સરકારના દાવાથી વિપરીત ખાતરની ભારે અછત, વડોદરાના કરજણમાં ખાતર ડેપોની બહાર ખેડૂતોની લાંબી કતારો


  • Published By :
  • Published Date : 2023-08-21 12:55:43

રાજ્યમાં મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવણી શરૂ કરી છે. આ દરમિયાન રાજ્યના ખેડૂતો હવે યુરિયા ખાતરને લઈ હાલાકી વેઠી રહ્યા છે. વડોદરા જિલ્લાના કરજણ શહેરમાં ખેડૂતોને યુરિયા ખાતર મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારથી કતારો લગાવી ખાતર મેળવવા માટે રાહ જોવી પડે છે. આમ છતાંય ખાતર તો મળતું થતું જ નથી. આ પ્રકારની સ્થિતિ છેલ્લા ચાર દિવસથી વર્તાઈ રહી છે. ખેડૂતોએ હવે પાકમાં નુક્શાન વેઠવાની સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ યુરિયા ખાતરની સાથે નેનો યુરિયા પણ લેવા માટે વિક્રેતાઓ ફરજ પાડી રહ્યાનો પણ રોષ વ્યાપી રહ્યો છે.


ખેડૂતોમાં ભારે રોષ 


જગતના તાત ખેડૂતોને છેલ્લા ચાર દિવસથી ખાતર ડેપોમાંથી ખાતર નથી મળી રહ્યું છે. આ વ્યવસ્થા સામે હવે સવાલો ઉઠવા લાગ્યા છે. કરજણ શહેરમાં ખાતર ડેપોની બહાર ખેડૂતોની લાંબા લાંબી કતારો સવારથી જોવા મળી રહી છે. વરસાદી વિરામ બાદ હવે ખેડૂતો પોતાના પાકને સાચવવા લાગ્યા છે અને આ કારણે તેમને ખાતરની જરૂરિયાત ઉભી થઇ છે. ઉલ્લેખનિય છે કે  યુરિયા ખાતરની અછતના મદ્દે રાજ્યના વિવિધ ભાગોમાં ખેડૂતોની ફરિયાદો ઉઠી છે. એક તરફ સરકાર એવો દાવો કરી રહી છે કે રાજ્યમાં ખાતરનો પુરતો જથ્થો છે તો બીજી તરફ રાજ્યના તમામ શહેરોમાં ખાતરના ડેપો બહાર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે.


કૃષિ મંત્રી રાઘવજી પટેલનો દાવો કેટલો સાચો?


રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે થોડા દિવસ પહેલા જણાવ્યું હતું કે, રાજ્યમાં યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. રાજ્યમાં ખેડૂતલક્ષી કોઇપણ સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવી ખેડૂતોને જરૂરી તમામ મદદ પૂરી પાડવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ હોવાનું રાઘવજી પટેલે જણાવ્યું હતું.  કૃષિ મંત્રીએ ખેડૂતોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં જરૂરિયાત મુજબનો યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રામાણમાં ઉપલબ્ધ છે અને આ જથ્થો પૂરતો જળવાઈ રહે તે મુજબ અમલવારી પણ કરવામાં આવી રહી છે. ખેડૂતમિત્રોએ કોઈપણ અફવાઓથી પ્રેરાવવું નહિ તેમજ જરૂરીયાત મુજબ યુરીયા ખાતરની ખરીદી કરી બિનજરૂરી સંગ્રહ કરવો નહિ. તેમ છતાં યુરિયા ખાતરના જથ્થા બાબતે કોઇપણ પ્રશ્ન હોય તો સંબંધિત જિલ્લાના નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) ની કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું છે. રાજ્યમાં યુરિયા ખાતરનું વિતરણ સુવ્યવસ્થિત રીતે થાય અને ખાતરની ખેંચ ન પડે તે મુજબનું આયોજન કરવા પણ અધિકારીઓને સૂચનાઓ આપી હતી. કૃષિ મંત્રી ગાંધીનગર ખાતે ખેતીવાડી ખાતાના ઉચ્ચ અધિકારીઓ તેમજ મુખ્ય ખાતર વિતરક સંસ્થાઓ સાથે ખાતરની ઉપલબ્ધતા અંગે બેઠક પણ કરી હતી.  



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે