Farmer Protest: ખેડૂતોની 13 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચની જાહેરાત, આ ત્રણ રાજ્યોમાં હાઈ એલર્ટ


  • Published By :
  • Published Date : 2024-02-08 22:18:38

ખેડૂતોના સંગઠનોની દિલ્હી તરફ કૂચની જાહેરાતથી ખળભળાટ મચી ગયો છે અને તેમને રોકવા માટે પોલીસે શંભુ ટોલ પ્લાઝા પાસે તમામ વ્યવસ્થા કરી દીધી છે. અંબાલામાં ફરી એકવાર ખેડૂતો અને પોલીસ સામસામે આવી શકે છે. ખેડૂત સંગઠનોએ 13 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચની જાહેરાત કરી છે. આ માટે ઘણી બેઠકો યોજાઈ હતી. આ સાથે જ ખેડૂતોએ સામાન્ય લોકોને પણ તેમના આંદોલનમાં ભાગ લેવાની અપીલ કરી છે. જો કે, હજુ સુધી ખેડૂતોને વિરોધ કરવાની કોઈ મંજૂરી નથી.


સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર


ખેડૂત સંગઠનોની જાહેરાત બાદ પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં સુરક્ષાને લઈને એજન્સીઓ એલર્ટ પર છે. ખેડૂતોએ 13 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરી છે; પરંતુ તે પહેલા જ તેમને રોકવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતોને પરવાનગી વિના દિલ્હી જતા રોકવા માટે, શંભુ ટોલ પ્લાઝા પર કાટાળા તાર, મોટા-મોટા પથ્થરો, રેતીની થેલીઓ વગેરે પહોંચાડવામાં આવી છે. અહીં પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે અને હરિયાણા સરકારે 13મી ફેબ્રુઆરીએ યોજાનારી વિરોધ રેલી વગેરેને રોકવા માટે કલમ 144 લાગુ કરવાની જાહેરાત કરી છે.


શંભુ ટોલ પ્લાઝા આગળ જ ખેડૂતોને રોકાશે


પોલીસ અધિકારીએ કહ્યું કે દિલ્હી કૂચ દરમિયાન પંજાબથી ઘણા ખેડૂત સંગઠનો આવશે અને તેમને રોકવા માટે અંબાલા પોલીસે શંભુ ટોલ પ્લાઝા પર નક્કર વ્યવસ્થા કરી છે. ટોલ પ્લાઝા પર તીક્ષ્ણ વાયર, મોટા પથ્થરો, રેતીની થેલીઓ વગેરે રાખવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપતાં અંબાલાના એસપી જશનદીપ સિંહ રંધાવાએ જણાવ્યું કે ઘણા ખેડૂત સંગઠનોએ 13 ફેબ્રુઆરીએ દિલ્હી જવાની જાહેરાત કરી છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.