કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયું નુકસાન, સીએમ અને કૃષિમંત્રીને પાલ આંબલિયાએ લખ્યો પત્ર કહ્યું 48 કલાકની અંદર સર્વે....


  • Published By :
  • Published Date : 2024-05-17 13:56:56

જગતના તાતની સ્થિતિ દિનપ્રતિદિન ખરાબ થઈ રહી છે... ત્યારે હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે. માવઠાને કારણે જગતના તાત પરેશાન થઈ ગયા છે.. ખેડૂતોને થયેલા નુકસાનીનો સર્વે જલ્દી કરવામાં આવે તેવી માગ કિસાન કોંગ્રેસ સેલના ચેરમેન પાલ આંબલિયાએ કરી છે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને.. તેમણે આ મામલે પત્ર લખ્યો છે..

પાલ આંબલિયાએ મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રીને લખ્યો પત્ર

રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.. માવઠાને કારણે પાકને મોટા પાયે નુકસાન થયું છે તેવી ભીતિ સેવાઈ રહી છે.. પાક પર વરસાદી પાણી ફરી વળ્યું છે જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. સરકાર તેમની નુકસાનીનો સર્વે કરાવશે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે અને આ બધા વચ્ચે પાલ આંબલિયાએ મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રીને સર્વેને લઈ પત્ર લખ્યો છે.48 થી 72 કલાકમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનો સર્વે કરવામાં આવે તેવી માગ તેમણે કરી છે.


પત્રમાં શેનો કરાયો ઉલ્લેખ 

પાલ આંબલિયાનું કહેવું છે કે અત્યારે પ્રી મોન્સુન ઍક્ટિવિટી ના કારણે રાજ્યભરમાં વરસાદ પડી રહ્યો છે અને  અગાઉ 4 વાર માવઠું પણ પડી ચૂક્યું છે  માવઠા દરમિયાન નુકસાનીના સર્વેના નાટક કરવામાં આવ્યા પરંતુ ખેડૂતોને કોઈપણ પ્રકારનું વળતર ચુકવવામાં આવ્યું ન હતું. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે રાજ્યમાં ગત 48 કલાકમાં કમોસમી વરસાદ વરસ્યો છે અને 3 ઇંચ સુધી વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. ત્યારે છેલ્લા દોઢેક વર્ષથી ગુજરાતમાં ખેડૂતો પહેલા અતિવૃષ્ટિ અને ત્યારબાદ 33થી 53 દિવસ સુધી વરસાદ ખેંચાવાના કારણે દુષ્કાળગ્રસ્ત સ્થિતિનો ભોગ બન્યા છે. અને હવે 4 વખત કમોસમી વરસાદનો માર સહન કરવો પડ્યો છે.  


માવઠાને કારણે જગતના તાતને વેઠવી પડે નુકસાની 

મહત્વનું છે કે કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે પરંતુ ખેડૂતોની ચિંતા વધી છે. પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. કોઈ વખત માનવ સર્જીત આફતને કારણે તો કોઈ વખત કુદરતી આફતને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે..     



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે