ખેડૂતોની ન્યાય યાત્રામાં 18 ઓગષ્ટે જોડાશે રાકેશ ટિકૈત, BKU નેતાની એન્ટ્રીથી રાજકારણ ગરમાવાની આશંકા


  • Published By :
  • Published Date : 2023-08-14 15:47:55

બનાસકાંઠાના દિયોદરના સાણદરથી ગાંધીનગર સુધી શરૂ થયેલી ખેડૂતોની ન્યાય યાત્રા વધુ ઉગ્ર બને તેવી આશંકા છે.  બનાસકાંઠાના ખેડૂતોની આ પદયાત્રામાં હવે ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા અને દિલ્હીના કિસાન આંદોલનથી જાણીતા બનેલા જાણીતા ખેડૂત નેતા રાકેશ ટિકૈતની પણ એન્ટ્રી થઈ છે. સુત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણનાં રાજીનામાની માગ સાથે નિકળેલી આ ખેડૂત ન્યાય યાત્રામાં 18 ઓગષ્ટના રોજ રાષ્ટ્રીય કિશાન નેતા રાકેશ ટિકૈત જોડાશે. ઉલ્લેખનિય છે કે દીયોદરથી નીકળેલી ખેડૂત ન્યાય યાત્રાનો આજે ચોથો દિવસ છે.  


ખેડૂતોએ શા માટે યોજી ન્યાયયાત્રા?


ભાજપના ધારાસભ્ય  કેશાજી ચૌહાણની ઉપસ્થિતિમાં 7 ઓગષ્ટના રોજ દિયોદરમાં અટલ ભૂજલ યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી પણ પહોંચ્યા હતા. ખેડૂતોના પ્રશ્નો પર અગાઉ અનેક વખત આંદોલન કરનારા અમરાભાઈને ધારાસભ્યના સમર્થક અરજણ નામના શખ્સે બે થપ્પડ માર્યા હતા. જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે. ત્યાર બાદ હજારો ખેડૂતોએ ધારાસભ્ય કેશાજી ચૌહાણનાં રાજીનામાની માગ સાથે ખેડૂત આગેવાન અમરા ચૌધરીએ ખેડૂતો સાથે આજે સણાદરથી ગાંધીનગર સુધીની ન્યાય પદયાત્રા શરૂ કરી છે. ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી ભાજપ ધારાસભ્ય કેશાજી ચૌહાણની રાજીનામાની માગ કરશે. ન્યાય પદયાત્રામાં ખેડૂત આગેવાન અમરા ચૌધરીના સમર્થનમાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે.  ખેડૂત ન્યાય યાત્રામાં જોડાવા માટે રાકેશ ટિકૈતને આમંત્રણ આપવામાં આવ્યું હોવાની જાણકારી સામે આવી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.