ભર શિયાળે માવઠું થતા ખેડૂતોના પાકને થશે નુકસાન


  • Published By :
  • Published Date : 2022-12-13 11:07:35

રાજ્યમાં એક તરફ શિયાળાની અનુભતી થઈ રહી છે. પરંતુ વેસ્ટન ડિસ્ટર્બન્સ થતા રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. થોડા સમય પહેલા જ હવામાન વિભાગે માવઠાને લઈ આગાહી કરી હતી. કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી સાચી પડી છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો જેવા કે તાપી,ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદના ઝાપટા આવ્યા છે.

Gujarat Under Red Warning for Sunday; After Record August Rains, Subdued  Monsoon Forecast Next Week | The Weather Channel

તાપી, નર્મદા સહિતના વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ

અરબી સમુદ્ર કે બંગાળી ખાડી કોઈ સિસ્ટમ સક્રિય થાય તો તેની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળે છે. પાકિસ્તાનમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. શિયાળાને કારણે તાપમાનનો પારો ગગળી રહ્યો છે. જેને કારણે ઠંડા પવન તેમજ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે કમોસમી વરસાદની એન્ટ્રી થઈ છે. તાપી, ડાંગ, નર્મદા, નવસારી સહિતના વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. કમોસમી વરસાદ વરસ્યો હતો. 


પાક નિષ્ફળ જશે તેવી ખેડૂતોને ચિંતા 

આ સિવાય વલસાડમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. સવારથી વાદળછાયું વાતાવરણ હતું. ઉપરાંત વલસાડના અંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદ થવાને કારણે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતની ચિંતામાં વધારો થયો છે. શાકભાજી સહિતના પાકો નિષ્ફળ જશે તેવી ભીંતિ ખેડૂતો સેવી રહ્યા છે જેને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવો પડી શકે છે. ત      




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.