ્યો છે. જેને કારણે ઠંડા પવન તેમજ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે કમોસમી વરસાદની એન્ટ્રી થઈ છે. તાપી, ડાંગ, નર્મદા, નવસારી સહિતના વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. કમોસમી વરસાદ વરસ્યો હતો. 


પાક નિષ્ફળ જશે તેવી ખેડૂતોને ચિંતા 

આ સિવાય વલસાડમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. સવારથી વાદળછાયું વાતાવરણ હતું. ઉપરાંત વલસાડના અંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદ થવાને કારણે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતની ચિંતામાં વધારો થયો છે. શાકભાજી સહિતના પાકો નિષ્ફળ જશે તેવી ભીંતિ ખેડૂતો સેવી રહ્યા છે જેને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવો પડી શકે છે. ત      




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.