Farmer Protest: ખેડૂતોની 13 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચની જાહેરાત, આ ત્રણ રાજ્યોમાં હાઈ એલર્ટ


  • Published By :
  • Published Date : 2024-02-08 22:18:38

ખેડૂતોના સંગઠનોની દિલ્હી તરફ કૂચની જાહેરાતથી ખળભળાટ મચી ગયો છે અને તેમને રોકવા માટે પોલીસે શંભુ ટોલ પ્લાઝા પાસે તમામ વ્યવસ્થા કરી દીધી છે. અંબાલામાં ફરી એકવાર ખેડૂતો અને પોલીસ સામસામે આવી શકે છે. ખેડૂત સંગઠનોએ 13 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચની જાહેરાત કરી છે. આ માટે ઘણી બેઠકો યોજાઈ હતી. આ સાથે જ ખેડૂતોએ સામાન્ય લોકોને પણ તેમના આંદોલનમાં ભાગ લેવાની અપીલ કરી છે. જો કે, હજુ સુધી ખેડૂતોને વિરોધ કરવાની કોઈ મંજૂરી નથી.


સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર


ખેડૂત સંગઠનોની જાહેરાત બાદ પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં સુરક્ષાને લઈને એજન્સીઓ એલર્ટ પર છે. ખેડૂતોએ 13 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરી છે; પરંતુ તે પહેલા જ તેમને રોકવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતોને પરવાનગી વિના દિલ્હી જતા રોકવા માટે, શંભુ ટોલ પ્લાઝા પર કાટાળા તાર, મોટા-મોટા પથ્થરો, રેતીની થેલીઓ વગેરે પહોંચાડવામાં આવી છે. અહીં પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે અને હરિયાણા સરકારે 13મી ફેબ્રુઆરીએ યોજાનારી વિરોધ રેલી વગેરેને રોકવા માટે કલમ 144 લાગુ કરવાની જાહેરાત કરી છે.


શંભુ ટોલ પ્લાઝા આગળ જ ખેડૂતોને રોકાશે


પોલીસ અધિકારીએ કહ્યું કે દિલ્હી કૂચ દરમિયાન પંજાબથી ઘણા ખેડૂત સંગઠનો આવશે અને તેમને રોકવા માટે અંબાલા પોલીસે શંભુ ટોલ પ્લાઝા પર નક્કર વ્યવસ્થા કરી છે. ટોલ પ્લાઝા પર તીક્ષ્ણ વાયર, મોટા પથ્થરો, રેતીની થેલીઓ વગેરે રાખવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપતાં અંબાલાના એસપી જશનદીપ સિંહ રંધાવાએ જણાવ્યું કે ઘણા ખેડૂત સંગઠનોએ 13 ફેબ્રુઆરીએ દિલ્હી જવાની જાહેરાત કરી છે.



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.