સરકારના દાવાથી વિપરીત ખાતરની ભારે અછત, વડોદરાના કરજણમાં ખાતર ડેપોની બહાર ખેડૂતોની લાંબી કતારો


  • Published By :
  • Published Date : 2023-08-21 12:55:43

રાજ્યમાં મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવણી શરૂ કરી છે. આ દરમિયાન રાજ્યના ખેડૂતો હવે યુરિયા ખાતરને લઈ હાલાકી વેઠી રહ્યા છે. વડોદરા જિલ્લાના કરજણ શહેરમાં ખેડૂતોને યુરિયા ખાતર મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારથી કતારો લગાવી ખાતર મેળવવા માટે રાહ જોવી પડે છે. આમ છતાંય ખાતર તો મળતું થતું જ નથી. આ પ્રકારની સ્થિતિ છેલ્લા ચાર દિવસથી વર્તાઈ રહી છે. ખેડૂતોએ હવે પાકમાં નુક્શાન વેઠવાની સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ યુરિયા ખાતરની સાથે નેનો યુરિયા પણ લેવા માટે વિક્રેતાઓ ફરજ પાડી રહ્યાનો પણ રોષ વ્યાપી રહ્યો છે.


ખેડૂતોમાં ભારે રોષ 


જગતના તાત ખેડૂતોને છેલ્લા ચાર દિવસથી ખાતર ડેપોમાંથી ખાતર નથી મળી રહ્યું છે. આ વ્યવસ્થા સામે હવે સવાલો ઉઠવા લાગ્યા છે. કરજણ શહેરમાં ખાતર ડેપોની બહાર ખેડૂતોની લાંબા લાંબી કતારો સવારથી જોવા મળી રહી છે. વરસાદી વિરામ બાદ હવે ખેડૂતો પોતાના પાકને સાચવવા લાગ્યા છે અને આ કારણે તેમને ખાતરની જરૂરિયાત ઉભી થઇ છે. ઉલ્લેખનિય છે કે  યુરિયા ખાતરની અછતના મદ્દે રાજ્યના વિવિધ ભાગોમાં ખેડૂતોની ફરિયાદો ઉઠી છે. એક તરફ સરકાર એવો દાવો કરી રહી છે કે રાજ્યમાં ખાતરનો પુરતો જથ્થો છે તો બીજી તરફ રાજ્યના તમામ શહેરોમાં ખાતરના ડેપો બહાર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે.


કૃષિ મંત્રી રાઘવજી પટેલનો દાવો કેટલો સાચો?


રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે થોડા દિવસ પહેલા જણાવ્યું હતું કે, રાજ્યમાં યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. રાજ્યમાં ખેડૂતલક્ષી કોઇપણ સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવી ખેડૂતોને જરૂરી તમામ મદદ પૂરી પાડવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ હોવાનું રાઘવજી પટેલે જણાવ્યું હતું.  કૃષિ મંત્રીએ ખેડૂતોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં જરૂરિયાત મુજબનો યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રામાણમાં ઉપલબ્ધ છે અને આ જથ્થો પૂરતો જળવાઈ રહે તે મુજબ અમલવારી પણ કરવામાં આવી રહી છે. ખેડૂતમિત્રોએ કોઈપણ અફવાઓથી પ્રેરાવવું નહિ તેમજ જરૂરીયાત મુજબ યુરીયા ખાતરની ખરીદી કરી બિનજરૂરી સંગ્રહ કરવો નહિ. તેમ છતાં યુરિયા ખાતરના જથ્થા બાબતે કોઇપણ પ્રશ્ન હોય તો સંબંધિત જિલ્લાના નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) ની કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું છે. રાજ્યમાં યુરિયા ખાતરનું વિતરણ સુવ્યવસ્થિત રીતે થાય અને ખાતરની ખેંચ ન પડે તે મુજબનું આયોજન કરવા પણ અધિકારીઓને સૂચનાઓ આપી હતી. કૃષિ મંત્રી ગાંધીનગર ખાતે ખેતીવાડી ખાતાના ઉચ્ચ અધિકારીઓ તેમજ મુખ્ય ખાતર વિતરક સંસ્થાઓ સાથે ખાતરની ઉપલબ્ધતા અંગે બેઠક પણ કરી હતી.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.