કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયું નુકસાન, સીએમ અને કૃષિમંત્રીને પાલ આંબલિયાએ લખ્યો પત્ર કહ્યું 48 કલાકની અંદર સર્વે....


  • Published By :
  • Published Date : 2024-05-17 13:56:56

જગતના તાતની સ્થિતિ દિનપ્રતિદિન ખરાબ થઈ રહી છે... ત્યારે હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે. માવઠાને કારણે જગતના તાત પરેશાન થઈ ગયા છે.. ખેડૂતોને થયેલા નુકસાનીનો સર્વે જલ્દી કરવામાં આવે તેવી માગ કિસાન કોંગ્રેસ સેલના ચેરમેન પાલ આંબલિયાએ કરી છે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને.. તેમણે આ મામલે પત્ર લખ્યો છે..

પાલ આંબલિયાએ મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રીને લખ્યો પત્ર

રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.. માવઠાને કારણે પાકને મોટા પાયે નુકસાન થયું છે તેવી ભીતિ સેવાઈ રહી છે.. પાક પર વરસાદી પાણી ફરી વળ્યું છે જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. સરકાર તેમની નુકસાનીનો સર્વે કરાવશે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે અને આ બધા વચ્ચે પાલ આંબલિયાએ મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રીને સર્વેને લઈ પત્ર લખ્યો છે.48 થી 72 કલાકમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનો સર્વે કરવામાં આવે તેવી માગ તેમણે કરી છે.


પત્રમાં શેનો કરાયો ઉલ્લેખ 

પાલ આંબલિયાનું કહેવું છે કે અત્યારે પ્રી મોન્સુન ઍક્ટિવિટી ના કારણે રાજ્યભરમાં વરસાદ પડી રહ્યો છે અને  અગાઉ 4 વાર માવઠું પણ પડી ચૂક્યું છે  માવઠા દરમિયાન નુકસાનીના સર્વેના નાટક કરવામાં આવ્યા પરંતુ ખેડૂતોને કોઈપણ પ્રકારનું વળતર ચુકવવામાં આવ્યું ન હતું. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે રાજ્યમાં ગત 48 કલાકમાં કમોસમી વરસાદ વરસ્યો છે અને 3 ઇંચ સુધી વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. ત્યારે છેલ્લા દોઢેક વર્ષથી ગુજરાતમાં ખેડૂતો પહેલા અતિવૃષ્ટિ અને ત્યારબાદ 33થી 53 દિવસ સુધી વરસાદ ખેંચાવાના કારણે દુષ્કાળગ્રસ્ત સ્થિતિનો ભોગ બન્યા છે. અને હવે 4 વખત કમોસમી વરસાદનો માર સહન કરવો પડ્યો છે.  


માવઠાને કારણે જગતના તાતને વેઠવી પડે નુકસાની 

મહત્વનું છે કે કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે પરંતુ ખેડૂતોની ચિંતા વધી છે. પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. કોઈ વખત માનવ સર્જીત આફતને કારણે તો કોઈ વખત કુદરતી આફતને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે..     



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે