કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયું નુકસાન, સીએમ અને કૃષિમંત્રીને પાલ આંબલિયાએ લખ્યો પત્ર કહ્યું 48 કલાકની અંદર સર્વે....


  • Published By :
  • Published Date : 2024-05-17 13:56:56

જગતના તાતની સ્થિતિ દિનપ્રતિદિન ખરાબ થઈ રહી છે... ત્યારે હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે. માવઠાને કારણે જગતના તાત પરેશાન થઈ ગયા છે.. ખેડૂતોને થયેલા નુકસાનીનો સર્વે જલ્દી કરવામાં આવે તેવી માગ કિસાન કોંગ્રેસ સેલના ચેરમેન પાલ આંબલિયાએ કરી છે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને.. તેમણે આ મામલે પત્ર લખ્યો છે..

પાલ આંબલિયાએ મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રીને લખ્યો પત્ર

રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.. માવઠાને કારણે પાકને મોટા પાયે નુકસાન થયું છે તેવી ભીતિ સેવાઈ રહી છે.. પાક પર વરસાદી પાણી ફરી વળ્યું છે જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. સરકાર તેમની નુકસાનીનો સર્વે કરાવશે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે અને આ બધા વચ્ચે પાલ આંબલિયાએ મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રીને સર્વેને લઈ પત્ર લખ્યો છે.48 થી 72 કલાકમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનો સર્વે કરવામાં આવે તેવી માગ તેમણે કરી છે.


પત્રમાં શેનો કરાયો ઉલ્લેખ 

પાલ આંબલિયાનું કહેવું છે કે અત્યારે પ્રી મોન્સુન ઍક્ટિવિટી ના કારણે રાજ્યભરમાં વરસાદ પડી રહ્યો છે અને  અગાઉ 4 વાર માવઠું પણ પડી ચૂક્યું છે  માવઠા દરમિયાન નુકસાનીના સર્વેના નાટક કરવામાં આવ્યા પરંતુ ખેડૂતોને કોઈપણ પ્રકારનું વળતર ચુકવવામાં આવ્યું ન હતું. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે રાજ્યમાં ગત 48 કલાકમાં કમોસમી વરસાદ વરસ્યો છે અને 3 ઇંચ સુધી વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. ત્યારે છેલ્લા દોઢેક વર્ષથી ગુજરાતમાં ખેડૂતો પહેલા અતિવૃષ્ટિ અને ત્યારબાદ 33થી 53 દિવસ સુધી વરસાદ ખેંચાવાના કારણે દુષ્કાળગ્રસ્ત સ્થિતિનો ભોગ બન્યા છે. અને હવે 4 વખત કમોસમી વરસાદનો માર સહન કરવો પડ્યો છે.  


માવઠાને કારણે જગતના તાતને વેઠવી પડે નુકસાની 

મહત્વનું છે કે કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે પરંતુ ખેડૂતોની ચિંતા વધી છે. પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. કોઈ વખત માનવ સર્જીત આફતને કારણે તો કોઈ વખત કુદરતી આફતને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે..     



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .