ખેડૂતોની ન્યાય યાત્રામાં 18 ઓગષ્ટે જોડાશે રાકેશ ટિકૈત, BKU નેતાની એન્ટ્રીથી રાજકારણ ગરમાવાની આશંકા


  • Published By :
  • Published Date : 2023-08-14 15:47:55

બનાસકાંઠાના દિયોદરના સાણદરથી ગાંધીનગર સુધી શરૂ થયેલી ખેડૂતોની ન્યાય યાત્રા વધુ ઉગ્ર બને તેવી આશંકા છે.  બનાસકાંઠાના ખેડૂતોની આ પદયાત્રામાં હવે ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા અને દિલ્હીના કિસાન આંદોલનથી જાણીતા બનેલા જાણીતા ખેડૂત નેતા રાકેશ ટિકૈતની પણ એન્ટ્રી થઈ છે. સુત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણનાં રાજીનામાની માગ સાથે નિકળેલી આ ખેડૂત ન્યાય યાત્રામાં 18 ઓગષ્ટના રોજ રાષ્ટ્રીય કિશાન નેતા રાકેશ ટિકૈત જોડાશે. ઉલ્લેખનિય છે કે દીયોદરથી નીકળેલી ખેડૂત ન્યાય યાત્રાનો આજે ચોથો દિવસ છે.  


ખેડૂતોએ શા માટે યોજી ન્યાયયાત્રા?


ભાજપના ધારાસભ્ય  કેશાજી ચૌહાણની ઉપસ્થિતિમાં 7 ઓગષ્ટના રોજ દિયોદરમાં અટલ ભૂજલ યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી પણ પહોંચ્યા હતા. ખેડૂતોના પ્રશ્નો પર અગાઉ અનેક વખત આંદોલન કરનારા અમરાભાઈને ધારાસભ્યના સમર્થક અરજણ નામના શખ્સે બે થપ્પડ માર્યા હતા. જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે. ત્યાર બાદ હજારો ખેડૂતોએ ધારાસભ્ય કેશાજી ચૌહાણનાં રાજીનામાની માગ સાથે ખેડૂત આગેવાન અમરા ચૌધરીએ ખેડૂતો સાથે આજે સણાદરથી ગાંધીનગર સુધીની ન્યાય પદયાત્રા શરૂ કરી છે. ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી ભાજપ ધારાસભ્ય કેશાજી ચૌહાણની રાજીનામાની માગ કરશે. ન્યાય પદયાત્રામાં ખેડૂત આગેવાન અમરા ચૌધરીના સમર્થનમાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે.  ખેડૂત ન્યાય યાત્રામાં જોડાવા માટે રાકેશ ટિકૈતને આમંત્રણ આપવામાં આવ્યું હોવાની જાણકારી સામે આવી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.